Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 466
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૨) મહાભારત પ્રયત્નનું અનુકરણ કરવાનું એક મહાન નિમિત્ત છે. એ અવસરે પરિણામની વિશુદ્ધિ કઈ જુદા જ પ્રકારની થાય છે. આ સર્વ કાયદાએ તીર્થયાત્રાથી થાય છે. અને તે ફાયદાઓ સર્વ ઇિ પિતાની મેળે લઈ શક્તા ન હોવાથી સંધસમુદાયથી તેવા વ્ય જીને આ કાયદાઓ મેળવી શકવા સંભવ છે, માટે ગિરનારજીના સંધ સાથે. આપણે તીર્થયાત્રાએ જઈશું. તે માટે તમે આનંદમાં રહો. તમારા સર્વ મનોરથે પૂર્ણ થશે. સંધ માટે હું અત્યારથી જ સર્વ સામગ્રી તૈયાર કરાવું છું. આ પ્રમાણે પોતાની પત્ની ધનશ્રીને દિલાસો આપી થાને ઉત્સાહિત કરી, ધનપાળે ગિરનારજીના સંધની તૈયારી કરવા માંડી પ્રકરણ ૪૬ મું, ગિરનારજીને સંઘ અને પૂર્ણાહુતી ગરીબથી તવંગરપર્યતના સર્વ લોકોને સંઘમાં આવવા માટે નિ મંત્રણા કરવામાં આવી. ગિરનારની યાત્રા અર્થે સંખ્યાબંધ મનુષ્ય તૈયાર થયા. શુભ મુહ શ્રી સંધ સાથે મિત્રાદિ વર્ગ સહિત ધનપાળે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સ્થાને સ્થાને આવતાં જિનચેનું તેઓ પૂજન કરતા હતા. કોઈ સ્થળે મુનિ મહાત્માનાં દર્શન થતાં તે સર્વ લોકે તેનાં દર્શન કરતાં અને ધર્મદેશના શ્રવણ કરતા હતા. ઠેકાણે ઠેકાણે સ્વામીવચ્છ થતા હતા. કરુણાબુદ્ધિથી દુઃખી મનુભ્યોને મદદ અપાતી હતી. મહાત્માપુરૂષોની સુપાત્રબુદ્ધિથી ભકિત કરાતી હતી. દુખી સ્વધામ બંધુઓનું ઉત્સાહથી ગૌરવ કરવામાં આવતું અને બનતા પ્રયને આંતર લાગણથી તેઓનાં દુઃખ દૂર કરાતાં હતાં. સ્થળે સ્થળે ઉદારતાના ગુણથી યાચકના મનોરથ પૂર્ણ થતા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475