________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧)
સમ્યક્ શ્રદ્ધાનના રક્ષણાર્થે આઠ અતિચાર દૂર કરી આઠ ગુણ ધારણ કરવા. જીવાદિ પદાર્થોને હેય, ય, ઉપાદેય બુદ્ધિથી યથાશ્ય જે સડે છે તે, માતાના દૂધની માફક નિ:શંકપણે આત્મગુણરૂપ શરીરનું પોષણ કરે છે, મિથ્યા આડંબરીઓના કષ્ટકર્માદિ બાહ્ય આડબરોને દેખી તેમની પાસે સત્ય છે તેમ ધારી દોડી જવું ન જોઈએ. પણ તેમનાં વર્તન અને વચનોને બુદ્ધિની કટી ઉપર ચડાવી પરીક્ષા કરવી જોઈએ. ધર્મનું ફળ મળશે કે કેમ ? આ સંદેહ કરે યોગ્ય નથી. વ્યવહારનાં નાનાંમોટાં દરેક કાર્યનાં ફળ મળે છે તો પછી નિઃસ્પૃહભાવે કરાતા ધર્મનું ફળ કેમ નહિં મળે ? જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મધર્મમાં પ્રયત્ન કરનાર એગ્ય જીવને દેખી તેની પ્રશંસા કરવી. બનતા પ્રયને તેમની અગવડતા દૂર કરી તેમના ધાર્મિક જીવનમાં સરલતા કરી આપવી. આમ કરીને તે તે ધાર્મિક કાર્યને ઉત્સાહમાં અન્યને વૃદ્ધિ કરી આપવી, આત્મધર્મથી પતિત થતાં જેને હિતોપદેશ આપી પાછા તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવા. નહિં કે તેનાં દ્ધિા દેખી તેને ધર્મથી ભ્રષ્ટ કરવા કે પોતે ધર્મથી ભ્રષ્ટ થવું. રાજીમતી જેવી સુશીલ અબળાએ ચારિત્રથી બષ્ટ થતા-પતિત થતા રથનેમીને હિતોપદેશ આપી સ્થિર કર્યો હતે. આ પ્રમાણે ધર્મથી પતિત થતાનું રક્ષણ કરવું. વ્યવહારમાર્ગમાં સીદાતા, દુખી થતા એક ધર્મ પાળનાર સ્વધર્મ બંધુઓને એ રીતે આશ્રય આપી આગળ વધારવા. ભરત રાજાએ શ્રાવકને મદદ આપી હતી. બાહુબલીએ પૂર્વજન્મમાં મુનિઓને મદદ કરી હતી. આ મદદ આપવાથી તેઓ, સ્વપકલ્યાણ કરી સુખી થયા હતા. આનું નામ સ્વામીવચ્છલ કહેવાય છે શીયળના ઉત્કટ પ્રભાવથી સુભદ્રાએ શાસનની ઉન્નતિરૂપ પ્રભાવના કરી હતી. તેવી રીતે અન્ય કોઈપણ જ્ઞાનાદિ અદ્દભૂત ગુણથી ધર્મને પ્રભાવ વિતરિત કરો, તેથી અનેક જીવોને ધમની પ્રાપ્તિ થાય છે, પ્રભાવના ધર્મપ્રાપ્તિનું નિમિત્તકારણ છે.
આ ગુણથી વિભૂષિત આભાઓ સ્વ૯૫ વખતમાં સંસારને પાર
For Private and Personal Use Only