Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 432
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૮) જીવે અન્યની આગળ પ્રાર્થના કરવા છતાં પણ પેટ પૂરતું અનાજ પામતા નથી. દુપૂર ઉદર-પૂરણાર્થે ત્રિ-દિવસ કાર્યો કરવાં પડે છે અને ધનેશ્વરના ચરણ પણ મર્દન કરવા તથા દેવા પડે છે. આ અધર્મનું કારણ નથી? છે જ. ભિક્ષાવૃત્તિ અથે ફરતા મનુષ્યો પિતાના અદાન (પણ) ગુણને અને ધનાઢયે નાદાન ગુણને પ્રગટપણે જણાવે છે તેઓ પિતાના આ ચરિત્ર ઉપરથી બીજાઓને એમ સૂચવે છે કે આ અમારા અન્ય જન્મના અદાન યા લેબી- પણ ગુણને સમજીને તમે દાન આપવાનું ચાલુ કરે, પુન્યવાન છો આ જન્મ પયંત દેવ, ગુરુનું મરણ અને પૂજન કરે છે ત્યારે નિર્ભાગ્ય મનુષ્ય સેવાવૃત્તિ કરવાવડે આ જિંદગી પયંત માલીકની ધનાઢયની સેવા ઉઠાવે છે. ખરેખર ભૂત્ય વૃત્તિ એ શ્વાન વૃત્તિ સરખી છે. કેટલાએક મનુષ્ય દશાંગ કે અષ્ટાંગ ધુપાદિની સુગંધવાળી ચિત્રશાળાઓમાં નિવાસ કરે છે ત્યારે કેટલાએક પરના દ્વાર ઉપર કપધુમ્રથી અંધ થઈ પરાણે નિવાસ પામે છે. અમુક મનુષ્ય ચંદન કુકમાદિકથી શરીરની શોભામાં વધારે કરતા લીલામાં દિવસે પસાર કરે છે ત્યારે અન્ય અશુચિથી ખરડાયેલા મલિન શરીર ધારણ કરતા વસ્ત્ર વિનાની જિંદગી ગુજારે છે. કેટલાએક શતપત્રાદિ પુના પરિભળવાળી સુખશયામાં શયન કરે છે ત્યારે અન્ય પરાળના ધાસમાં અથવા અનેક વસ્ત્રના કકડાઓથી બનાવેલી દુગંધિત કંથાઓમાં દુ:ખે નિદ્રા લે છે. કેટલાએક શિશિર ઋતુમાં ઊનનાં અનેક ગરમ ખાવરણે એઢિી એ રાત્રી પસાર કરે છે ત્યારે બીજા હાથરૂપ પાવરણથી શરીર ડીને (બાંધીને) દાંત-વીણા વગાડતા દુઃખે રાત્રિ પસાર કરે છે. કેટલાએક ગ્રીષ્મઋતુમાં જલા ચંદનનું શરીર વિલેપન કરી શાંતિ અનુભવે છે ત્યારે અન્ય મેટો બેજે (ભાર) ઉપાડી ઉઘાડે પગે પ્રીમતુના પ્રખર તાપમાં આમતેમ ફર્યા કરે છે. કેટલાએક મહેલના ઝરૂખામાં બેસી નેહી મનુષ્યો સાથે વર્ષાઋતુની અલૌકિક લીલાનું નિરીક્ષણ કરે છે ત્યારે અન્ય કાદવથી ખરડાયેલા પગે જ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475