________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૬).
ગુરૂરાજે પણ સમ્યફ જ્ઞાનપૂર્વક, ગૃહસ્થોનાં પાંચ અણુવ્રત ( અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિચનું પરિમાણ છે તેને બતાવ્યાં. નિર્નામિકાએ ઘણા હર્ષથી તે ગ્રહણ કર્યા.
ગુરુને વંદન કરી લોકોની સાથે તે પિતાના ઘર તરફ ગઈ વિષયતૃષ્ણ ઓછી કરી નિર્દોષપણે તે લીધેલ વ્રતનું પાલન કરવા લાગી સાથે છઠ્ઠ, અમ, આદિ તપશ્ચરણ કરતી હતી, જ્ઞાનવૃદ્ધ પુરૂ
ની સેવા કરી શ્રુત અભ્યાસમાં તેણે વધારો કર્યો, ધામિક આચરણાથી તે સુખી થઈ, સંતોષપૂર્વક વ્રતનું પાલન કરી છેવટે અણુ-- શણ ગ્રહણ કર્યું.
એ અવસરે રીષભદેવજીને જીવ, ઇશાન દેવલોકમાં લલિતાંગ દેવપણે રહેલો હતો. તેની સ્વયંપ્રભાદેવી દેવ ભવમાંથી એવી ગયેલી હેવાથી તે શેક કરતો હતો. તે દેખી સ્વવંબુદ્ધ નામના તેના મિત્ર દેવે તેને કહ્યું. મિત્ર! શોક નહિં કર. આ નિર્નામિકા અણુસણુ અંગિ. કાર કરીને બેઠા છે. તેને તમારું રૂપ બતાવે. તે તમારું ધ્યાન મનમાં રાખીને, ધર્મપસાથે અહીં તમારી દેવીપણે ઉત્પન્ન થશે. તેણે તેમ કર્યું. તેના રૂપમાં મોહ પામેલી નિર્નામિકા ધર્મપ્રભાવથી, આ માનવ દેહ મૂકી, તે લલીતાંગદેવની સ્વયંપ્રભા નામની દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તેમની સાથે દિવ્ય ભેગને ઉપભોગ કરી, દેવભવમાંથી આવી લલીતાંગને જીવ પૂર્વ વિદેહક્ષેત્રની પુંડરીગિણી નગરીમાં વજબંધ રાજાપણે ઉત્પન્ન થયો. અને સ્વયંપ્રભા દેવીને જીવ શ્રીમતી નામની તેમની રાણીપણે ઉત્પન્ન થયો. તે ભવ પછી ઉત્તરકુરુક્ષેત્રમાં બને જણ યુગલીયાંપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી સૌધર્મ દેવલોક બને દેવપણે ઉપજ્યાં, દેવલોકથી એવી પૂર્વવિદેહ ક્ષેત્રની પ્રભંકરા નગરીમાં બને મિત્રપણે ઉત્પન્ન થયાં. ત્યાં બીજા ચાર મિત્રે તેમને થયા. ઔષધા. દિકથી સાધુની સેવા કરી, વિશેષ ધર્મ ધ્યાનમાં મરણ પામી, બારમે દેવલોકે છએ, દેવ મિત્રપણે ઉત્પન્ન થયાં. દેવ આયુષ્ય પૂર્ણ કરી પુંડરિકગિરિ નગરીમાં શ્રી વજસેન તીર્થકર થવાના હતા તેમના વજનાભ પ્રમુખ
For Private and Personal Use Only