________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
યોગ્ય વ્યવસ્થા કરવી શરૂ કરી. અપરાધીને દંડ આપવા માટે હા ! અથવા અરે ! શબ્દનો પ્રયોગ તે વખતના અપરાધીને સખત શિક્ષા માટે યોગ્ય નિવડ. “હા ! તેં આ શું કર્યું?” આટલા શબ્દથી પિતાને મહાન શિક્ષા થઈ તેમ તેઓ સમજતા હતા. કેટલાક વખત જવા બાદ તે શિક્ષા ઓછી ગણાવા લાગી. તેને અનાદર. કરી લે કો અપરાધ વિશેષ કરવા લાગ્યા. ત્યારે મેટી શિક્ષા તરીકે, મા ! આ શબ્દ વાપર શરૂ કર્યો. “ફરી આવું કદી ન કરશો ” કાળક્રમે જ્યારે લોકો, આ નીતિને પણ ન ગણકારવા લાગ્યા ત્યારે ઉત્કૃષ્ટ શિક્ષા તરીકે ધિક્કાર” શબ્દ યોજાયે. આમ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધ હા, મા અને ધિક્કાર. આ દંડ નીતિ વપરાતી હતી.
આ અરસામાં તે યુગલિકામાં નાભી રાજા અને મારૂદેવાજીનું યુગલ ઉત્પન્ન થયું. તેમના વખતમાં યુગલિકાની સ્થિતિમાં વિશેષ ફેરફાર થતો રહ્યો. તેમણે રીષભદેવજી અને સુમંગલાના યુગ્મ(જેડલા) ને જન્મ આપ્યો. આ જન્મ યુગલિક રિવાજથી રિપરીત હતો, કેમકે યુગલિકો પોતાના મરણની છેલ્લી અવસ્થામાં પુત્ર પુત્રીના યુગ્મને જન્મ આપતા હતા ત્યારે આ રીષભદેવજીના પ્રસંગમાં તેથી વિપરીત બન્યું હતું. અર્થાત યુવાવસ્થામાં જ મારૂદેવાજીએ રીષભદેવજીને જન્મ આપ્યો હતે. ' ' . ' - રીષભદેવજી પાછલા જન્મના પૂર્ણ સંસ્કારી, મહાન યોગી હતા, તેથી પાછલા અનેક જન્મના જ્ઞાન સાથે (અવધિજ્ઞાન સહિત) તેમને જન્મ થયો હતો. આ જ્ઞાનબળથી તેમણે યુગ. લિકની અજ્ઞાન દશામાં મોટો ફેરફાર કરી, તેઓને યોગ્ય યાને લાયક બનાવ્યા. - તે વખતમાં કલ્પવૃક્ષોમાંથી મળતા ખેરાક વિગેરે પાક બંધ થયો હતો. લોકે ભૂખે મરતા હતા. સહજસાજ પાક થતો તે બળવાન લોકો લઈ જતા અને નબળા દુઃખી થતા હતા. આ યુલિકોના દુઃખને રીષભદેવજીએ અંત આણ્યો.
For Private and Personal Use Only