________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૨૧ મું
સિંહલદ્વીપને છેવટનો નમસ્કાર
-- -- दिण रयणि घाडय पहर डलेण मणुयाण आउयं गलइ । इयजाणि ऊण तुरियं सुधम्मकम्मुज्जुया होइ ॥१॥
અવસરને ઉચિત હિતકારી, અવસરા, માધે સૂર્યોદયની તૈયારી જાણું લોકોને ધર્મમાં જાગૃત થવા માટે જણાવ્યું.
દિવસ, રાત્રી, ઘડી અને પ્રહરના બહાનાથી મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે, એમ જાણું હે મનુષ્યો ! ઉત્તમ ધર્મકાર્યમાં તમે જલદી ઉધનવાન થાઓ.
- રજનીકર (ચંદ્ર) મલિન થતાં નક્ષત્ર અને કુમુદની લક્ષ્મી પણ લુંટાવા લાગી. ખરી વાત છે કે કલંકવાળાની સોબતથી પરાભવ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. સૂર્યનાં કિરણોએ અંધકારને દૂર ફેંકી દીધે એટલે ગિરિ-ગુફામાં શરણ લેવા માટે તે દેડયો ગયો. મહાન પુરુષો ક્ષકોનું પણ રક્ષણ કરે છે, તે વાત સાચી છે. દિનકરે આશ્વાસન આપેલાં કમળનાં વન પ્રફુલિત થવા લાગ્યાં. ખરી વાત છે કે અંગીકાર કરેલ કાયને નિર્વાહ કરવાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઇત્યાદિ બંગા
થી બંદીવાને, સૂર્યોદય થયો છે તેમ રાજા પ્રમુખને જણાવ્યું. રાજા પ્રમુખ સે પિતાનાં ખટકર્મ કરવામાં રોકાયાં અને થોડા વખતમાં આવશ્યક કર્તવ્ય આટોપી લઈ, પિતાને ઉચિત વ્યવસાયમાં સર્વે ગુથાયા.
રાજા વિચારવા લાગ્યો કે-મારી પુત્રીને ભરૂઅચ્ચ જવાની ચેકસ ઇચ્છા અને તે ઈચ્છા પણ આત્મ-ઉદ્ધારની હોવાથી મારે તેણીને અવશ્ય મદદ આપવી પણ વિદ્ધભૂત ન થવું. જ્ઞાની પુરુષોની
For Private and Personal Use Only