________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
હે જીવ! રંગમંડપમાં નૃત્ય કરનાર પાત્રની માફક, આ જીવ પાત્ર નૃત્ય કરનાર ચૌદ રાજલોકરૂપ રંગમંડપમાં, રાજા, રંક, સધન, નિધન, સ્વામિ, સેવક ઈત્યાદિ વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી, કર્મ પરાધીન થઈ નૃત્ય કરી રહ્યો છે.
આ જીવ એકલે જ જન્મે છે. મરે છે, સ્વકૃત કર્માનુસાર સુખ, દુ:ખને અનુભવ કરે છે. અને ધર્મ કરી પૂર્ણ સુખને અનુભવ પણ એકલો જ કરે છે. કોઈ કોઈનું ભલું કે બૂરું કરનાર તાત્વિક રીતે પિતા સિવાય અન્ય કોઈ નથી.
આત્મા ચેતન્ય ગુણવાળે છે. શરીરાદિ પદાર્થોમાં તે ચૈતન્ય ગુણ નથી પણ જડ સ્વભાવ છે. હે આત્મન ! જ્ઞાન, દર્શનાદિ આત્મગુણ સિવાય જગતમાં બીજું તારું શું હોઈ શકે ?
નવ દ્વારોથી મહાન દુર્ગધી મળને પ્રવાહ વહન થઈ રહ્યો છે. રાગના ઘરરૂપ આ દેહમાં પવિત્રતા તે શાની હેય? બુદ્ધિમાન જીવ તેમાં રાગ કેમ કરે ?
ચીકાશ(સ્નેહ વાળા પદાર્થ ઉપર અનેક રીતે ધૂળ ચેટે છે. તેમજ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મેગારિરૂપ રાગ, દ્વેષની પરિણતિવાળા આશ્રવના કારણથી આ જીવ ઉપર કમેલ ચૂંટે છે તેથી સંસારમાં પરિભ્રમણ થાય છે. હે જીવ! આ કર્મરૂપ આશ્રવ ન આવે તે માટે તારે બહુ સાવચેતી રાખવી જોઈએ.
ઘરનાં દ્વાર બંધ કર્યા હોય અથવા વહાણમાં પડેલા છિદ્રને બંધ કરવામાં આવ્યું હોય તો તેમાં ધૂળ કે પાણું પ્રવેશ કરતું નથી. તેવી રીતે હે આત્મન ! કર્મદા બંધ કરવારૂપ સંવરમાં તું તર રહીશ તે તારામાં પાપરૂપ ધૂળ કે પાણી પ્રવેશ નહિં કરે. અજ્ઞાનતાને આધીન રહી અનેક વર્ષો સુધી દુઃખ વેઠી યા–કષ્ટ કરી આ જીવ કર્મ ખપાવે છે. તેટલાં જ કર્મો આપયોગમાં જાગૃત રહેલા જ્ઞાની પુરૂષો એક ક્ષણે માત્રમાં ખપાવી શકે છે, માટે હે જીવ! તું આત્મ ઉપગમાં જાગ્રત થા. વિશુદ્ધ આત્મભાવમાં જ રમણ કર.
For Private and Personal Use Only