________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૯)
સિંચાણુએ તે વાત કબુલ કરી એટલે રાજાએ તુલા-ત્રાજવું મંગાવી એક બાજુના છાબડામાં–ત્રાજવામાં પારેવાને મૂકયો અને બીજી બાજુના ત્રાજવામાં, પોતાની પીંડી કાપી માંસના કકડાઓ નાંખવા લાગ્યા. જેમ જેમ રાજા પીંડીને કાપીને નાખે છે તેમ તેમ પારે ભારે ને ભારે થતો જાય છે. એટલે ત્રાજવું ઉંચું ને ઉંચું રહેવા લાગ્યું. વારંવાર પારેવાને ભારે થતો દેખી, જરા પણ નહિ ગભરાતાં, મહાપરાક્રમી રાજા પતે તે બાજુના છાબડામાં બેઠે. તુલામાં આરૂઢ થયેલા રાજાને દેખી આખી સભામાં ( ત્યાં જોવા મળેલા લોકોમાં ) અને વિશેષ પ્રકારે રાજાના સર્વ પરિવારમાં હાહાકાર વર્તાઈ રહ્યો. સામંત, મંત્રી, પ્રમુખ સેવે રાજાને કહેવા લાગ્યા. હે નાથ ! અમારા ભાગ્યથી તમે આ શું આરંવ્યું છે ? આ એક પક્ષીના રક્ષણને માટે આ આખી પૃથ્વીને નિરાધાર શા માટે કરે છે ? રાજાઓને ધર્મ આ લાખો મનુષ્યનું પાલન કરવાને છે; નહિં કે એક પક્ષીને માટે લાખો મનુષ્યોને રડાવવાને.
હે રાજન ! મનુષ્ય ભાષાએ બેલ આ પક્ષી કઇ દેવ, દાનવ કે તમારે કોઈ પ્રતિ પક્ષી-શત્રુ હોય તેમ અમને લાગે છે.
રાજાએ ધર્યથી જણાવ્યું. સામત, પ્રધાને અને પ્રજાવર્ગ ! આ દીન મુખવાળો અને દીન વચને બોલનાર પક્ષી ગમે તે હે– પણ શરણે આવેલાનું રક્ષણ મારે અવશ્ય કરવું જ જોઈએ. જે રાજા શરણે આવેલા એક પ્રાણીનું રક્ષણ નહિ કરી શકે તે લાખો મનુષ્યનું રક્ષણ કેવી રીતે કરી શકશે ? તમે નિર્ભય થાઓ. આ મારું બેલેલું વચન કદિ અન્યથા નહિ થાય માટે આ સંબંધમાં તમારે મને કાંઈ પણ ન કહેવું. - રાજાને આ ચાસ-દઢ નિશ્ચય જાણું દિવ્ય વસ્ત્ર, મુકટ અને કુંડળાદિકને ધારણ કરનાર એક દેવ સભામાં પ્રગટ થઈને રાજાને આ પ્રમાણે કહેવા લાગે.
For Private and Personal Use Only