________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૨)
જણાવ્યું–ભગવાન ! જ્ઞાનીઓ સર્વ વાત જાણે છે. જિનેશ્વરના કહેલા ધર્મમાં સર્વ ધર્મોને સમાવેશ થાય છે.
આપ જેવા જ્ઞાની પુરૂષોએ અમારા કહેવા પ્રશ્નનો ઉત્તર આપે એ કાંઈ અશક્ય નથી. હે પ્રભુ! અમે સંસારસમુદ્રમાં ડૂબેલા છીએ. ભવસમુદ્રમાં જહાજ તુલ્ય જિનેશ્વર ભગવાનને કહેલ ધર્મ અમને સંભળાવો અને યોગ્યતાનુસાર અમારે ઉદ્ધાર કરે.
મુનિશ્રીએ જણાવ્યું-નૃપતિ! ધમ સાંભળવાની તમારી પ્રબળ ઇચ્છા છે તો આત્માને હિત થાય તેમ જિનેશ્વર ભગવાને કહેલ ધર્મ, હું તમને સંભળાવું છું. તે ધર્મ સાંભળીને તમારે શકત્યનુસાર તેમાં અવશ્ય પ્રયત્ન કરવો. જેને સત્યાસત્યને કે હિતાહિતનો વિવેક નથી અથવા વિવેક આવ્યા પછી સમજવા અનુસાર પ્રયત્ન કરતા નથી તેઓ દુલભ ધર્મનિધાનને પામીને રૌર(દરિદ્ર)ની માફક ઉપભેગા કર્યા સિવાય ઈ બેસે છે.
મોક્ષનગર તરફ ગમન કરવાના માર્ગ તુલ્ય તે ધર્મ, ગૃહસ્થ અને ત્યાગી એમ બે પ્રકારનો છે. ગૃહસ્થમાર્ગ સરલ છે પણ લાંબા ચક્રાવામાં જતા સડકના માર્ગની માફક લંબાણ રસ્તાવાળે છે ત્યારે ત્યાગમાર્ગ ઘણે નજીકને પણ મહાન વિષમ છે. આ માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્યોએ સર્વ પાપના વ્યાપારને ત્યાગ કરવો જોઈએ. જીવની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય સર્વથા પાળવું, મમત્વ યા મમતાને ત્યાગ કરવો, રસ્તે જોઈને ચાલવું, કોઈ જીવને દુઃખ થાય તેવી ભાષા ન બોલવી, આહાર-પાણી નિર્દોષ લેવાં. વસ્ત્ર પાત્રાદિ લેવાં મૂકવાં, મળ, મૂત્રાદિ ત્યાગ કરે તે જમીન આદિ પુજી-પ્રભાઈ કોઈ જીવને દુઃખ ન થાય તેમ કર. મનથી ખરાબ વિચાર ન કરો. વચનથી મૌન પણ ધારણ કરવું અથવા વગર પ્રજને ન બેસવું. શરીરથી કાંઈ પણ અકાર્ય ન કરવું પણ ધાર્મિક કાર્યમાં તેને યોજવું. શત્રુ મિત્ર ઉપર સરખી દષ્ટિ રાખવી. તત્વને બોધ કરે. પરની કથાને (વિકથાનો) ત્યાગ કરવો. સરલ સ્વભાવી થવું. ગુર્વાદની
For Private and Personal Use Only