________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨ આ જ્ઞાન પણ પરિણમે એમ આવી ગયું. અને સાથે જાણે પણ છે. પરિણમે છે ને જાણે છે જે સમયે પરિણમે છે તે સમયે જાણે છે, તેથી એકત્વપૂર્વક કરે છે એમ કીધું ને? આહાહા ! આવી વાત છે બાપા ઝીણી!!
સર્વજ્ઞ ત્રિલોકનાથની પ્રમાણથી વાત નીકળી છે. આહા! ગણધરો સંતો કેવળીના નિકટવાસીઓ – નજીકમાં રહીને સાંભળેલા અને અનુભવેલા, આહાહા ! એનું કહેલું આ શાસ્ત્ર છે. તેથી એ “પ્રમાણભૂત છે. આહાહા ! સમજાણું કાંઈ? આહા!
એક જ વખતે પરિણમે પણ છે પરિણામે એમાં જ્ઞાન પણ ભેગું પરિણમે છે ઈ આવી ગ્યું ને? આહાહા ! એક જ સમયે જ્ઞાન પરિણમે છે ને અનંત ગુણો પરિણમે છે. પણ એક જ સમયે જ્ઞાન પરિણમતું જ્ઞાનને જાણે છે અને બધાને જાણે છે!! છે? આહાહા! એક જ સમયે પરિણમે પણ છે અને એકત્વપૂર્વક જાણે છે બધાને પાછું હોં? જે સમયે પરિણમન થાય છે પોતાનું ને બધાં ગુણોનું, તે જ સમયે તેને જાણે છે. આહાહા!
હજી તો આત્મા કહેવો કોને ખબરું ન મળે ને, આહાહા ! એને ધરમ થઈ જાય ને, આહા ! રખડપટ્ટી કરી કરીને મરી ગયો ચોરાશીના અવતારમાં, એવાં તો અનંતવાર અવતાર કર્યા, શાસ્ત્રો પણ જાણ્યાં ને વાંચ્યાં પણ આ ભાવ આ રીતે છે એ અંદર પરિણમ્યો નહીં. એમ કીધું આંહી. આંહી “પરિણમનનું કીધું ને? આહાહા ! “એકત્વપૂર્વક એક જ સમયમાં પોતાનું જ્ઞાનનું અને અનંતગુણનું પરિણમન એક સમયમાં, તે જ સમયે તે બધાનું જ્ઞાન પણ તે સમયે કરે! આહાહા ! પરિણમવું ને જ્ઞાન કરવું એક જ સમયમાં છે. પરિણમે છે ને પછી જાણે છે એમ નથી. આહાહા સમજાણું કાંઈ? આવી વાત છે જૈન ધર્મ(માં) આ જૈન ધરમ. આહાહા !
(“એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે) “તેથી તે સમય છે' આહાહા !
“આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ” આહાહા ! સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી. એ તો એનો સ્વભાવ છે અને તે સ્વભાવમાં રહેલો છે. એટલે “ઉત્પાદ વ્યય ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે.' ત્રણ લીધાં.
સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો પરિણમે છે ઈ ઉત્પાદ વ્યય. સ્વભાવમાં છે એ ધ્રુવ. આહાહા! છે? “સદાય પરિણમન સ્વરૂપ” બાપુ! આ તો મંત્રો છે. આ કાંઈ વાર્તા નથી. આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ! જેની પાસે એકભવના મોક્ષ જનારા ઈદ્રો સાંભળે છે. એ ગલૂડિયાંની જેમ સભામાં બેઠાં હોય છે. આહાહાહા ! એ કોઈ વાર્તા નથી. કોઈ કથા નથી. આહાહા! એ ચૈતન્ય હીરલાની વાતું ચૈતન્યમણીની વાતું છે એ તો. આહાહા ! એ ચૈતન્ય હીરો કેવો છે? આહાહા ! કહે છે.. “સદાય પરિણમન', એની પર્યાયનું બદલવું સદાય ધારા છે. આહાહા ! એક ધારાવાહી સદાય પરિણમન છે. પરિણમે પર્યાય પર્યાય પર્યાય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય, ઉપાઠવ્યય થયા જ કરે. નવી ઉત્પાદ થાય જૂની વ્યય થાય. બીજે સમયે નવી ઉત્પન્ન થાય જૂની વ્યય થાય એમ પરિણમન સદાય... ક્રમસર. આહાહા!જુઓ! આમાં ક્રમસર પણ નીકળે છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com