________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૨૨૬
સમજાણું કાંઈ ?
વસ્તુ જે ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ, સચ્ચિદાનંદ સ્વરૂપ જે શુદ્ધ છે અખંડ એમાં એને મલિનતા નથી, પણ જે પર્યાયમાં મલિનતા થાય છે, એ અશુદ્ધપણું ૫૨દ્રવ્યના સંયોગથી આવે છે. સંયોગી ચીજના લક્ષે તે સંયોગીભાવ ઉત્પન્ન થાય છે. સ્વભાવભાવની દૃષ્ટિએ, સ્વભાવ તેને દૃષ્ટિમાં આવે છે, અને સંયોગીભાવના લક્ષે તેને સંયોગીભાવ લક્ષમાં આવે છે. અશુદ્ધતા તેને દૃષ્ટિમાં આવે છે, એ ૫૨દ્રવ્યના સંયોગથી આવે છે, છે ? આહાહા ! ઝીણી વાતું બહુ બાપુ મારગ આ તો. વીતરાગસ્વરૂપ છે પ્રભુ. જો તે વીતરાગસ્વરૂપ ન હોય તો વીતરાગતા અને સર્વજ્ઞતા ક્યાંથી આવશે ? તે કાંઈ બહારથી આવે તેવું છે ? આહાહા ! વીતરાગસ્વરૂપે પ્રભુ આત્મા છે. પણ એને આ રાગ જે દેખાય છે તે સંયોગજનિત પર્યાય અશુદ્ધ-મલિન છે. આહાહા ! ત્યાં જોયું ? ‘ અશુદ્ધપણું ૫૨દ્રવ્યના સંયોગથી આવે છે ' છે. પર્યાયમાં અવસ્થામાં બિલકુલ રાગ છે જ નહીં એમ નથી રાગ પણ છે એ અપેક્ષાએ સત્ય છે સત્ય છે એટલે કે છે એમ. નથી જ એમ નહીં અસત્ છે એમ નહીં. આહાહા !
( શ્રોતાઃ રાગ ભ્રમણાથી ઉત્પન્ન કર્યો છે ? ) હૈં ? ભ્રમણા, એ રાગ પોતે ઉત્પન્ન કર્યો એ જ ભ્રમણા છે, સ્વરૂપમાં રાગ નથી, અને સંયોગને લક્ષે ઉત્પન્ન કર્યો એ જ મિથ્યાત્વ ને ભ્રમ છે. આહાહા ! પણ ભ્રમ પણ છે, ભ્રમ નથી એમ નહીં. આહાહા ! પર્યાયમાં એ અશુદ્ધતાની અવસ્થા છે તેથી ભ્રમ પણ છે કે આ હું છું, એ ભ્રમ પણ છે અને છે એ અપેક્ષાએ ભ્રમ સત્ય છે. છે એ અપેક્ષાએ, ભલે ત્રિકાળ નથી માટે અસત્ છે, પણ વર્તમાનમાં છે. બિલકુલ નથી જ એમ કોઈ કહે તો એ તો વસ્તુની પર્યાયને જ જાણતો નથી, દ્રવ્યને તો જાણતો નથી, આહાહા ! પણ તેની પર્યાયને ય તે જાણતો નથી.
અશુદ્ધપણું ૫૨દ્રવ્યના સંબંધથી આવે છે સંયોગ એટલે સંબંધ, સંયોગ કરાવતું નથી. ૫૨દ્રવ્યનો સંયોગ અશુદ્ધપણું કરતું નથી, પણ ૫૨દ્રવ્યના સંયોગે અશુદ્ધપણું પોતે ઊભું કરે છે. સમજાણું કાંઈ ? આવી વાત છે બાપુ ! ઝીણી વાતું બહુ. અનંતકાળમાં એણે આત્મા શું ચીજ છે એને વાસ્તવિક જાણવાનો પ્રયત્ન જ કર્યો નથી, બાકી બધા પ્રયત્નો કરી કરીને મરી ગ્યો બહારથી. આહાહા!
"
,
ત્યાં મૂળદ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી ' એટલે શું કહે છે ? અશુદ્ધતા પ૨દ્રવ્યના સંબંધે આવે છે, સંબંધ કરે છે માટે, હોં ? ૫૨ને લઈને વિકાર થાય છે એમ નહીં.
હવે, ‘મૂળદ્રવ્ય તો અન્યદ્રવ્યરૂપે એટલે વિકારરૂપે થતું જ નથી ' એટલે અન્ય દ્રવ્ય રાગ એ ખરેખર વસ્તુ નથી. આહાહા ! અંદર ! ભગવાન આત્મામાં, જે કંઈ પુણ્ય ને પાપનો ભાવ થાય, તે અન્ય દ્રવ્ય છે નિશ્ચયથી. તો સ્વદ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે થતું નથી. આહાહા ! વસ્તુ છે તે વિકા૨૫ણે થતી જ નથી ત્રણકાળમાં. આહાહા !
‘ ત્યાં મૂળ દ્રવ્ય તો ’ મૂળદ્રવ્ય લીધું છે ને ? આ તો ઉત્પન્ન થયેલી દશા કીધી, સંયોગના સંબંધે ઉત્પન્ન થયેલો અશુદ્ધ ભાવ એ છે, પણ મૂળદ્રવ્ય જે છે, એ તો અન્ય દ્રવ્યરૂપ મલિનતારૂપે થયું જ નથી. અન્ય દ્રવ્યના સંયોગે થતો (ભાવ ), પણ એ ખરેખર તો અન્ય દ્રવ્ય છે. વસ્તુનું સ્વરૂપ નથી. આહાહા ! આવું સમજવું હવે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com