________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૩૫ શું બાપુ! લોકોને અત્યારે... આહાહા! હા દેવ ગુરુ ધરમની શ્રદ્ધા કરો! બસ ઈ સમકિત ! હવે, વ્રત લઈ લ્યો ! પણ આંહી કહે છે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો ભાવ આવ્યો, એ શાસ્ત્રમાં કહ્યો છે પણ છે એ રાગ અને એનું ફળ સંસાર (છે). આહાહા! સમજાણું કાંઈ ?
શાસ્ત્રને વાંચો, ખૂબ સાંભળો. એમ શાસ્ત્રમાં આવે, પણ એનું ફળ તો વિકલ્પ છે ને વિકલ્પનું ફળ તો બંધન છે. આહાહાહા ! સમજાણું કાંઈ? પુસ્તક હાથમાં લઈને માથે (મૂકીને) એવો વિનયનો ભાવ, સમકિતીને ય આવે, પણ છતાં એ રાગ છે અને એ રાગનું ફળ તો બંધન છે. અજ્ઞાનીની તો વાત શું કરવી? અજ્ઞાનીને તો નિશ્ચય નથી ને વ્યવહારે ય નથી. એકેય નથી એને તો કાંઈ. આહાહા !
( શ્રોતા જ્ઞાની તો રાગ ને હેય માને છે) હેય માને છે અને ઓલો તો ભલો માને છે. આહા ! આહાહા ! (શ્રોતાઃ હેય માને તો ફરી સંસાર ક્યાંથી થાય?) છતાં સંસાર છે ને રાગ
છે ને!
જ્ઞાની હેય માને છે તે માન્યતા છે. પણ ભાવ છે એનું શું ફળ? (શ્રોતાઃ ભાવ જ સંસાર છે?) હા, એ ભાવ જ સંસાર છે, જગત છે, ભવ કરશે. આહાહા ! કીધું ને? એ જગપંથ છે. મુનિના પંચમહાવ્રતના અઠાવીસ મૂલગુણના પરિણામ એ પણ જગપંથ છે, સંસારનો પંથ છે. આવે છે ને સમયસાર નાટકમાં, મોક્ષ અધિકારનો ચાલીસમો બોલ છે. સમયસાર નાટક! આહાહા !
ત્રણ બોલે તો નિશ્ચય વ્યવહારનું સ્પષ્ટીકરણ કરી નાખ્યું છે. વ્યવહાર હોય છે અને જિનવાણીએ પણ જણાવ્યો છે કે સમ્યગ્દષ્ટિ જ્ઞાની અંતરમાં સ્વરૂપની રમણતાવાળો ચારિત્રવંત એને પણ પંચમહાવ્રતના વિકલ્પો હોય છે, એમ જિનવાણીએ કહ્યું છે. આહાહાહા ! પણ તે પંચમહાવ્રતના વિકલ્પોનું ફળ. બંધન ને સંસાર છે.
આવી વાત વીતરાગ સિવાય કોણ કરે? બધા પક્ષનાં બાંધીને બેઠા ને? છે? જિનવાણીમાં, પણ એનું ફળ જિનવાણીમાં કહેલા વ્યવહારનું ફળ સંસાર (છે) અજ્ઞાનીએ કહેલા વ્યવહારની વાત તો ક્યાંય ( દૂરી રહી ગઈ. આહાહા!
ઈશ્વર કર્યા છે ને ઈશ્વરની ભક્તિ કરો ને એની તો વાત અહીં છે જ નહીં. આંહી તો પરમાત્મા ત્રિલોકનાથ તીર્થકર સર્વજ્ઞદેવ, એની ભક્તિ કરો એ શુભભાવ છે. એ આવે માટે જિનવાણીએ જણાવ્યું છે, પણ એનું ફળ બંધન છે. સમજાણું કાંઈ ? આહાહાહા!
શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી. જોયું? પક્ષ નામ આ શુદ્ધ ચૈતન્ય છે તેનો આશ્રય કદી આવ્યો નથી. આહા! છે? એનો ઉપદેશ પણ વિરલ છે. આહાહા ! પક્ષ કદી આવ્યો નથી. કદી નથી આવ્યો એનો અર્થ એ કે શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એનો આશ્રય એક ક્ષણ પણ કોઈ દી' આવ્યો નથી. નવમી રૈવેયકે ( ગયો ) અનંત વાર મુનિ દિગંબર થયો ને હજારો રાણી છોડી અને પંચમહાવ્રત નિરતિચાર એને માટે ભોજન કરીને આપે તો પ્રાણ જાય તો પણ ન લ્ય, એવું અનંતવાર પાળ્યું પણ એણે શુદ્ધ ચૈતન્ય પ્રભુ અંદર ભિન્ન છે, આ ક્રિયાકાંડના વિકલ્પથી, એનો આશ્રય ન લીધો, એનો પક્ષ ન કર્યો. આહાહા ! સમજાણું કાંઈ? આહાહાહા ! (શ્રોતાઃ પક્ષનો અર્થ શો?) આશ્રય. ઓલો-વ્યવહારનો પરાશ્રય છે, આનો સ્વઆશ્રય ન લીધો. એ કહેશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com