________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુતિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું-એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે.* વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે; પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાતિ તો થઈ નથી, તેથી ઊલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે.માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધઆત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
પ્રવચન નં. ૪૫
ગાથા-૧૨
તા. ૨૮-૭-૭૮ હવે, એ વ્યવહારનય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, એટલે? અથ bષચિન્હવાવિવેfu yયોનનવાના થત: છે ને સંસ્કૃતમાં અહીં, કોઈને કદાચિત્ એમ કોઈ કોઈને કદાચિત્ એમ. કોઈ કોઈને અને કોઈ કાળે-જ્યાં સુધી વ્યવહાર એને હોય છે–નિશ્ચયસહિત વ્યવહાર હોય છે. આત્માના અવલંબનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટયું છે, અને પૂરણ નથી એટલે રાગની મંદતાનો વ્યવહાર હોય છે, તેથી કોઈને કોઈ કોઈને એટલે આ જીવને અને કોઈ વખતે એટલે જ્યાં સુધી નિશ્ચયસહિત વ્યવહાર હોય છે ત્યાં સુધી. પ્રયોજનવાન એટલે જાણેલો પ્રયોજનવાન છે. આ અર્થમાં મોટા વાંધા ઉઠાવે છે! કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. તેનો અર્થ સંસ્કૃત ટીકામાં જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. આદરણીય નહીં. આહાહા !
સ્વરૂપની દૃષ્ટિ થઈ છે જ્ઞાનચારિત્રાદિ થયાં અને એની સાથે રાગની મંદતાનો દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, ભક્તિ, વ્રતના વિકલ્પ હોય, એ કાળે જેટલો રાગ છે અને જેટલી શુદ્ધતા થોડી છે અને અશુદ્ધતા છે તેને તે કાળે તેટલો તે પ્રકારે જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા !
જાણેલો પ્રયોજનવાન છે. આ મોટી તકરાર આમાં છે.
સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી; એટલે કે વ્યવહાર નથી જ. એમ નથી. જ્યાં સુધી વીતરાગ દશા ન થાય, ત્યાં સુધી જ્ઞાનીને, મુનિને, સમકિતીને પણ અંતરના આશ્રયે સમ્યગ્દર્શન જ્ઞાન થયા છતાં, રાગની મંદતાનો ભાવ એને હોય છે. સમજાણું? સર્વથા નિષેધ... નથી જ વ્યવહાર, એથી કરીને વ્યવહારથી નિશ્ચય થાય એમ વાત નથી. “નિષેધ કરવા જેવો નથી' એટલે વ્યવહારનો નિષેધ કર્યો એટલે કે વ્યવહારથી પણ લાભ થાય, એ અહીં વાત નથી. આહાહા
વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી.
Please inform us of any errors on [email protected]