Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 499
________________ Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates ગાથા ૧૨ ૪૮૫ પર્યાયમાં પૂરણ થઈ ગઈ એમ. આહાહા ! હવે આવું કયાં... ધંધા આડે સૂઝે આમાં. આહાહા ! આખો દિ’ પાપના ધંધા. એમાં સાંભળવાના મળે નહીં સાચાં. અરે ! એને કયારે વખત મળે ? વખત મળે ત્યારે પાછા વાંધા કાઢે. – કે આ શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન કીધો એ કેવળીને નહીં, કેમ કે એને શુદ્ઘનય તો સાતમે, આઠમે, નવમે શ્રેણીવાળાને શુદ્ઘનય છે, પણ ત્યાં તો પૂરણ થઈ ગયું એમ કહે છે. પણ એમ નથી. શુદ્ઘનયની પૂરણતા મધ્યમદશાવાળાને છે નહીં, ચૌદમી ગાથામાં કહ્યું છે ને, અનુભવ કહો કે શુદ્ઘનય કહો કે આત્મા કહો, બાપુ ! કઈ અપેક્ષા છે ભાઈ ! આહાહા ! જ્યાં ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, અતીન્દ્રિય અમૃતના સાગ૨થી ભરેલો ભગવાન છે. આહાહા ! એને જેણે ધ્યેય બનાવ્યું અને ધ્યાનમાં તેનો વિષય બનાવ્યો. આહાહા ! તેને સમ્યગ્દર્શન જ્ઞાન થયું, તેનો વિશેષ આશ્રય હોય તો ચારિત્ર પણ થયું, પણ પૂરણ આશ્રય નથી, એથી એને મધ્યમ દશા વર્તે છે. સમ્યગ્દર્શન ચારિત્રની મધ્યમ દશા વર્તે, પૂરણ જો હોય તો તો તેને શુદ્ધનયનું પૂરણરૂપ પર્યાયનું એ આવી ગયું. દ્રવ્યનો તો આશ્રય શુદ્ધનય છે જ. પણ પર્યાયને પણ શુદ્ઘનય કીધી છે. તો ઈ શુદ્ઘનયનું પૂરણરૂપ તો પ્રગટ થઈ ગયું ભગવાનને, એટલે એને કંઈ હવે... વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે ઈ વાત એને રહેતી નથી. પણ કોને ૨હે છે એ વાત ? જેણે આ આત્માનો આશ્રય લીધો, સમ્યગ્દર્શન થયું, સમ્યગ્નાન થયું, શાંતિ પણ પ્રગટી થોડી, પૂરણ શાંતિ નથી, એથી પર્યાયમાં શાંતિની પર્યાયનો પણ ભેદ અને અશાંતિ એટલે રાગનો પણ ભેદ, એવા અનેક ભાવને બતાવનારી (વ્યવહા૨નય ) છે ? એવા અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી, કહેનાર નામ જાણેલ હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ શુદ્ઘનયનો અંશ તે પર્યાય નિર્મળ શુદ્ધનો અંશ. અને અશુદ્ધ( નો અંશ ) એ ભિન્ન ભિન્ન ભાવ છે. આહીં અનેક ભાવ છે, કેવળીને એકરૂપ છે એવું આંહી નથી. શુદ્ધનો પણ અંશ છે અને અશુદ્ધનો પણ અંશ છે. એવા જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડયા છે. એવો વ્યવહારનય, વિચિત્ર વર્ણમાળા ઓલામાં પ્રતિવર્ણિકા હતું, સુવર્ણનું એકરૂપ એમ સર્વજ્ઞને જ્ઞાનની પૂરણ દશાનું એકરૂપ, આનંદની પૂરણ દશાનું એકરૂપ. સોનાનું એકરૂપ એમ એની દશાનું એકરૂપ. હસમુખભાઈ ! આવું છે. અરે આવું ટાણું મળ્યું મનુષ્યપણું, એમાં ક૨વાનું તો આ છે. બાકી આ ન કર્યું તો થઈ રહ્યું થોથાં પાછાં... ઈ ચોરાશી લાખના અવતાર ! અજાણ્યા... દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં જવાનું, બાપા ! આ તો જાણીતો જ્યાં આત્માને કર્યો, આહાહા ! વસ્તુ ચૈતન્ય સ્વરૂપ છે, અને ધ્રુવ ને પર્યાય બે છે, એમાં પર્યાયે જેણે ધ્રુવને પકડયો. આહાહા ! અનિત્યે નિત્યનો નિર્ણય કર્યો. ત્યાં સમ્યગ્દર્શન જ્ઞાન પ્રગટ થયું, ચારિત્રની સ્થિરતાનો એક અંશ પણ પ્રગટ થયો તેથી તે દશાને મધ્યમ દશા કીધી. પૂરણદશા નથી, જઘન્યદશા તો ઓળંગી ગઈ છે, સમ્યક્ત્વ થતાં જ. આહા ! વચલી દશામાં વર્તે છે એને શુદ્ધનો અંશ છે પર્યાયમાં અને અશુદ્ધનો અંશ છે એ પણ પર્યાયમાં, એવા જુદા જુદા અનેક ભાવોને દેખાડયા છે. આહાહા ! વિકારી ભાવને પણ ને અવિકારી ભાવને પણ, જુદાં જુદાં અનેક ભાવો છે એને જેણે દેખાડયા છે ? દેખાડયા છે. એવો વ્યવહારનય વિચિત્ર વર્ણમાળા સમાન આંહી વિચિત્ર વર્ણમાળા સમાન, ઓલામાં એક વર્ણમાળા સમાન. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558