Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 511
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨ ૪૯૭ એક આત્માના ગુણોની સંખ્યાની હદ નહીં, આહા હા ! ક્ષેત્રનું પણ જ્યાં મા૫ હદ ક્યાંય નહીં, કાળની કયાંય હદ નહીં, ભૂત ને ભવિષ્યની. આહાહા! કે આંહીથી શરૂ થયું ને આંહી પૂરું થયું એવું છે કયાંય? એવી એની ગહનતા. એમ જ એ ભગવાન આત્મામાં અનંત જે ગુણો છે, એ ગુણોની સંખ્યાની પણ ગંભીરતાનો પાર ન મળે, હદ ન મળે, ભલે ક્ષેત્ર આટલું શરીર પ્રમાણે. આહાહા ! એવા અનંતગુણો અનંતનો અંત નહીં એટલા અનંત એમ. અને એવા અનંતગુણોની અનંતતાની હદ નહીં એટલા અને એક ગુણની પણ શક્તિની હદ નહીં એવી એક શક્તિ એની. આહાહાહા ! કેમ કે એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ, તો ગુણ કેટલા? કે હુદ નહીં, અંત નહીં. આહાહાહા ! એટલા ગુણોનું એક ગુણમાં રૂ૫. આહાહાહા ! તો એક ગુણની પણ હદ નહીં. આહા! બાપુ! મારગડા કોઈ જુદા છે ભાઈ ! આહાહા ! એવો જે એક ગુણ તેની પણ જ્યાં હદ નહીં કે આંહી ગુણ પૂરો થઈ રહ્યો, એમ નથી ક્યાંય. આહાહાહા ! એવા અનંતગુણનું એકરૂપ વસ્તુ તે નિશ્ચય છે, જે કાયમ છે તે નિશ્ચય છે, અને જે જાય ને થાય તે વ્યવહાર છે. આહાહા! સંસારનો પર્યાય થાય છે, એ જાય છે, મોક્ષનો પર્યાય થાય છે. ફરીને, મોક્ષનો પર્યાય થાય છે ને ? એ કાંઈ છે નહીં ત્રિકાળ. આહાહાહા ! આ તો ગહન વાતું છે પ્રભુ! શું કહીએ? આહાહાહાહા ! એ ગંભીરતાની હદ લેવા જાય, ત્યાં દષ્ટિ નિર્વિકલ્પ થાય. દષ્ટિમાં મર્યાદિત રાગ રહે, ત્યાં સુધી તેની બેહદ શક્તિનો સ્વભાવ અને પ્રતીતમાં ન આવે, એના જ્ઞાનમાં ન આવે. કારણ કે રાગ છે તે સીમાવાળો ને હદવાળો ને મર્યાદિત છે. આહાહા! અને અરાગ જે સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાય, તે સમ્યજ્ઞાનની પર્યાય પણ બેહુદ છે. આહાહા ! કેમ કે એ પોતે બેહદ ગુણ દ્રવ્યને પોતે જાણે ને માને છે. આહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ આ તો....... એ સમ્યજ્ઞાનની એક સમયની પર્યાય, અમાપ એવા ગુણો ને અમાપ એવાં એક ગુણનું સામર્થ્ય, એવા અનંતગુણનું એકરૂપ, જેની પર્યાયમાં જાણવામાં આવે એ પર્યાય કેવડી મોટી ? આહાહાહા ! એ પર્યાયના પણ અવિભાગપ્રતિચ્છેદ કરવા જાય તો અંત નહીં એટલા છે. આહાહાહા ! ઝીણો મારગ બહુ ભાઈ ! સત્ય છે ઈ કોઈ અલૌકિક વાતું છે. આહા! એ ચીજ જે ત્રિકાળી વસ્તુ છે, જેમાં હલચલ નથી, જેમાં પલટવું નથી, જેમાં નાશ થવું નથી, જેમાં ઊપજવું નથી. એવો જે ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ, એ સમ્યગ્દર્શનનો વિષય એ નિશ્ચય. આહાહા ! અને જે પર્યાય પ્રગટી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન મહાગંભીર, પદાર્થને જાણીને અને પ્રતીત કરીને, પણ છતાં એ પ્રગટી પર્યાય તે વ્યવહાર છે. આહાહાહાહા! અને એની સાથે વ્રતાદિનો વિકલ્પ રહે, એ અસભૂત વ્યવહાર છે. આહાહા! એ અસભૂત વ્યવહાર એ ધરમ નથી કાંઈ, તેમ તેનું ફળ કેવળજ્ઞાન એ એનું ફળ નથી. આહાહાહા ! પણ એ નિર્મળ પર્યાયની સાથે વ્યવહારનો વિકલ્પ કઈ મર્યાદાનો હોય છે એવું જણાવી ને એને વ્યવહારધર્મ કહ્યો ઉપચારીક સમજાણું કાંઈ? વાસ્તવિક તો વ્યવહારધર્મ એ છે. ભગવાન આત્મા બેહદ અપરિમિત સ્વભાવનો સાગર. આહાહા ! એ કેવળજ્ઞાનમાં માપ આવે. પણ છે વસ્તુ અનંત શક્તિઓ અને શક્તિઓનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558