________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બન્ને નયોને ન છોડો કારણ કે વ્યવહારનય વિના તો તીર્થનો-વ્યવહારધર્મનો નાશ થઈ જશે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જે મોક્ષમાર્ગની પર્યાય છે જે ભેદરૂપ દશા છે. ત્રિકાળી અભેદની અપેક્ષાએ, એ મોક્ષનો માર્ગ છે એ પણ ભેદરૂપ વ્યવહારધર્મ છે. આહાહા ! સમજાણું કાંઈ?
(શ્રોતાઃ) કોઈ ઠેકાણે વ્યવહાર કહે ને કોઈ ઠેકાણે નિશ્ચય કહે એમાં અમારે નિર્ણય શી રીતે કરવો?
(ઉત્તર) ઈ કઈ અપેક્ષાએ નિશ્ચય છે? રાગની તીવ્ર-મંદ દશા છે ત્યારે એની અપેક્ષાએ રાગને જ્યારે વ્યવહાર કહ્યો ત્યારે નિર્મળ પર્યાયને નિશ્ચય કહેવો. પણ આંહી જ્યારે ત્રિકાળને નિશ્ચય કહેવો ત્યારે ભેદને વ્યવહાર કહેવો, આમ છે. વસ્તુની સ્થિતિ તો આમ છે. આહાહા ! નિર્મળ પર્યાય એ તો આંહી તો નાખી બારમી ગાથામાં ભિન્ન ભિન્ન પર્યાય નિર્મળ ને રાગ એ અનેક પ્રકાર થયા એક જાત ન થઈ, એ બેયને જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું છે. એને બેયને જાણવું એ વ્યવહારનયનું પ્રયોજન છે. આહાહા !
જે મોક્ષનો મારગ છે એ પર્યાય છે અને એની હારે અસભૂત વિકલ્પ, વ્રતાદિનો હોય છે એ પણ વિકારી પર્યાય છે એટલે બે જે થયાં અનેક થયાં. ઈ અનેકને તે રીતે જાણવું તે વ્યવહાર છે. અને ત્રિકાળીને જાણવું તે નિશ્ચય છે. આરે આવી વાતું છે. પ્રગટે અને નાશ થાય એ ખરેખર તો વ્યવહાર છે, ઉત્પાવ્યય છે. અને ધ્રુવ જે ત્રિકાળ છે તે નિશ્ચય છે, જેમાં ઊપજવું નથી બદલવું નથી, વ્યય થવું નથી, એકરૂપ જે અનંત ગુણનો રાશિ પ્રભુ! આહાહાહાહા !
એક પરમાણુનો એક સત્તા ગુણ લ્યો તોય પણ એટલો સરખો. અને એક આકાશનો સત્તા ગુણ લ્યો અનંતગુણો પહોળો તો પણ એ સરખો. આહાહા!
(શ્રોતાઃ શક્તિ અને ભાવ અપેક્ષાએ સરખાં છે) એ, એ રીતે જ સરખાં છે. ક્ષેત્રથી પહોળો માટે મોટો છે એમ નહીં. (શ્રોતાઃ ભાવ અપેક્ષાએ મોટું ને?) એક જ છે, ક્ષેત્રથી મોટું માટે મોટું છે ઈ વાત જ નહીં આંહીયા.
એમ ભગવાન આત્મા અંગુલના અસંખ્ય ભાગમાં અનંત આત્માઓ છે એક એક આત્માની સત્તા... આહાહા ! “હોવાપણે જે છે” એ પૂરણ છે; અને એ આત્માની સત્તા, કેવળ સમુદ્દઘાત કરે ત્યારે પણ સત્તા તો, સત્તા છે એ સત્તા જ છે, એ સત્તા મોટી થઈ ને આંહી સત્તા નાની થઈ એમ નથી. ગહન વાત છે ભાઈ !
વીતરાગ મારગ તો સમજવો બહુ કઠણ છે. આહાહાહાહા!
એ આંહી કહે છે કે વ્યવહાર વિના તો તીર્થ વ્યવહારધર્મ. પર્યાય જે છે એ જ વ્યવહાર છે. પંચાધ્યાયીમાં તો ચોખ્ખું પર્યાય તે વ્યવહાર ને દ્રવ્ય તે નિશ્ચય, એમ ચોખ્ખું લીધું છે. અને અહીંયાં પણ અગિયારમી ગાથામાં વ્યવહાર બધો અભૂતાર્થ છે એમ કહીને, બધો અભૂતાર્થ છે એમ કહીને એની પર્યાયનો ભાવ પણ અભૂતાર્થ છે એમ કહીને નિષેધ કર્યો છે. આહાહા !
એક ત્રિકાળ ભગવાન, અનંત અનંત ગુણ ઈ અનંતની કોઈ હદ નહીં. આહાહાહાહા ! જેમ ક્ષેત્રની કોઈ હદ નહીં, કે ક્ષેત્ર કયાં થઈ રહ્યું પૂરું, લોકની બહાર અલોક કયાં પૂરું થયું? શું છે આ તે વાત ! એ ક્ષેત્રની જ્યાં હદ નહીં, અંત નહીં, એવી જ રીતે કાળનો કોઈ અંત નહીં, કયારથી કાળ શરૂ થયો? આહાહાહા ! અનાદિ! એવી રીતે ભાવની કોઈ સંખ્યાની હદ નહીં,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com