Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 555
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪ ૫૪૧ કોઈ અપેક્ષાએ કહેવાથી ત્રિકાળને નિત્ય કહીને પર્યાયને અનિત્ય કીધી, ત્રિકાળને શુદ્ધ કીધું પર્યાયને અશુદ્ધ કીધી. એ અપેક્ષાએ બે નયનો વિષય વિરોધ હોવા છતાં મટાડી દે છે. એ હોય છે, એ રીતે હોય છે. જુઠી કલ્પના કરતું નથી. વીતરાગ વાણી કોઈ કલ્પનાથી થઈ નથી, એ તો સત્ છે તે રીતે પાણી આવી છે. આહાહા ! - જિનવચન, દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક બે નયોમાં, દ્રવ્યાર્થિક એટલે ત્રિકાળી દ્રવ્ય, એને જાણનારો નય અને પર્યાય એટલે વર્તમાન અવસ્થાને જાણનારો નય પર્યાયાર્થિક બે નયોમાં પ્રયોજનવશ, જરૂરિયાતને કારણે પોતાના લાભ થવાને કારણે, શુદ્ધ દ્રવ્યાર્થિકનયને મુખ્ય કરી. આહાહા ! પોતાનું પ્રયોજન સુખનું છે. એ સુખની પ્રાપ્તિને કારણે શુદ્ધ દ્રવ્યાર્થિકનયને મુખ્ય કરીને તે છે એમ કીધું છે. આહાહા ! સમજાણું કાંઈ? આત્માનું પ્રયોજન તો સુખી થવાનું છે ને? સુખી થવાના પ્રયોજનને માટે શુદ્ધ દ્રવ્યાર્થિકનયને મુખ્ય કરી તેને નિશ્ચય કહ્યો, તે છે તે સત્ છે એમ કહ્યું.. અને અશુદ્ધ દ્રવ્યાર્થિકરૂપ. એટલે શું? અશુદ્ધ છે તો વ્યવહારનો વિષય આ પર્યાયાર્થિક, પણ એ દ્રવ્ય પોતે પર્યાયપણે અશુદ્ધપણે પરિણમ્યું છે. પર્યાયપણે હોં, એથી અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહ્યું. કર્મને લઈને નહિ, પરને લઈને નહિ. એ દ્રવ્ય પોતે પર્યાયમાં અશુદ્ધપણે પરિણમ્યું છે. એ પર્યાયમાં હોં – દ્રવ્ય પોતે અશુદ્ધ થતું નથી. આહાહા ! એ દ્રવ્ય પોતે પર્યાયમાં અશુદ્ધપણે, અશુદ્ધ દ્રવ્યાર્થિકરૂપ એને કહ્યું. વિકારપણે પરિણમે છે જે પર્યાય એને અશુદ્ધ દ્રવ્યાર્થિક કહી એટલે જે દ્રવ્ય છે તેનો એ પર્યાય છે. પણ એ અશુદ્ધ છે એથી એને અશુદ્ધદ્રવ્યાર્થિક કીધી, એ અશુદ્ધ દ્રવ્યાર્થિક પોતે પર્યાય છે. આહાહા..! એ પર્યાયાર્થિક નયને ગૌણ કરી, નથી એમ નહિ, પણ એને ગૌણ કરી, અને ત્રિકાળીને, નિશ્ચયને મુખ્ય કરી અને તેને વ્યવહાર કહે છે. આહાહાહા ! પર્યાય માત્ર હોવા છતાં, અશુદ્ધતા હોવા છતાં, તેને ગૌણ કરીને વ્યવહાર કહે છે. અને ત્રિકાળને મુખ્ય કરીને નિશ્ચય કહે છે, ત્રિકાળને મુખ્ય કરીને પર્યાયને નથી, એમ કહેતા નથી. ગૌણ કરીને નથી એમ કહ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ ? હવે, આવા નવરાશ ક્યાં, આમાં લેવી ? બાયડીઓને આખો દિ' ધંધા રાંધવું ને, સૂપડે સોળવું ને, પાપડ કરવાને, શું કહેવાય વડી ને, છોકરાને સાચવવાને, નિશાળે જવા પહેલા એને રાંધીને ખવડાવવું પહેલું ને નહીંતર ટાઈમ થઈ જાય, આહાહા! અરેરે! આવા વખતમાં આ ક્યાં નિર્ણય કરવા આવો બધો, અને વખત તો હાલ્યો જાય છે પ્રભુ! આહાહા ! આવા જિનવચનમાં જે પુરુષ રમણ કરે, આવા એટલે? વ્યવહારને ગૌણ કરી અને દ્રવ્યને મુખ્ય કરી, દ્રવ્યમાં જે રમે છે. એમ કહેવાનો એનો અર્થ છે. આનો અર્થ એવો કરે છે કે બેય નયમાં રમણ કરવું જિનવચંસિ, જિનવચને બે નય કીધી છે. પણ બે નયમાં એક નયને ગૌણ કરી, અને એક નયને મુખ્ય કરીને તેમાં રમવું છે. સમજાણું કાંઈ? આહાહા ! કેમકે રમવું છે એ તો પર્યાય છે, જેમાં રમવું છે એ દ્રવ્ય છે. સમજાણું કાંઈ ? તેથી તે પર્યાયને પર્યાય ઉપરનું લક્ષ છોડાવવા, પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહ્યો. અને ત્રિકાળીને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો. એવા ત્રિકાળી જે આત્મા ધ્રુવ નિત્યાનંદ પ્રભુ એ જિનવચનમાં ઉપાદેય તરીકે વર્ણવ્યો છે. કળશ ટીકામાં એ છે, જિનવચંસિ રમતે, એનો અર્થ એ કર્યો છે કે જિનવચનમાં ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય કહ્યું છે. ધનાલાલજી! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558