________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૯૯ કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, આઠ દિ' રહ્યા હતા ને આંહી આવીને આ શાસ્ત્ર બનાવ્યાં છે. આહાહા ! નિશ્ચયનય વિના એટલે દ્રવ્યના સ્વભાવની ત્રિકાળતા વિના તત્ત્વનો નાશ થઈ જશે, વસ્તુનો નાશ થઈ જશે. તત્ત્વ, નિશ્ચય ન માને તો વસ્તુ જ નથી ત્યાં કાંઈ. આહાહા !
નિશ્ચય પૂરણ સત્યને ન માને તો તો દ્રવ્યનો જ નાશ થઈ જાય છે, અને વર્તમાન પ્રગટેલી પર્યાયને નથી એમ માને તો મોક્ષનો માર્ગ જે તીર્થ છે તેનો નાશ થઈ જાય છે. સમજાણું કાંઈ ?
હવે, ભાવાર્થ:- “લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે.” સોળવલું કહે છે ને? તમારે શું કહે હિન્દીમાં? સોળવલું. પૂરણ સોળવલું સોનું. “પંદર વલા સુધી તેમાં ચૂરી આદિ, ત્રાંબુ આદિ, કથીર આદિ પરસંયોગની કાલિમાં રહે છે ” ચૌદવલા, પંદર વલા સુધીના સોનામાં, ત્રાંબાનો કે કથીરનો અંશ ભેગો રહે છે, સોળ વલામાં એ અંશ રહેતો નથી. સોળવલું ચોખ્ખું સોનું થઈ જાય છે. તેથી અશુદ્ધ કહેવાય છે. સોનામાં તેર વલું ને ચૌદ વલું એ અશુદ્ધ કહેવાય છે. પૂરણ સોળ વલું નથી માટે. અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે, અગ્નિની આંચ દેતાં સોનાને, છેલ્લા તાપ દઈને સોળ વલું પૂરું થાય, “ત્યારે સોળ વલું શુદ્ધ સુવર્ણ કહેવાય.”
આ તો તમારા સોનાની વાતું છે ઘરની. આહાહા ! હવે એ તો દેષ્ટાંત થયો.
જે જીવોને સોળવલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન ને પ્રાપ્તિ થઈ તેમને પંદર વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી. એટલે કે એને પંદર વલું છે જ નહીં, છે જ નહીં પછી એને પ્રયોજનવાન કયાં રહ્યું? સોળવલું થયું એને ચૌદવલું પંદરવલું છે જ નહીં. એથી એનું પ્રયોજન એને કાંઈ નથી. આહાહા !
અને જેમને સોળ વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર વલા સુધીનું પ્રયોજનવાન છે. પ્રયોજનવાન છે એટલે કે એટલું છે તે જાણવું જોઈએ. બરાબર એને જાણવું જોઈએ કે આ તેર વલું છે, કે ચૌદ વલું છે કે પંદર વલું છે એમ જાણવું જોઈએ પ્રયોજનવાન છે. એને સોળ વલું માની લે, તો ભૂલ છે. અને પંદર વલું છે એને ન માને તો ય ભૂલ છે. આહાહા ! આ તો દાંત થયો.
એવી રીતે આ જીવ નામનો પદાર્થ” ભગવાન આત્મા અંદર. આહાહા ! જીવ નામનો પદાર્થ, જીવ એ પદ શબ્દ, જીવ પદ બે અક્ષર થયા ને પદ. અને અર્થ એ જીવ વસ્તુ છે. જેમ સાકર શબ્દ છે એ પદ અને સાકર વસ્તુ છે એટલે એનો અર્થ એટલે પદાર્થ છે. એમ જીવ શબ્દ છે એ પદ , અને જે વસ્તુ છે અર્થ, એ અર્થ એ વસ્તુ છે એ પદાર્થ છે. જીવ નામનો પદાર્થ છે, તે પુગલના સંયોગથી પુદ્ગલનો નિમિત્તરૂપે સંયોગ હોવાથી, અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. છે અશુદ્ધરૂપ પોતાને કારણે પણ એને પુદ્ગલનો નિમિત્તરૂપે સંયોગ છે. એ નિમિત્તના સંબંધમાં, એની અશુદ્ધતા જીવની પર્યાયમાં થઈ રહી છે. છે? પુગલના સંયોગથી, સંયોગથી કીધી છે, સંયોગ એટલે બીજી ચીજ છે એમ એટલું. પણ થઈ છે અશુદ્ધતા અનેકરૂપ થઈ ઈ પોતાની પર્યાયમાં. આહાહાહા ! સમજાણું કાંઈ ?
જીવ નામનો પદાર્થ છે તે પુદ્ગલના સંયોગથી સંબંધથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે.” એ સંબંધ પોતે કર્યો છે માટે અશુદ્ધ થયો છે. આહાહા ! સમજાણું કાંઈ ? તેના સર્વ પદ્રવ્યોથી ભિન્ન, તેને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, “એક જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન” આહાહા ! સર્વ પરદ્રવ્યોના સંબંધથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com