________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ “જુઓ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણી” એમ કહ્યું છે ને પાછું, આવશે, એમાં તરત પછી આંહી શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી. એટલે કે આત્માને ગ્રહ્યો જ નથી કોઈ દી'. આહાહા ! અખંડાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્ય એની તો દૃષ્ટિ કદી કરી નથી, આમ તો અગિયાર અંગ ભણ્યો છે, પંચમહાવ્રત પાળ્યા પણ આ શુદ્ધ છે ચૈતન્ય એનો આશ્રય કર્યો નથી. બધો વ્યવહારનો આશ્રય કરીને રોકાઈ ગયો છે. આહાહા!
શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી, એટલે શું? જેનું ફળ મોક્ષ છે, એવો જે દ્રવ્યનો આશ્રય તો કદી આવ્યો નથી. એ આંહી કહે છે પાછું એનું ફળ મોક્ષ છે એમ બતાવવું છે. જેમ ઓલા-વ્યવહારને જેમ જિનવાણીએ કહ્યો, એનું ફળ સંસાર છે, અને આ શુદ્ધનયનો પક્ષ છે આશ્રય, એનું ફળ મોક્ષ છે. સમજાણું કાંઈ? આહા! એનો પક્ષ આવ્યો નથી, અને એનો ઉપદેશ પણ વિરલ છે, એનો ઉપદેશ જ વિરલ ક્યાંક છે. બાકી તો બધે ય બહુધા મિથ્યાત્વનો (ઉપદેશ) વ્યવહારની શ્રદ્ધા છે. | વિશેષ કહેવાશે. (પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૪૩ ગાથા - ૧૧ તા. ૨૫-૭-૭૮ મંગળવાર, અષાઢ વદ-૬ સં. ૨૫૦૪
સમયસાર અગિયારમી ગાથાનો ભાવાર્થ. આંહીં સુધી આવ્યું છે, “શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી,”શું કહ્યું? વ્યવહાર છે એ બધો અસત્યાર્થ છે એટલે કે આશ્રય કરવાલાયક નથી. ભલે ભગવાનની આજ્ઞાથી વ્યવહાર આવ્યો કોઈ જાણવા, પણ એ બધો જાણવા લાયક છે. આદરવા લાયક નથી.
(શ્રોતાઃ) એકલો જાણવાલાયક છે કે હેય છે?
(ઉત્તર) જાણવા લાયકનો અર્થ જ થઈ ગયો ને કે છે હેય. આ તો આદરવા લાયક છે આ. ચૈતન્યજ્ઞાયક સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આનંદ મંદિર-ચૈતન્યઘન એ જ આશ્રય કરવા લાયક. આદરવા લાયક ઉપાદેયપણે એ એક જ ચીજ છે. ત્યારે એને આનંદ ને શાંતિ આવે સામ્યભાવ આખા જૈન દર્શનનું તાત્પર્ય તો સામ્ય, વીતરાગભાવ છે. પ્રવિણભાઈ આવ્યા લાગે છે. અગિયારમી ગાથા એનો ભાવાર્થ એમાં છેલ્લું છે.
(શ્રોતા ) ભાવાર્થ પહેલેથી લ્યો તો શું વાંધો છે?
(ઉત્તર) ભાવાર્થ પહેલેથી? ભાવાર્થ – “અહીં વ્યવહારનયને” એટલે કે જે કાંઈ આત્મામાં ગુણ ગુણી ભેદ, પર્યાય, રાગ એને જે વિષય કરે એને વ્યવહારનય કહીએ. ઝીણી વાત છે ભાઈ ! આહાહા ! જે નય એટલે જ્ઞાનનો અંશ, નય એટલે જ્ઞાનનો અંશ એ ગુણ ગુણીના ભેદને વિષય કરે ગુણી આત્મા ને જ્ઞાનાદિ ગુણ એવા ભેદનો વિષય કરે, અને પર્યાયનો વિષય કરે અને દયા દાન આદિ વિકલ્પનો વિષય કરે એ નય એટલે જ્ઞાનના અંશને વ્યવહારનય કહેવામાં આવે છે. એકલા સિદ્ધાંતો છે. આહાહા!
એ વ્યવહારનય અભૂતાર્થ છે, જૂઠો કહ્યો છે અહીંયાં છે તો ખરો, પર્યાય છે, ગુણભેદ છે, દયા દાનના વિકલ્પો પણ છે, પણ અભૂતાર્થ અસત્યાર્થ કહ્યો. કેમ કે એનો આશ્રય કરવા જેવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com