________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૪૫ કહે છે ને સાંભળનારા ખુશી થાય છે. પરસ્પર વ્યવહારનો ઉપદેશ કહેનારા બધાં ઘણાં આવા છે. કહો સમજાણું કાંઈ...?
ઓલા કહેનારા કહે છે. નિશ્ચય, નિશ્ચય વાતું કરે પણ વ્યવહાર વિના નિશ્ચય થાય? એમ કરીને વ્યવહાર વ્રત કરો તપ કરો દાન કરો સેવા કરો, પાંજરાપોળ બનાવો, ભૂખ્યાને આહાર દો, તરસ્યાને પાણી દો, રોગીને ઔષધ દો, રહેનારને સ્થાન આપો, એવો ઉપદેશ અજ્ઞાનીઓ કરે છે અને સાંભળનારાઓ એને પ્રસન્ન (પસંદ) કરે છે. અહાહા !
પહેલો બોલ તો ઈ લીધો કે ભેદનો પક્ષ અનાદિનો છે અને એને ઉપદેશકો પણ એવા જ મળે છે બધા. આહાહાહાહા !
ઉપદેશ પણ બહુધા, બહુધા, સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. માંહોમાંહે એ જ વાતું અને એ જ વાતની પુષ્ટિ કરે છે બસ. આહાહા ! સેવા કરવી જોઈએ, દુઃખીને, દુ:ખી પ્રાણી છે એને દેખીને અનુકંપા ન આવે અને અનુકંપા આવે તો એને આહાર પાણી દેવાનો ભાવ ન થાય? માટે કરવું જ જોઈએ. (શ્રોતાઃ પર સેવા તો ગહન વિષય છે) ધૂળેય નથી, પર સેવા એટલે આત્માની સેવા. પર એટલે પ્રધાન એવો ભગવાન આત્મા એની સેવા. પર એટલે આ નહીં. આહાહા !
ઈ ઈ એનો જ અર્થ કર્યો. પૂર્ણાનંદના નાથની સેવા સ એવ, સેવા એટલે સ એવ, સે.. વા, સ એવ. ત્રિકાળી આ જ તે આત્મા પૂર્ણાનંદ એની પ્રતીત ને સેવા દુર્લભ છે. આંહી તો વિષય બધો ફેર છે.
એવું છે વસ્તુ સ્વરૂપ એવું છે (શ્રોતા: આ સેવા યોગ્ય આત્મા જ) હા...! અરે ! આંગળીને હલાવી શક્તો નથી ને પ્રભુ. જુઓને આ તો જડ છે. આ હાલે છે ઈ એને કારણે આ તો (આંગળીઓ) તો જડ છે. આત્મા એને હલાવી શકે એમ માનવું એ મિથ્યાભ્રમ છે અજ્ઞાન છે અને એ બીજાને દવા આપે ને આહાર આપે ને.
(શ્રોતા: દાક્તરોએ દર્દીઓને ભૂંગળી મૂકવી કે નહીં? નાડી જોવી કે નહીં?) કોણ જુએ છે? એને વિકલ્પ આવે ફક્ત, એ ક્રિયા તો જડની છે. દુનિયાથી જુદી જાત છે બાપા વીતરાગનો મારગ. આહાહા ! પરમેશ્વર ત્રિલોકનાથ ! આહાહા! સર્વજ્ઞ ! સાક્ષાત્ બિરાજે છે પ્રભુ ! મહાવિદેહ સીમંધરભગવાન તો બિરાજે છે, મહાવિદેહમાં. આહાહા ! આ એની આ વાણી છે બધી. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા 'તા ત્યાંથી લાવ્યા, આ એની વાણી છે. આહાહા ! ભગવાનનો આ સંદેશ છે પ્રભુ! આહાહા ! તારી પૂરણ પ્રભુતાને સંભાળ ! પ્રભુ એમાં તને આનંદ આવશે તું પર્યાય ને રાગ ને પરની સંભાળ કરવા જઈશ પ્રભુ તને દુઃખ થશે, રાગ થશે દુઃખ થશે. આહાહા !
એમ પ્રભુનું ફરમાન છે. ત્રણ લોકના નાથની આ આજ્ઞા અને હુકમ છે. પ્રભુ! તારે સુખનું પ્રયોજન છે, તો સુખનું પ્રયોજન તો પ્રભુ, જેમાં સુખ છે તેમાં દૃષ્ટિ આપ તો સુખ થશે. આ સુખ એમાં છે? પરની સેવામાં સુખ માને છે તે એ તો રાગ છે, રાગ છે તે દુઃખ છે. આહાહા ! આકરું કામ છે બાપુ!
બહુધા પ્રાણીઓ પરસ્પર કરે છે. જોયું? પરસ્પર કરે છે. કહેનારાઓ પણ સંખ્યામાં ઘણાં,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com