________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૫૧ નિમિત્ત, સહુચર બહુ કર્યો છે, બહુ કર્યો છે વ્યવહારનો ઉપદેશ શાસ્ત્રમાં ઘણો છે. કારણકે લોકો વ્યવહારથી સમજે છે. અને પર્યાયષ્ટિને, પર્યાય છે એને સમજાવે છે. એટલે લોકો એ રીતે સમજે છે અને ઉપદેશ એવો ઘણો કર્યો છે. પણ એ બહુધા જિનવાણીએ પણ ઉપદેશ કર્યો છે વ્યવહારનો કે દર્શનના આઠ આચાર કરવા વ્યવહાર સમકિતના, જ્ઞાનના આઠ આચાર વ્યવહાર કરવા.
એ કાલ કહ્યું'તું પ્રવચનસારમાં એમ આવ્યું છે કે હે દર્શનાચાર વ્યવહાર, તું મારું સ્વરૂપ નથી. ચરણાનુયોગની શૈલીમાં ત્યાં અધિકાર છે. ચરણાનુયોગમાં પ્રવચનસાર વ્યવહાર સમકિતના જે આઠ આચાર છે નિશંક-નિ:કાંક્ષ આદિ. વ્યવહાર જ્ઞાનના આઠ આચાર છે, ઉપધાન, ધ્યાન, વિનયથી ભણવું, અક્ષર ચોખ્ખા કરવા, એ બધો વ્યવહારનો ઉપદેશ કર્યો છે એને એમ કહે છે કે પ્રભુ, તું મારી ચીજ નથી. એમ સમકિતી કહે છે. તું મારી ચીજ નથી. પણ જ્યાં સુધી હું પૂરણ ન થાઉં, ત્યાં સુધી તારા પ્રસાદથી એટલે નિમિત્તની હાજરીમાં મારું કામ કરી લઉં મારાથી. આહા. હા ! સમજાણું કાંઈ? આહાહાહા !
વીતરાગી શાસ્ત્રો અલૌકિક છે. એમાંય દિગંબર સંત, દિગંબર મુનિ અને દિગંબર ધર્મ એ તો સનાતન અનાદિ માર્ગ છે. વીતરાગનો અનાદિ મારગ આ છે, એવો મારગ બીજે-કોઈ સંપ્રદાયમાં, ક્યાંય છે નહીં, આહા! શૈલી તો જુઓ શૈલી ! આહા! જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ કર્યો છે ને આંહી વ્યવહારને અસત્ કહે છે. વ્યવહાર જૂઠો છે અને જિનવાણીમાં વ્યવહાર આવે છે એમ બતાવ્યું છે. એનું કારણ?
કે નિશ્ચયનું-આત્માનું અવલંબન છે, નિશ્ચયથી સમ્યગ્દર્શન-જ્ઞાન થયાં છે. છતાં પૂરણ નથી એટલે રાગની મંદતા સમકિતના આઠ આચાર વ્યવહારના, જ્ઞાનના આઠ આચાર વિનય આદિ, ચારિત્રના આઠ આચાર પાંચ સમિતિ ગુપ્તિ વગેરે, એવો ભાવ ત્યાં હોય છે. હોય છે એમ જાણીને, જણાવ્યો છે એને જિનવાણીએ, પણ એનું ફળ બંધન ને સંસાર છે. આહાહાહા !
વીતરાગી મુનિ છે ને વીતરાગી સમકિતી છે, ચોથે ગુણસ્થાનથી સમકિત વીતરાગ છે. સમકિત સરાગ ફરાગ હોતું નથી. એ વીતરાગી સ્વરૂપ ભગવાન આત્મા એની દૃષ્ટિ કરતાં જે વીતરાગ સમકિતપણું થાય, એવા જીવને પણ સમકિતના વ્યવહારના આઠ આચાર આવે, જ્ઞાનના આવે. આહાહા ! એ ભક્તિ આદિનો ભાવ એને હોય એ ભગવાને જણાવ્યો. કે નિશ્ચયની સાથે આ હોય! પણ એ હોય એનું ફળ સંસાર છે. આહાહા ! સમજાણું કાંઈ? આવું અટપટું છે. આહાહા!
અહીંયાં વ્યવહારને જૂઠો કહ્યો અને નિશ્ચયને સાચો કીધો.નિશ્ચય એટલે ત્રિકાળી, ભૂતાર્થ, સત્, ધ્રુવ તે જ સત્ય છે અને પર્યાય તે અસત્ય છે એમ કીધી. એનો અર્થ પર્યાય કહો કે વ્યવહાર કહો કે એને ગૌણ કરીને લક્ષ છોડાવવા અને મુખ્યનું લક્ષ કરાવવા તે ત્રિકાળી સત્યાર્થ છે તે જ સત્ છે. અને વર્તમાનમાં ભેદ છે તે છે ખરો પણ તેનું લક્ષ છોડાવવા, તેને ગૌણ કરીને અભેદની દષ્ટિમાં તે ભેદ દેખાય નહીં, માટે તેને જૂઠો કહ્યો છે. આવી વાતું છે. આહાહા!
જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો / ઉપદેશમાં શુદ્ધનયના સ્વભાવની સાથે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com