________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
૪૩૭
નથી. આહાહાહા ! એનો આશ્રય કરવા જેવો નથી. ગુણભેદનો, પર્યાયનો ને રાગનો એથી એને અસત્યાર્થ કહી-ગૌણ કહીને ‘ નથી ’ એમ આશ્રય કરવા લાયક નથી માટે ‘ નથી ’ એમ કહ્યું છે. આહાહાહા !
‘ શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે' ત્રિકાળી વસ્તુ જે આનંદકંદ પ્રભુ એને જે જ્ઞાનનો અંશ જાણે–જુએ, એને ( ભૂતાર્થ કહ્યો ) કેમકે એ સત્યાર્થ ત્રિકાળી આત્મા છે. એ ધ્રુવને જુએ તેને નય, શુદ્ઘનય કહે છે અને એ શુદ્ઘનય ભૂતાર્થ છે. કેમકે એ ત્રિકાળીને વિષય કરે છે. આરે... આવું છે, ધરમનું સ્વરૂપ ભારે આકરું જગતને. છે ?
હવે કહે છે કે અભૂતાર્થ ને ભૂતાર્થ કહ્યો, એનો આશય શું હવે ? એની સ્થિતિ શું ?
“ જેનો વિષય વિદ્યમાન ન હોય ” આહાહા ! જેનું ધ્યેય જે છે તે વિધમાન ન હોય, અસત્યાર્થ હોય–જુદું હોય તેને અભૂતાર્થ કહે છે. આ વ્યવહારનયને અભૂતાર્થ એની વ્યાખ્યા થઈ. આહાહાહાહા ! આકરું નવા માણસને અભ્યાસ નહીં, મૂળ ચીજનો અભ્યાસ નહીં.
ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! એક સમયની પર્યાય પણ જેમાં નથી. એનો વિષય કરવો, એને ધ્યેય બનાવવું એ શુદ્ધનયનો વિષય છે. એ સમ્યગ્દર્શનનો વિષય કહો, શુદ્ઘનયનો વિષય કહો, કે તેનો વિષય સામાન્ય છે તેને શુદ્ઘનય કહો. આહાહા !
,,
(જેનો ) વિષય વિદ્યમાન ન હોય એને અસત્યાર્થ કહે છે. “ વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધનયનો વિષય અભેદ એકાકાર નિત્ય દ્રવ્ય છે. ” આહાહા ! સમ્યગ્નાન જે સત્ય શુદ્ધ અંશ, નય છે તે અંશ છે, એ ત્રિકાળી ધ્રુવનો વિષય કરે છે. વ્યવહા૨ છે તે વર્તમાન ભેદ ને પર્યાયનો વિષય કરે છે.
અને આ શુદ્ધ સમ્યજ્ઞાનનો જે એક અંશ પ્રમાણનો, પ્રમાણ તો દ્રવ્ય ને ભેદ, અભેદ ને ભેદને બેયને જાણે પણ એ પ્રમાણમાં એનો જે નય-ભાગ, એક અંશ છે અને તે અંશ પણ ત્રિકાળીને જાણે તે અંશ છે, એને અહીંયા શુદ્ઘનય કહે છે. આહા ! આ બધું આવી ગયું છે આપણે પણ આ તો ફરીને જરી.
66
એનો વિષય અભેદ ” આહા ! ચૈતન્ય બ્રહ્મ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અભેદ સામાન્ય જેમાં ગુણ ગુણીનો ભેદેય નહીં અને જેમાં પર્યાય વર્તમાન વિધમાન છે એનો પણ જેનો વિષય નહીં. આહાહા ! શુદ્ધનયનો વિષય અભેદ ચૈતન્ય સ્વરૂપ એકરૂપ એકાકા૨, અનેક નહીં, એક સ્વરૂપે ભગવાન જે શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે, તે નિત્ય દ્રવ્ય છે. ( શ્રોતાઃ એ તો શુદ્ઘનય છે ? ) હા, તે એક નય તે નિત્ય દ્રવ્ય છે. શુદ્ઘનયનો વિષય, તે ત્રિકાળી દ્રવ્ય નિત્ય છે. સમ્યગ્દર્શનનો વિષય પણ એ ત્રિકાળી દ્રવ્ય છે. આહાહા ! ધરમની પહેલી શરૂઆત થતાં સમ્યગ્દર્શન જે શરૂઆત એનો વિષય નિત્ય દ્રવ્ય એકાકાર અભેદ છે. એ શુદ્ધનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો કહો. અહીં જાણવાની અપેક્ષાએ લીધું છે તેથી નય લીધી છે. અને પ્રતીતમાં જાણવું નથી ત્યાં અભેદ એકાકાર નિત્ય દ્રવ્યને પ્રતીત કરે છે આરે... આવી વાતું પણ એ પ્રતીત છે એ જાણતી નથી. તેથી આંહી જાણવાની અપેક્ષાએ લઈને જે જ્ઞાનનો સભ્ય-નિશ્ચય અંશ, અભેદ એકાકાર નિત્ય દ્રવ્યને જે વિષય કરે છે, તેને અહીંયા શુદ્ઘનય કહેવામાં આવે છે. આહાહા !
તેની દૃષ્ટિમાં, કોની દૃષ્ટિમાં ? જે શુદ્ધનયનો વિષય અભેદ એકાકાર નિત્ય છે. તેના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com