________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૦
.
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ટીકાકા૨ કહે છે વ્યવહારનય ‘ બધોય ’ અસત્યાર્થ હોવાથી, વ્યવહા૨નય ‘ બધોય ’ અસત્યાર્થ છે. પર્યાય માત્ર અસત્યાર્થ છે. એ ગૌણ કરીને હોં ? ‘ પર્યાય નથી ' એમ કરીને નહીં. આશ્રય કરવા લાયક નથી અને તેને ગૌણ કરીને નથી એમ કહ્યું અસત્યાર્થ. અને ભગવાન ત્રિકાળી સત્ છે તેને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો. અને પર્યાય છે એને ગૌણ કરીને ‘ નથી ’ કહ્યું, અભાવ કરીને ‘ નથી ’ કહ્યું એમ નહીં. સમજાણું કાંઈ ? આહાહા !
"
વ્યવહા૨નય બધોય–બધોય એટલે ચાર (પ્રકાર) અહીં ચાર લેવા અધ્યાત્મમાં. ચાર શું ? એક તો રાગ જે થાય છે. એ રાગને જાણવાનું જ્ઞાન જાણે, જાણવામાં રાગ આવે એને અસદ્ભુત ઉપચાર વ્યવહારનય ’ કહે છે. સાંભળો, સમજવા જેવી ઝીણી વાત છે. રાગ થાય તેને જાણે છે જીવ આમ જાણે છે આ રાગ છે. એ અપેક્ષાએ તેને અસદ્ભૂત વ્યવહારનય ઉપચાર કહેવામાં આવે છે ઈ એક નય. રાગ છે તેને તે જણાય છે કે આ રાગ છે, એમ જાણવામાં આવે છે. તે અપેક્ષાએ તે રાગને જાણવાના જ્ઞાનને અસદ્ભૂત વ્યવહા૨નય ઉપચાર કહેવામાં આવે છે . અસદ્ભૂત એટલે કે રાગ આત્મામાં નથી, વ્યવહાર એટલે કે ભેદ છે રાગનો બીજો જુદી ચીજ અસત્ છે; અસત્ય એટલે કે (રાગ ) ત્રિકાળમાં નથી-અસદ્ભૂત છે. એ, રાગ છે તે ત્રિકાળ વસ્તુમાં નથી માટે તેને અસદ્ભૂત કહ્યો અને વ્યવહાર તો ભેદ છે, એટલે વ્યવહાર છે જ. અને રાગ આવ્યો એને જાણવાનું જ્ઞાન છે જાણવામાં આવે એવું જે જ્ઞાન, એને અસદ્ભૂત વ્યવહા૨નય
ને ઉપચાર કહ્યો છે.
અને તે વખતે ઉપયોગ થોડો સૂક્ષ્મ નથી સ્થૂળ છે. એથી રાગને જાણવાનું જ્ઞાન થયું. એ વખતે કેટલોક રાગ જાણવામાં ન આવે એવો હારે છે. જે રાગ જાણવામાં આવે એ જ્ઞાનનો રાગને અસદ્ભૂત વ્યવહારનય કહ્યો, પણ તે વખતે હજી રાગ છે અંદર-હારે છે, જાણવામાં નથી આવતો–ઉપયોગ કામ કરતો નથી. અબુદ્ધિપૂર્વક અંદર રાગ છે, સમજાણું કાંઈ ? આહાહા ! એ રાગ છે તેને જાણનારના જ્ઞાનને ‘અસદ્ભૂત અણઉપચાર વ્યવહાર' કહેવામાં આવે છે. આહાહા!
અલૌકિક ગાથા છે બાપા ! આ તો ફરી-ફરીને કહેશું હોં. આટલા શબ્દો પાછા ભાઈ એ કાલ કહ્યું 'તું ને બાબુલાલજીએ ફરીને લ્યો કહે. આહાહા !
પ્રભુ ! તું કોણ છો ? તારા સ્વરૂપમાં પ્રભુ અભેદ ને એકરૂપતા છે. હવે એમાં ભેદના પ્રકાર ચાર, એક તો રાગ થાય તે પણ અસદ્ભુત છે તારામાં નથી, માટે તે રાગ છે ભલે પર્યાયમાં, પણ દ્રવ્યમાં-વસ્તુમાં નથી. અને તે રાગ જાણવામાં-ખ્યાલમાં આવે છે કે આ રાગ છે તેથી તે રાગને અસદ્ભૂત / વસ્તુમાં નથી માટે અસદ્ભૂત, વ્યવહાર છે માટે વ્યવહાર છે ભેદ છે અને ઉપચાર એટલે કે જાણવામાં આવે એને છતાં એને રાગ છે એમ કહેવું એ ઉપચાર છે.
આહાહા ! અને તે વખતે હજી રાગનો ભાગ સૂક્ષ્મ છે તે જાણવામાં આવતો નથી. ઉપયોગ સ્થૂળ છે. એટલે જાણવામાં આવે રાગ અને ન જાણવામાં આવે એવો રાગ છે અંદર એ ટાણે. એ ન જાણવામાં આવે એવો રાગ એને પણ અસદ્ભૂત ( કહ્યો ) ( કારણકે ) સ્વરૂપમાં નથી ને છે વ્યવહા૨ ભેદ અને એને અણઉપચાર કહ્યો (કેમ કે ) જાણવામાં આવતો નથી માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com