________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વ્યવહારનય બધોય એટલે આ ચાર (પ્રકારનો ) અભૂતાર્થ નામ અસત્ય હોવાથીઅસત્યનો અર્થ ગૌણ કરીને અસત્ય હોવાથી અને મુખ્ય ત્રિકાળીને મુખ્ય કરીને સત્યાર્થ હોવાથી. આહાહા ! કેમકે ત્રિકાળી જે સત્ય વસ્તુ છે પૂરણ બ્રહ્મ પ્રભુ, એનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. માટે તે ભૂતાર્થ વસ્તુ તે જ ત્રિકાળી છે, કે જેને આશ્રયે સમ્યક થાય, અને આ જે ભેદ છે એને આશ્રયે તો રાગ થાય. ભેદને આશ્રયે વિકલ્પ ઊઠે, તેથી તે ભેદને-રાગના ભેદને અને ગુણ ગુણીના ભેદને પણ, અસત્યાર્થ કહીં અસત્ય અર્થને પ્રગટ કરે છે એટલે ત્રિકાળી સત્યને પ્રગટ કરતું નથી, ભેદને પ્રગટ કરે છે એ અભેદમાં ભેદ નથી, તેથી તેને ગૌણ કરીને વ્યવહારનય અસત્યને પ્રગટ કરે છે.
(શ્રોતાઃ પ્રગટ કરે છે એટલે?) બતાવે છે. છે તો અસત્ય. આહા... હા ! હજી એ શબ્દ આવ્યો નથી પણ પહેલાં એ અર્થ કર્યો. હવે આવશે જુઓ. વ્યવહારનય બધોય એટલે ચાર, અભૂતાર્થ એટલે જૂઠા હોવાથી જૂઠો હોવાથી. (શ્રોતાઃ છે એને જૂઠો કેમ કહ્યો?) એ તો કીધું ને ગૌણ કરીને જૂઠો કહ્યો છે. કારણ કે દૃષ્ટિનો વિષય એને બતાવવા, અને દૃષ્ટિનો વિષય તે જ સત્ય છે અને ત્યાં જ દેષ્ટિ કાયમ રાખવા જેવી છે. એ અપેક્ષાએ ભેદની દૃષ્ટિ રાખવા જેવી નથી, છતાં એ છે એવું જ્ઞાન કરવા જેવું છે. છે એવું જ્ઞાન પણ આંહી તો ગૌણ કરીને નથી એમ કહ્યું છે. આહાહાહા ! છે કે નહીં સામે પાઠ?
આલાપ પદ્ધતિમાં બીજું કહ્યું છે ભાઈ. એ આગમ પદ્ધતિનું છે. આગમની ભાષા છે. આ અધ્યાત્મની ભાષા છે.
અહીંયા તો પ્રભુ! આત્મા પરમાત્મ સ્વરૂપે ત્રિકાળી એકરૂપ વસ્તુ છે, તેને જ અહીંયા જ્યાં સત્યાર્થ ને ભૂતાર્થ ને છતી ચીજ તેને કહેવામાં આવી છે, અને તેની પર્યાય અને તેમાં રહેલો રાગ તેને ગૌણ કરીને “ નથી' કહીને-વ્યવહારનો વિષય તે અસત્ય અર્થને પ્રગટ કરે છે. આહાહા ! કેમ કે જે ત્રિકાળી નથી, વર્તમાન છે તેનો આશ્રય કરવા જેવો નથી, માટે તેને ગૌણ કરીને, વ્યવહારને અસત્યાર્થ કહ્યો છે. આવું છે બાપુ! આહાહાહા !
(શ્રોતા: વ્યવહાર ને અસત્યાર્થ કહેશું તો સંસારજ નહીં રહે.) એ વસ્તુમાં છે નહીં અને ત્રિકાળીને મુખ્ય કરવા માટે એને સત્ય કરવા માટે-ત્રિકાળીને મુખ્ય કરીને સત્ય કરવા માટે, આને ગૌણ કરીને, અસત્ય કહીને.. નથી એમ કહ્યું છે. આહાહા ! હસમુખભાઈ આવ્યા છે, ભાઈ પણ આવ્યા છે ને જયંતીભાઈ.
આવી વાતું છે આ ઝીણી, હળવે હળવે સમજાય એવું છે હોં ધીમે ધીમે ખ્યાલ રાખે ને. આહાહા! આ તો ભગવાન, સમજનારને સમજાવે છે ને? કે એ રાગને સમજાવે છે? હેં શરીરને સમજાવે છે? ઓલો સમજનાર છે એને સમજાવે છે. આહાહા !
ભાઈ ! તું આ રીતે સમજ, એ ત્રિકાળી પ્રભુ છે. આહાહા ! તેને અમે મુખ્ય કરીને, સત્ય તે જ છે એમ તેને નિશ્ચય કહ્યો છે. અને પર્યાયમાં સભૂત એની પર્યાય હોવા છતાં, જ્ઞાન અને આત્મા એમ અણઉપચાર ભેદ પાડ્યો એમ છે તો ખરું. પણ ભેદ પાડયો માટે એને ગૌણ કરીને “જ્ઞાન તે આત્મા’ એને પણ ગૌણ કરીને, “જ્ઞાન તે આત્મા એ અસત્ અર્થને પ્રગટ કરે છે એમ કહ્યું. આહાહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com