________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ચઢવું, પણ... તળેટી છે કે નહીં ? ગૌણ કરી નાખવી, ન્યાં ઉભા રહેવું નથી – જાવું છે ઉપર. તળેટીને ગૌણ કરીને જ્યાં જવું છે તેને મુખ્ય કરીને તે છે એમ કહ્યું. એમ વ્યવહારની તળેટી છે. એને અસત્ય કહીને ત્યાંથી ખસીને જાવું છે અંદરમાં. આહા! સમજાણું કાંઈ? માટે તે તળેટીને જેમ અસત્ કહી, પણ તળેટી છે કે નહીં ? (શ્રોતાઃ છે). તળેટી છોડીને પછી જાય છે ને આમ અંદર છે એને તળેટીને છોડીને જાય છે કે નહીં? તેમ વ્યવહારનયનો વિષય છે, એને છોડીને નિશ્ચયની દૃષ્ટિ કરે છે. આહાહાહાહા !
(શ્રોતા ) સત્તા તો છે પણ નજરમાં ગૌણ કરે છે.
(ઉત્તર) આંહી તો ગૌણ-મુખ્યથી કથન છે તે આવશે અંદર ભાવાર્થમાં, પણ એને ગૌણ કર્યું માટે અભાવ જ માની લેવો, મિથ્યાષ્ટિ છે. પર્યાય નથી? રાગ પર્યાયમાં નથી? તો તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વરૂપ કેવળજ્ઞાન પરમાત્મા હોવો જોઈએ. સમજાણું કાંઈ? રાગ પર્યાયમાં નથી? તો તો પછી કેવળજ્ઞાન થઈ ગયું! આ તો સાધક જીવની વાત છે. આહાહાહાહા !
જેણે આત્મા એક સમયમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ ધ્રુવસ્વરૂપ જેને અતીન્દ્રિય સ્વાદ આવ્યા છે જેને. આહાહાહા! એ અતીન્દ્રિયનો સ્વાદ લેવા માટે અતીન્દ્રિય એકરૂપ પદાર્થ તે સાચો છે, માટે સાચાને મેળવ, સાચાને મેળવ અને આ વસ્તુ તને આશ્રય કરવા જેવી નથી તેથી તેને ગૌણ કરીને નથી તેમ કહ્યું છે. માટે ત્યાંથી ખસી જા. આહાહાહા ! સમજાણું કાંઈ?
સમજાય એટલું સમજવું બાપુ! ભગવાનના મારગની ગહનતાનો પાર નથી. આહાહા ! એની સૂક્ષ્મતા એની ગંભીરતા. ઓહોહોહો !
વ્યવહાર- નિશ્ચયની પણ ગંભીરતા બાપુ અપૂર્વ છે. આહાહા ! બારમીમાં તો કહેશે, વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે એમ કહેશે. નથી એને જાણેલો કહેવાય ? આમાં નિશ્ચયને મુખ્ય કરી વ્યવહારને ગૌણ કરી, નથી એમ કહ્યું. વ્યવહારમાં કહેશે બારમી ગાથામાં કે તને ભાન થયું કે આત્મા અખંડ ભૂતાર્થ છે, હવે પર્યાયમાં? અપૂર્ણતા ને રાગ છે કે નહીં? છે. જો ન હોય તો વીતરાગ કેવળી થઈ જાય.
“તો જાણેલો' જાણવું તો એનો વિષય છે કે નહીં? “જાણેલો પ્રયોજનવાન છે” – વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. જાણવું જોઈએ, આદરણીય માટે પ્રયોજન છે એમ નહીં. આહાહાહા
વ્યવહારનય બધોય એટલે આંહી ચાર બોલ લેવા બસ અધ્યાત્મના. અભૂતાર્થ નામ અસત્ય હોવાથી વ્યવહારનય અસત્ય હોવાથી–પર્યાય ને પર્યાયના ભેદોમાં રાગાદિ તે જૂઠા હોવાથી, અવિદ્યમાન, નથી તેને અસત્યને અભૂતને નથી તેને-એવા નથી તેને અર્થને પ્રગટ કરે છે, નથી તેના ભાવને પ્રગટ કરે છે. આહાહા !
એક લીટીમાં કેટલું ભર્યું છે. આહાહા ! ઈ સંતો અને કેવળીઓ એની વ્યાખ્યા કરતા હશે ! આહાહાહાહા ! મુનિને ત્રણ કષાયનો અભાવ થઈને પ્રચૂર આનંદની ભૂમિકા જેને પ્રગટ થઈ છે. આહાહા! એ શાસ્ત્રોના અર્થો કેવા કરતા હોય. આહાહા ! સંતો, વીતરાગી મુનિ દિગંબરો એની શું વાત કહીએ બાપુ! કેમકે આતો એમનું કહેલું કથન છે. આહાહા !
એ અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન નથી. વ્યવહારનય જ નથી એટલે વ્યવહારનો વિષય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com