________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ માટે તેને ઢંકાઈ ગયો છે. સમજાણું કાંઈ? આહાહા !
જ્ઞાયકભાવ તિરોભૂત થતો નથી એ વસ્તુ જે જ્ઞાયક ચૈતન્યમૂર્તિ તો ત્રિકાળ નિર્મળાનંદ પ્રભુ જ છે. આહાહા ! પણ જેને વર્તમાનમાં રાગ અને દયા-દાન ને પુણ્ય-પાપનાં વિકારને જોનારાં છે અને ત્યાં એ રુચિમાં પડ્યા છે, અને એનાથી થશે એમ માનનારા છે, એને જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. આહાહા ! આવો મારગ છે.
એવા, સહજ એક જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે, એવા આત્માનો અનુભવ કરનાર જોયું? એવા–રાગ દ્વેષને જ અનુભવ કરનારાં જેને જ્ઞાયકભાવ છતો છે પણ નજરમાં લેતો નથી, એવા રાગનો અનુભવ કરનાર જીવને, આહાહા ! આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા. આહાહા! ભગવાન જ્ઞાયકભાવ અને રાગદ્વેષ એ કર્મભાવ વિકારભાવ, આહાહાહા ! બેની જુદાઈ નહીં કરનારા, બે છે; વસ્તુ તરીકે બે છે, ઈ બે ને બે તરીકે ભિન્ન નહીં કરનારાં, આહાહા ! આત્મા અને કર્મનો વિવેક નામ ભિન્ન નહીં કરનારા. આહાહાહાહા ! એટલે? કે આત્મા સહજ જ્ઞાયકભાવ એ તો છે જ. પણ એની પર્યાયમાં પુણ્ય પાપના શુભ અશુભ ભાવની મલિનતા એનો અનુભવ કરનારા–એ જ અસ્તિત્વ છે, એટલી જ અસ્તિત્વ સ્થિતિ છે (એ જ આત્મા છે ) એમ અનુભવ કરનારા અને મહાપ્રભુનું જે અસ્તિત્વ છે જે જ્ઞાયક સહજ સ્વરૂપ છે તે તેની નજરમાં આવ્યું નહીં એટલે ઢંકાઈ ગયું છે. છોટાભાઈ ! આવું છે આવું, કલકતા ફલકતા ક્યાંય ન મળે, ધંધામાંય ન મળે. આહાહા!
વરને મૂકીને જાન જોડી દીધી, દુલ્હા કહે છે ને તમારે દુલ્હા વિના જાન જોડી દીધી. વર વિના જાન કહેવાય જ નહીં, એમ નિશ્ચય વસ્તુનું ભાન હોય એને રાગનો વ્યવહાર કહેવામાં આવે, પણ જેને ભાન જ નથી ને રાગને જ પોતાનો માને, એને વ્યવહારેય ક્યાં છે? સમજાણું કાંઈ ? કારણકે ઈ તો રાગને જ પોતાનું માને છે, એ જ પોતે છે એમ, એમાં વળી બીજી ચીજ ક્યાં આવી? આહા ! એને તો એ જ છે, એને જ્ઞાયકભાવ છે એ તો એને વ્યવહાર થઈ ગ્યો–પરમાં થઈ ગયો એને એ વ્યવહાર થઈ ગયો. આહા !
નિશ્ચયમાં દયા, દાન, વ્રત, ભક્તિના ભાવવાળાને જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો એને શાકભાવ દૂર થઈ ગયો. આહાહા! જે ભૂતાર્થ છે તેને અભૂતાર્થ કરી નાંખ્યો અને જે અભૂતાર્થ છે તેને ભૂતાર્થ કરીને અનુભવ્યો. આહાહા!
એવા આત્માનો અનુભવ કરનારા પુરુષો', પુરુષો શબ્દ આત્મા. પુરુષો એટલે કંઈ સ્ત્રીનો આત્મા નહીં ને પુરુષોનો જ આત્મા આમ કરી શકે છે એમ નહીં. પુરુષો એટલે આત્મા. પછી ચાહે તે સ્ત્રીનો હોય કે ચાહે પુરુષનો હોય, ચાહે તો ચંડાળ હોય કે નારકીનો આત્મા હોય. આહાહાહા ! પણ જે કોઈ–પુરુષો રાગને જેની ચીજમાં એ નથી એવા રાગને જ અનુભવનારા, તેનો જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો હોવાથી એ બેનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત. આહાહાહા !
એ પુણ્યનાં ભાવમાં જ વ્યવહારમાં જ મૂંઝાઈ ગયા (છે ) વિમોહિત ત્યાં વિશેષે મોહિતમૂર્છાઈ ગયા એટલે ત્યાં રોકાઈ ગયા. એ રાગ તે હું છું ને એ મારું કર્તવ્ય છે, અને એનાથી મને લાભ થશે. આહાહા! આવી વાત છે ચોખ્ખી, “વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ” જોયું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com