________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
૩૯૫
કહેવાય છે અને એની રચના ગ્રંથના કર્તા ગૌતમ ગણધર (છે). એથી એને ભાવશ્રુતપણે પરિણમે છે ને એને, અને પછી રચના દ્રવ્યશ્રુતની કરે છે. પણ ભાવશ્રુતપણે પરિણમે છે તે વાણીને પણ ભગવાને ભાવશ્રુત કહ્યું એમ કહ્યું. ‘ ધવળ ’ માં પાઠ છે. ભગવાનની વાણીમાં ભાવશ્રુત દ્વારા કથન એમ આવ્યું, ભાવશ્રુત દ્વારા સમજાવ્યું અર્થ-કર્તાએ. આહાહા !
ભાવશ્રુતમાં સમજાવ્યું બધું કેવળજ્ઞાન આદિ જેટલાં જગતનાં (પદાર્થો ) છ દ્રવ્યો એનાં ગુણ પર્યાયો વગેરે એ ભાવશ્રુતમાં આવી જાય છે, પણ કેવળજ્ઞાનથી તે સમજાવ્યું એમ નથી કહ્યું. સમજાણું કાંઈ ? પાઠ છે એમાં પાંસઠ પાને ભાવશ્રુત દ્વારા અર્થથી સમજાવ્યું ભગવાને ! આહાહા! ઈ ગણધરે ભાવશ્રુતને સાંભળ્યું અને એને પણ ભાવશ્રુત પરિણમ્યું; આહાહા! અંતર્મુખ થઈને એને પણ ભાવશ્રુતજ્ઞાન થયું. એ આ દિવસ છે આજ, દિવ્યધ્વનિનો અને ગણધરે અંતર્મુહૂર્તમાં ક્રમે ચાર જ્ઞાન પ્રગટ કર્યા ને બાર અંગની રચના કરી. બાર અંગની રચના કરી ઈ ક્રમે કરી. એક સમયમાં થઈ એમ નહીં. આહાહા ! સમજાણું કાંઈ ? ક્રમે કરીને બાર અંગની રચના પણ અંતર્મુહૂર્તમાં (થઈ ). આહાહાહા !
જેમ ભગવાનની ભાવશ્રુતજ્ઞાનધારા ચાલી, એવું જ ગણધરેય ભાવશ્રુતજ્ઞાનપણે પરિણમ્યા. આહાહા ! એણે એક અંતર્મુહૂર્તની અંદર, આહાહાહા ! બે ઘડીની અંદર/ચાર જ્ઞાન પ્રગટ કર્યા-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને અંતર્મુહૂર્તમાં જે આચારાંગ આદિ ગ્રંથ છે શાસ્ત્ર એનાં અઢારહજાર પદ છે, એક એક પદનાં એકાવન ક્રોડ જાઝેરા શ્લોક છે, એવા ડબલ ( બમણાં ), સૂયગઠાંગ છત્રીસ હજાર પદ, બોંતેર હજા૨ પદ, એકસોચુમાલીસહજા૨ પદ આમ બમણાં બમણાં થતાં આવા અગિયાર અંગ અને એથી પણ બાર (મું ) અંગ જેમાં ચૌદપૂર્વ ને એથી ઉપ૨ાંત બીજ... ( એની ) જેણે અંતર્મુહૂર્તમાં રચના કરી બાપુ એ શક્તિ કેવી હશે ? આહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા !
બાર અંગ કોને કહે ? એક અંગમાં અઢારહજાર પદ અને એક એક પદમાં એકાવન ક્રોડ જાઝેરાં શ્લોક એવાં અગિયાર અંગ ને બા૨ અંગ તો કોઈ અપાર છે. આહાહા ! પણ આત્માની તાકાત છે ગણધરની. આહાહા ! અંતર્મુહૂર્તમાં અડતાલીસ મિનિટની અંદર ક્રમે... રચનામાં (બાર અંગની કરવામાં ) અંતર્મુહૂર્ત લાગ્યું. આહાહા ! એક સાથે તો ( એક સમયમાં ) કરી શકે નહીં. ક્રમે રચના કરતાં, આહાહા ! બાર અંગની રચના કરતાં ક્રમે અંતર્મુહૂર્ત લાગ્યું ! આહાહા ! એ તાકાત કેટલી ? આહાહા ! ભાવશ્રુતજ્ઞાનપણે પરિણમ્યા છે. ચૈતન્ય ભગવાન આ જે ચાલે છે અગિયારમી ગાથા. શાયકને અવલંબે જેને ભાવશ્રુત થયું છે ભગવાનની વાણી તો નિમિત્ત છે. સમજાય છે કાંઈ ?
અંદ૨માં ૫૨માત્મ સ્વરૂપ પૂરણ પ્રભુ પૂર્ણાનંદનો નાથ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો, અતીન્દ્રિય આનંદના ભાવથી પૂરણ ભરેલો, આહાહા ! એમ અતીન્દ્રિય જ્ઞાનના ભાવથી પૂરણ ભરેલો એવો શાયકભાવ. આપણે અગિયા૨મી ( ગાથામાં ) ચાલે છે. આહાહા !
એ જ્ઞાયકભાવને અંતર્મુહૂર્તમાં અવલંબીને એક જ સમય થાય છે એને તો, ઉપયોગમાં વાર લાગે છે (અંતર્મુહૂર્ત!) એક જ સમયમાં સમયાંતર કરી નાખ્યું જ્ઞાન. આહાહા ! જે મિથ્યાજ્ઞાન હતું, વેદાંતી હતા ને એ તો ? ગૌતમ ! બ્રાહ્મણ હતા. વેદમાં પૂરણ હતાં. પણ જે...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com