________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જેનો સ્વીકાર પર્યાયનો છે કારણ કે એની દૃષ્ટિ એના ઉપર છે પર્યાય છે એનો સ્વીકાર થયો, અને કાં પર્યાયથી આઘો-લાંબો ગ્યો તો રાગ છે, શરીર છે એમ એને સ્વીકાર થયો, પણ એને ત્રિકાળી છે એનો સ્વીકાર ન થયો, છે વસ્તુ છતાં સ્વીકાર ન થયો. સમજાણું કાંઈ?
અહીંયાં તો ત્રિકાળી છે જ્ઞાયકભાવ, ધ્રુવ સ્વભાવ એનો જેને વર્તમાન પર્યાયમાંજ્ઞાનમાં જણાણું. ભલે ઈ વસ્તુ પર્યાયમાં આવી નહીં, પણ પર્યાયમાં ઈ છે તેમ જણાણું એને કારણપરમાત્મા છે, અને જેવો કારણપરમાત્મા છે તેવો સ્વીકાર થયો તેને સમ્યગ્દર્શનનું કાર્ય થયા વિના રહે નહીં. સમજાણું કાંઈ ? આવી વાતું, હવે ક્યાં ?
એથી શુદ્ધનય એક જ ભૂતાર્થ છે. આહાહા ! કોને? જે વર્તમાન પર્યાય અને રાગ એની ઉપેક્ષા કરી નાખીને એટલે તેને ગૌણ કરીને એટલે કે ઈ છે છતાં તેનો આશ્રય છોડીને, આ ત્રિકાળ જે જ્ઞાયક ભાવ છે એ છે તેનો આશ્રય લઈને તેનો સ્વીકાર થયો, તો એ ભૂતાર્થ છે એવી દષ્ટિ થઈ જ્ઞાનમાં જણાણું એને એ ભૂતાર્થ છે. આહા! આવી વાત છે. ઝીણી વાતું બાપુ! જૈન દર્શન અત્યારે તો સ્થૂળ કરી નાખ્યું છે! આહાહા!
બેય છે. પર્યાય છે પર્યાયમાં રાગેય છે અને દ્રવ્યેય છે. છે? હવે રાગ છે, પર્યાય છે એટલી જેની દૃષ્ટિ ત્યાં છે એને માટે તો એટલું છે. એને માટે ત્રિકાળી છે એ તો આવ્યું નહીં. જેને વર્તમાન પર્યાય ઉપર દૃષ્ટિ છે તેને ઈ પર્યાય છે એવું શ્રદ્ધામાં આવ્યું, તો તો એ પર્યાયષ્ટિ અને આગળ જાય પર્યાયની દૃષ્ટિવાળો તો રાગ છે એમ માને, આ શરીર છે એમ માને. એ એની દૃષ્ટિ તો લંબાઈને આમ ( રાગ-શરીર) ઉપર જાય છે. તો એટલું માન્યું એ તો બરાબર એટલે કે મિથ્યાત્વ છે. એટલું માન્યું એ એને માટે બરાબર છે, પણ એ મિથ્યાત્વ છે. આહાહા !
પણ, ત્રિકાળીવસ્તુ છે. આહાહાહા ! એક સમયમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ ઈ છે” છતાં પર્યાયબુદ્ધિવાળાને એ નથી. સમજાણું કાંઈ? આહા! એમ જેને રાગની રુચિ છે આ, આ પોકાર ઈ કરે છે ને કે વ્રત ને તપ ને ભક્તિ કરતાં-કરતાં વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય (પ્રગટે.) એટલે રાગનો સ્વીકાર છે એને ! એને હિસાબે વ્યવહારનયનો વિષય છે ભલે એને નય' નથી પણ બીજી અપેક્ષાએ તેને વ્યવહારનયનો વિષય છે. “નયવાળા' એને જાણે. સમજાણું કાંઈ?
પણ એને ત્રિકાળી વસ્તુ છે મહાપ્રભુ. જેમાં આખું સત્ત્વ ભર્યું છે પૂરણ પરમાત્મસ્વરૂપ છે. જેનાં ગુણના માપ નહીં એટલા તો ગુણો, છે એ બધા ગુણોનું એકરૂપ જે છે. આહાહા ! એ જ સત્ય છે. કેને? કે જેણે પર્યાય અને રાગની ઉપેક્ષા કરી અને ત્રિકાળ ઉપર જેણે દૃષ્ટિ મૂકી, એને માટે તે ભૂતાર્થ સત્ છે. અને તેથી ભૂતાર્થ-સત્ છે એવી દષ્ટિ થઈ તેથી દૃષ્ટિ પણ એની સાચી છે. સમજાણું કાંઈ? કહો, છોટાભાઈ !
“જે છે બેય છે. પર્યાયેય છે, રાગે ય છે અને ત્રિકાળી ય છે. હવે એ બે છે એ માંયલો, જેને ત્રિકાળી વસ્તુની દૃષ્ટિ નથી, એને વર્તમાન પર્યાય ને રાગ છે તેની દૃષ્ટિમાં, એને માટે તો બરાબર છે એ તો મિથ્યાત્વ છે. આહાહા! કારણકે એની દૃષ્ટિ ભૂતાર્થ ઉપર ગઈ નથી. ત્રિકાળી વસ્તુ છે એ ઉપર એની દૃષ્ટિ નથી ગઈ. આહા...!
હવે જેણે ત્રિકાળી વસ્તુ છે એક જ વસ્તુ, શુદ્ધનય એક જ છે. અને એનો વિષય એકરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com