________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એનું નામ ઉપચાર, એ સદ્ભૂત ઉપચારને અવિદ્યમાન છે એ ત્રિકાળીને વિદ્યમાન ગણીને આને અવિદ્યમાન ગૌણ કરીને અવિદ્યમાન છે એમ કહ્યું છે. આહાહાહા ! કહો છોટાભાઈ ? કોઈ દિ' આ વિચારેય કર્યા ન હોય એમાં. આહાહા ! આવો મારગ વીતરાગનો, આહા... ભાગ્યો શ્રીવીતરાગ-ત્રિલોકનાથ પરમાત્મા (એ) દિવ્યધ્વનિમાં એ કહ્યું છે. પ્રભુ તું (કેવો છે?) અમે આંહી કહીએ છીએ કારણ કે પાઠ એમ છે ને? “અભૂતાર્થત્યાત્ અભૂતમર્થમ્” જૂઠો છે માટે જૂઠા અર્થને પ્રગટ કરે છે. એમ કહ્યું. પાઠ તો એવો છે સંસ્કૃત અભૂતાર્થ અભૂતાર્થત્યાત એટલે
નથી તેને કારણે અસત્ કહ્યો છે. પાઠ તો એવો છે. એનો અર્થ એટલો કે વસ્તુની (જે) ત્રિકાળી સત્ય વસ્તુ પ્રભુ, એની દૃષ્ટિનો વિષય જે ત્રિકાળી સત્ છે, અને વ્યવહારનો વિષય એને ગૌણ કરીને અસત્યાર્થ હોવાથી, અસત્ય અર્થને પ્રગટ કરે છે એમ કહ્યું છે. અને શુદ્ધનય સત્યાર્થ હોવાથી, એક સત્યને જ પ્રગટ કરે છે. આહાહા ! આવું કામ.
ફરીને, વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી એમ શબ્દો છે ને? પાધરું અભૂતાર્થ એમ નથી લીધું. અભૂતાર્થતા અભૂતઅર્થમ્ પ્રગટ કરે છે જૂઠો હોવાથી જૂઠા અર્થને પ્રગટ કરે છે એમ કહ્યું. સમજાણું કાંઈ? આહાહા!
એટલે? કે ત્રિકાળી વસ્તુ જે જ્ઞાયક પૂરણ પ્રભુ એને જ્યારે સત્યાર્થ કહ્યો અને એ જ સમ્યગ્દર્શનનો વિષય એટલે શુદ્ધનયનો વિષય કહ્યો, તેને જ્યારે સત્ય કહ્યું, ત્યારે પર્યાયના
આ ભેદ છે કે જે જ્ઞાન રાગને જાણે એ જ્ઞાનની પર્યાય છે, પણ એ રાગને જાણે એમ કહેવું, એ સદ્ભૂત ઉપચાર છે. એ અભૂતાર્થ હોવાથી નથી એમ કહ્યું, છે તો ખરો પણ ત્રિકાળની અપેક્ષાએ તેને અસત્ય કહીને, અસત્ય અર્થને પ્રગટ કરે છે. આહાહા ! રાગને જાણવું એવું જે જ્ઞાન, જ્ઞાન રાગને જાણે એ અસત્ અર્થને પ્રગટ કરે છે. આહાહાહા ! સમજાય એટલું સમજવું પ્રભુ આ તો! વીતરાગ મારગનો ઊંડો ઊંડો ગંભીર ભાવ છે. ભાઈ ! આહાહા !
ધીમે ધીમે બધું કહેવાશે હોં હળવે હળવે... એકદમ મૂકી નહીં દઈએ. અમારે બાબુલાલ કહેતા'તાને કે ફરીને લ્યો. ભાઈ ! આ તો બે-ચારવાર લઈએ તોય કાંઈ પાર ન આવે. આહાહા ! વ્યવહારનય એટલે? ભેદને અને એમાં નથી એવા રાગને જાણે તેને વ્યવહારનય કહે છે. આ ટૂંકી ભાષા, વ્યવહારનય એટલે અભેદમાંથી ભેદને કરવો અને એનામાં નથી એવા રાગને એ બેને જાણવું, એ નથી ત્રિકાળની અપેક્ષાએ તે નથી. ગૌણ કરીને એ નથી એમ કહીને એ અભૂતાર્થ હોવાથી છાતી ચીજને તે જણાવતો નથી. છતી ચીજને તે પ્રગટ કરતું નથી. આહાહાહા ! છતી ચીજને પ્રગટ કરતું નથી જો પછી વ્યવહારનયનો વિષય છતો નથી? નય છે તેનો વિષય જો હોય નહીં તો નય ન હોય. પણ અહીં ત્રિકાળને જ્યારે સત્યાર્થ કહીને મુખ્ય કરીને નિશ્ચય કહ્યો ત્યારે તે વ્યવહારના ભેદોને એની પર્યાયમાં જ્ઞાન છે એ જ્ઞાન રાગને જાણે છે. એવું હોવા છતાં અને બીજી વાત, “ એ જ્ઞાન તે આત્મા” હવે આમ લીધું એ પણ “સબૂત અણઉપચાર” થયો “જ્ઞાન તે આત્મા !' એને પણ અભૂતાર્થ એટલે કે કાયમી ચીજ નથી તેને તે પ્રગટ કરે છે ભેદને, તેને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહાહા !
રાતે પ્રશ્ન કરવા, નો સમજાય છે પણ કોઈ પ્રશ્ન તો કરતું નથી. (શ્રોતા. અમારી ભૂલ તમે જાણી જાવ.) એમાં શું વાંધો છે ભૂલ તો.. સમજવા માટે તો... ગમે એવા પ્રશ્ન હોય શકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com