________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯-૧૦
૩૬૧ જ્ઞાનને પણ વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે (છે) (કારણ કે) એણે ભેદથી સમજાવ્યું, કે આ જ્ઞાન તે આત્મા. સમજાણું કાંઇ? જ્ઞાન અને જ્ઞાનીનો ભેદ કહેનારો, જ્ઞાની એટલે આત્મા ત્રિકાળી અને જ્ઞાન એટલે વર્તમાન જાણપણું એણે પણ જ્ઞાન- જ્ઞાનીનો ભેદ કરીને, વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. એણે કહ્યો તો પરમાર્થ, જે ત્રિકાળજ્ઞાન છે તે આ જ્ઞાન છે, ત્રિકાળી વસ્તુ છે તેને આ જ્ઞાન જણાવે છે. એ જ્ઞાન ત્રિકાળીને જણાવે છે, માટે જ્ઞાને પરમાર્થને જ જણાવ્યો. ભેદ પાડ્યો એટલો એમાં (તેથી) વ્યવહાર કહેવામાં આવ્યો. સમજાણું કાંઈ ? આવી ઝીણી વાત.
વસ્તુ છે વસ્તુ એક સમયમાં અભેદ એકરૂપ ચીજ તેને વર્તમાન જ્ઞાનથી તેને જાણીને અનુભવે એ તો પરમાર્થ જ્ઞાન છે એટલે શ્રુતકેવળી છે. પણ જે જ્ઞાને એને બતાવ્યું તે જ્ઞાન, એ જ્ઞાને પણ બતાવ્યો તેને વસ્તુને, એથી તે જ્ઞાનને પણ વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે છે. કારણ કે જ્ઞાન છે તે આત્મા એમ એણે કહ્યું. કહ્યું તો પરમાર્થને એણે પણ ભેદ પાડીને કહ્યું તેથી તે જ્ઞાનને વ્યવહાર કહેવામાં આવે છે.
શ્રોતા:- ઈ પ્રમાણનો વિષય કહેવાય?
એ અહીં વાત નથી. આ તો જ્ઞાને ભેદ પાડીને જ્ઞાનીને બતાવ્યું એટલી વાત. પ્રમાણની અહીં વાત છે નહિ. જે જ્ઞાન, ભાવ જ્ઞાન જે થયું, તે થયું છે તો ત્રિકાળી જ્ઞાયક આત્માનાં અવલંબે, પણ તે જ્ઞાને તેને જ અનુભવ્યો ત્રિકાળી આત્માને એનું નામ ભાવશ્રુતજ્ઞાન કેવળી. ભાવઠુત દ્વારા વસ્તુને અનુભવી માટે તે પરમાર્થ ને નિશ્ચય છે અને એ જ્ઞાન, આ જ્ઞાન તે આત્મા એમ ભેદ પાડીને જ્ઞાને કહ્યું, કહ્યું તો જ્ઞાને પરમાત્માને પણ “જ્ઞાન તે આત્મા” એટલો ભેદ પાડયો એથી એ જ્ઞાનને વ્યવહાર કહેવામાં આવે છે. અને તે વ્યવહાર પણ જણાવ્યો તો આત્મા કે આ “જ્ઞાન તે આત્મા એમ. આહાહા! એવો માર્ગ છે બાપા. ઝીણો માર્ગ બહુ પ્રભુનો. આહાહા! બહુ એને ધીરું થવું પડે.
અન્ય કાંઈ ન કહ્યું. વ્યવહારે- તેણે પણ પરમાર્થ કહ્યો. જ્ઞાન એ આત્મા એમ કહ્યું ને. એ એણે વ્યવહારે પણ પરમાર્થને કહ્યો અન્ય કાંઈ કહ્યું નથી. જ્ઞાન તે રાગ, જ્ઞાન તે શરીર, જ્ઞાન તે ભગવાનને જાણે છે એમ કાંઈ એ શાને કહ્યું નથી. જ્ઞાન તે ભગવાનને જાણે છે, કેવળીને જાણે છે, એમ એણે કહ્યું નથી. એ જ્ઞાન તે આત્માને જણાવે છે, જ્ઞાન તે આત્મા છે આમ એવો ભેદ પાડીને કહ્યું તો પરમાર્થને, અન્ય કાંઈ કહ્યું નથી. અનેરી ચીજને એમાં બતાવી નથી. આહાહા ! સમજાણું કાંઈ?
આ તો બે દિવસથી ચાલે છે. પરમ દિવસ પણ ચાલ્યું હતું. કાલે લીધું આપણે બાબુલાલજીએ વિસ્તાર કરવાનું કહ્યું 'તું ને કાલે લીધું આ. ફરીને આ તો ભાવાર્થ છે. આહાહા ! ઝીણી વાત છે. બાપુ! અનંત કાળમાં પંથને જાણ્યો નથી અને વર્તમાનમાં તો ગોટા એવા ઊઠયા છે કે ક્યાંય ચીજને પહોંચી વળે કેમ એ વાતનાય ઠેકાણાં ન મળે. આ તો વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો જે પર તરફના લક્ષવાળા ભાવ કરો એ તો વિકાર રાગ છે.
હૈં? એ વાત. આહાહા! આ તો પ્રભુ પોતે સર્વોત્કૃષ્ટ! બપોરે નહોતું આવ્યું કાલ એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com