________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે ' જોયું ? દ્રવ્ય જે છે તે જ છે, તો “દ્રવ્ય” શું છે હવે? આત્મામાં હવે લેવું છે ને દ્રવ્ય? નહિ તો બીજાં દ્રવ્ય તો છે, પણ આંહી “દ્રવ્ય જે છે તે શું? “એનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે દ્રવ્ય. આહાહાહા ! જાણક્રસ્વભાવ ધ્રુવ માત્ર એ આત્મા પ્રભુ છે. અનાદિ અનંત એ વસ્તુ છે. દ્રવ્યથી કહો કે જ્ઞાયકપણાથી કહો, બધી એક ચીજ છે. આહાહા! પણ “દ્રવ્ય” છે એ સામાન્ય થઈ ગયું એટલે એમાં “આત્મા’ કહેવો છે. જ્યારે, ત્યારે તેને કહ્યું કે એ તો આત્માનો સ્વભાવ “જ્ઞાયકપણું માત્ર છે. દ્રવ્ય તો છે એ છે, પર્યાય સંયોગ એ તો સામાન્ય વાત કરી. પણ હવે દ્રવ્ય છે એ વસ્તુ શું છે? તો કહે છે કે દ્રવ્ય તો પરમાણુ પણ છે, આકાશ પણ છે. હું? પણ આ જ્ઞાયકમાત્ર છે. જ્ઞાયકપ્રભુ છે એ. આહા ! જાણક સ્વભાવસ્વરૂપ તે દ્રવ્ય છે. દ્રવ્ય તો પરમાણુ છે, આકાશ છે, પણ એ કાંઈ જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ નથી, એ તો જડસ્વરૂપ છે. આહાહા !
આ રીતે આત્માનો સ્વભાવ ” જ્યારે દ્રવ્ય જે છે તે જ છે, તો, એ તો જ્ઞાયકપણું માત્ર છે. આહાહાહા! જાણક સ્વભાવની મૂર્તિ પ્રભુ છે. જાણક સ્વભાવની પૂતળી પોતે છે. એકલો જ્ઞાયકભાવ એ દ્રવ્ય. સમજાણું કાંઈ? મારગ બહુ અલૌકિક છે બાપુ! આહાહા ! એક તો આવું સત્ય છે તેવું સાંભળવા મળે નહીં એ કે દિ'વિચારે અને વાસ્તવિક છે કરવા જેવું છે કે દિ' કરે? હું! આહાહા ! એ દ્રવ્ય આત્માનો સ્વભાવ, કાયમી દ્રવ્ય લેવું છે ને? એ દ્રવ્યનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર, બિલકુલ રાગ ને પુણ્ય ને સંસાર ને ઉદયભાવ એમાં બિલકુલ છે નહીં. આહાહા ! એ તો જ્ઞાયક માત્ર પ્રભુ ધ્રુવ, જાણક સ્વભાવનો કંદ પ્રભુ, જાણક સ્વભાવનું વજબિંબ. આહાહાહા ! તે તો “જ્ઞાયકમાત્ર” જ પ્રભુ છે.
જેની દૃષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય' એ શાયકની દૃષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય. આહાહા! કારણ કે સમ્યક નામ સત્યદર્શન, એ જ્ઞાયક ત્રિકાળી સત્ છે એનું દર્શન કરતાં સમ્યગ્દર્શન થાય. સમજાણું કાંઈ?
અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી, આહાહા! રાગાદિરૂપ મલિન છે' તે પર્યાય છે. પહેલી સાધારણ વાત કરી 'તી, પછી દ્રવ્ય જ્ઞાયક ભાવ તરીકે બતાવીને, એ વસ્તુ જ્ઞાયકભાવ દ્રવ્ય છે. અને એની પર્યાયમાં, આહાહા! “તેની અવસ્થા પુગલકર્મના નિમિત્તથી ” નિમિત્તથી એટલે એનાથી એમ નહીં. નિમિત્ત છે પણ એનાથી થયું નથી. આહાહા! ફકત સ્વભાવથી નથી થયું તેથી તે નિમિત્તથી થયું છે એમ કહેવામાં આવે છે. આહાહા!
“પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન..' રાગ-દ્વેષ, વિષય કષાયના ભાવ એ બધાં મલિન છે. એ તો પર્યાય છે એ વસ્તુ નથી કાંઈ. આહાહા! મલિન જે કાંઈ પુણ્ય ને પાપના ભાવ દેખાય છે, એ તો પર્યાય છે. દ્રવ્ય-જ્ઞાયક છે તે, આ કાંઈ મલિન પર્યાયમાં આવ્યું નથી. આહાહા ! તેમ મલિન પર્યાય, પર્યાય છે તે જ્ઞાયકભાવમાં ગઈ નથી. આહાહા ! એનું હોવાપણું” પર્યાયમાં પર્યાયનું પર્યાયમાં રહેલું છે અને જ્ઞાયકપણાનું “હોવાપણું જ્ઞાયકપણાને પોતાને લઈને જ્ઞાયકપણું રહેલું છે. આહાહાહાહા! બેય હોવાપણે તો છે. કંઈ આકાશના ફૂલ નથી એમ અશુદ્ધતા નથી જ (એમ નથી) પણ ઈ પર્યાયમાં છે, વસ્તુમાં નથી. આહાહા! આવું હવે વાણિયાને ધંધા આડે, નવરાશ ન મળે ફુરસદ. પ્રવીણભાઈ! મોટાભાઈને બધા લોઢાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com