________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૨૧ ધ્રુવ છે એ તો પરિણમતું નથી બદલતું નથી. બદલનારી પર્યાય જે જ્ઞાયકને જાણનારી થઈ, એણે પરને જાણવાકાળે પણ, પોતાના જ્ઞાનરૂપ પરિણમ્યો તે પોતે જ કર્તા' ને પોતે જ પોતાનું કર્મ છે. રાગ “કર્તા' ને આ જ્ઞાનની પર્યાય તેનું કાર્ય થયું એમ છે નહીં. આહાહાહાહા ! જેના એક પદમાંથી બહાર નીકળવું કઠણ પડે એટલી તો ગંભીરતા છે એમાં. આહાહા! બાપુ પ્રભુ તું મહાપ્રભુ છો ભાઈ તું મહાપ્રભુ છો.. ને તારી પર્યાય પણ મહાપ્રભુની છે જે જણાયો છે, એની એ પર્યાય છે આહાહા ! એ પ્રભુની પર્યાય છે. એ રાગની નહીં. આહાહાહા!
આ જ્ઞાનમાં સ્વ જ્યાં જણાયો અને જ્યાં જાણ્યો, તે વખતે આ પરને જાણવું ત્યાં થાય છે ને? કહે છે કે એ પરનું જાણવું થયું છે પરને લઈને જાણવું થયું એમ નથી. એ જાણવાનો પર્યાય જ પોતે, પોતાના સ્વપર પ્રકાશકપણે પરિણમવાની તાકાતથી તે પરિણમ્યો છે. તેથી તે પર્યાય કર્મ છે ને તે જ પર્યાય “કર્તા” અથવા જીવ કર્તા ભલે કહેવામાં આવે છે. આહાહા ! ખરેખર ષકારકનું પરિણમન પર્યાયમાં છે, દ્રવ્યમાં ષટ્ટારકની શક્તિ છે પણ પરિણમન નથી. સમજાણું કાંઈ? આહાહા !
તેથી જે જ્ઞાનની પર્યાયે પોતાને જાણ્યો તે જ પર્યાયે રાગ સંબંધીના પોતાની જ્ઞાનની પર્યાયને તેણે જાણી. વ્યવહારનો વિકલ્પ ઊયો છે તેનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનની પર્યાયને પોતે પોતાથી જાણી છે અને તે પોતે પોતાથી થઈ છે. વ્યવહારથી થઈ નથી પર્યાય એને જાણનારી પર્યાય, વ્યવહાર આવ્યો રાગાદિ એનું જ્ઞાન માટે એનાથી થયું છે જ્ઞાન, એમાં જ્ઞાન કયાં હતું? રાગમાં ક્યાં જ્ઞાન હતું કે રાગ ( જાણે ) ! આહાહા ! જેમાં જ્ઞાયકમાં જ્ઞાન ભરેલું છે પ્રભુમાં, આહાહા ! એનો જ્યાં અંદરમાં જાણનારો જાગે છે, તો જાગનારો પોતે ને પોતાને જાણે છે અને જાગનારો પોતાની પર્યાયને જાણે છે. “રાગને જાણે છે ” એ પણ વાત વ્યવહારથી કથન છે. આહાહાહા ! કહો, સમજાણું કાંઈ?
લ્યો “દીવાની જેમ “કર્તા કર્મનું અનન્યપણું છે' અનેરાપણું નથી. કર્તા છે તે જ કર્મ છે, ને કર્મ છે તે જ તેનો કર્તા છે. સમજાણું? “થનારો” અને “થયું ” બે અનન્ય છે. જુદા જુદા નથી. આહાહા ! કર્તા થનારો અને કર્મ થયું, તે અનન્ય છે, તે બેય એક જ વસ્તુ છે. આહાહાહાહા !
અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો, એ “કર્તા માટે પોતે કર્તા, આહાહા! રાગસંબંધીનું જ્ઞાન થયું એ જ્ઞાનની પર્યાયનો કર્તા પોતે છે અને તેનું “કર્મ' પણ અનન્ય એનામાં છે. આહાહા ! એ જ્ઞાન, રાગને જાણે છે એમ નથી અને રાગને લઈને જ્ઞાન થયું છે એમ નથી. આહાહા!
હવે આવી વ્યાખ્યા હવે, સાધારણ બિચારા સંપ્રદાયમાં પડ્યા હોય, ને વખત મળે નહીં કયાંય આખો દિ' બે ઘડી મળે કાંઈક બાકી બાવીસ કલાક તો બાયડી છોકરાને ધંધાને પાપમાં જિંદગી જાય આપી, આહાહા ! અરેરે ! એમાં બે ઘડી સાંભળવા જાય ત્યાં મળે એવું કે ઠેકાણા વિનાનું સત્યથી વિરુદ્ધની વાતું મળે. આહાહા!
“એ શેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયકપણે જે જણાયો, તે સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાયો, જ્ઞાયક જ છે. છે ને છેલ્લો શબ્દ ? વચમાં આટલું મૂકી દો થોડું દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી, પણ સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. એમ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com