________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે આ. પ્રથમ, પ્રથમ. આહાહા !
આચાર્યે એમ કહ્યું હતું ને? કે મારો અને પરનો મોહ હણાવા માટે હું કહીશ. આહાહાહા ! એવું અમૃતચંદ્રાચાર્યે એમાંથી કાઢયું (કહ્યું ) જેમ પોતે કાઢયું ત્રીજા શ્લોકમાં, કે હું આ ટીકા કરું છું, તેમાં મારી શુદ્ધતા થજો કેમકે અનાદિની મને અશુદ્ધતા છે, મુનિ છું આચાર્ય છું, પણ હજી અશુદ્ધતાનો અંશ અનાદિનો છે, આહાહા ! તો આ ટીકાના કાળમાં પાઠ એવો છે કે ટીકાથી. પણ એનો અર્થ એ છે કે ટીકાના કાળમાં મારું લક્ષજોર દ્રવ્ય ઉપર છે, એનાં જોરે અશુદ્ધતા ટળજો, એમ આચાર્ય પોતે કહે છે કે હું જે આ સમયસાર કહીશ, એ મારા ભાવ અને દ્રવ્યસ્તુતિથી કહીશ અને ભાવવચન ને દ્રવ્યવચનથી કહીશ. આહાહા! સામાના દ્રવ્યવચન અને દ્રવ્યસ્તુતિ નથી કિધી, સામામાં તો અનંત સિદ્ધને સ્થાપ્યા છે. એ સ્થાપ્યા છે (એટલે કે ) જે સ્થાપે છે, તેને આ સ્થાપ્યા છે એમ કહેવામાં આવે છે. આહાહા!
અહીંયાં તો કહે છે હું આ “વંદિતુ સવ્યસિદ્ધ સર્વ સિદ્ધોને સ્થાપ્યા છે, મેં મારી પર્યાયમાં, એનું નામ “વંદિતું સવ્વસિદ્ધ ” કેમકે ધ્યેય જે સાધ્ય જે આત્મા એના ધ્યેયના સ્થાને સિદ્ધ છે, માટે સિદ્ધને હું નમસ્કાર કરું છું, એટલે કે સિદ્ધને જે મારી પર્યાયમાં સ્થાપુ છું એ મારી પર્યાય, પોતે સિદ્ધપણાને પામશે અને સિદ્ધ એવું મારું સ્વરૂપ, પર્યાય તે તરફ જશે જ, માટે મેં એને વંદન કર્યું છું, માટે મેં મારી પર્યાયમાં એને સ્થાપ્યા છે. આહાહા!
અને શ્રોતાઓ પણ .. બધા શ્રોતાઓએ નહીં (પરંતુ) જે શ્રોતાઓ, જેણે પોતાની જ્ઞાનની પર્યાયમાં અનંતા સિદ્ધને મેં સ્થાપ્યા એમ કહ્યું પણ એ (શ્રોતાપોતે) સ્થાપે જ્યારે, આહાહા ! એની એક સમયની અલ્પજ્ઞ અવસ્થા, એમાં મેં કહ્યું એ સાંભળ્યું એણે, સાંભળીને એની પર્યાયમાં અનંતા સિદ્ધને સ્થાપે, એટલે કે રાગથી પૃથક થઈને, જ્ઞાનની પર્યાયમાં સ્થાપે એનું લક્ષ જેમ અરિહંતના દ્રવ્યગુણપર્યાયને જાણનારો પોતાને જાણે એમ કહ્યું, એમ અનંતા સિદ્ધોને જેણે પર્યાયમાં સ્થાપ્યા, એણે અનંતા સિદ્ધોને પર્યાયમાં જાણ્યા. આહાહા !
એક સમયની જ્ઞાનની પર્યાયે અનંતા સિદ્ધોને જાણ્યા એ તો એક અરિહંતને જાણ્યા કહો કે અનંત અરિહંતને જાણ્યા કહો, અનંત સિદ્ધને જાણ્યા કહો કે એક સિદ્ધને જાણ્યા કહો બધું એક જ છે. આહાહા ! એ અનંતા સિદ્ધ જે (મારી) અલ્પજ્ઞ દશામાં, અનંત જે સર્વજ્ઞો છે, એ સ્થાપ્યા મે મારામાં, એ તો મારી વાત રહી, મેં સ્થાપ્યા પરમાં પણ એ સ્થાપે ત્યારે પરમાં સ્થાપ્યા એમ વ્યવહાર કહેવામાં આવે છે. આહાહા !
એની અલ્પજ્ઞ દશામાં અનંતા સર્વજ્ઞોને વંદે છે એટલે કે સ્થાપે છે. આહાહા ! આહાહા ! એ અનંતા સિદ્ધોને જે પર્યાય જાણે ને સ્થાપે એ પર્યાય વિવેક કરીને દ્રવ્ય તરફ ઢળ્યા વિના રહે નહીં. આહાહાહા ! આવી વાતું છે ઘણી ગંભીર, ગાથાઓ જેમ જેમ ઊંડું જાશે ને એમ એનાં તળિયાં બહુ ઝીણાં બહુ!
એવા શ્રોતાઓ જે છે કે જેણે પર્યાયમાં અનંતા સિદ્ધોને પોતે પોતાથી સ્થાપ્યા છે. “મેં સ્થાપ્યા છે' એ તો નિમિત્તથી છે. આહાહાહાહા ! એવા શ્રોતાઓને સિદ્ધપણું પોતાનું સ્વરૂપ છે તેની દૃષ્ટિ થાય છે, અને તે શ્રુતકેવળી અને કેવળીએ કહેલું છે, તો એ પણ જીવ શ્રુતકેવળી થશે જ, શ્રુતકેવળી એટલે સમકિતી. જેણે અનંતા સિદ્ધોને પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં સ્થાપ્યા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com