________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પર્યાયની વાત છે અહીં હોં દ્રવ્યને તો જાણે છે. આહાહાહા ! ગજબ વાત છે! વસ્તુ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ જ્ઞાયકપણે તો જણાયો 'લક્ષમાં આવ્યો, દૃષ્ટિમાં આવ્યો. પણ એને “ જાણનારો ? કહીએ છીએ તો સ્વ-પરપ્રકાશક ( હોવાથી) પર “જાણનારો” એમાં આવ્યું, તમે તો અને જાણ્યો અને પરનું જાણવું પણ એ એમાં આવ્યું? ત્યારે કહે છે “પરને જાણવું એ એમાં નથી આવ્યું (પરંતુ ) પરસંબંધીનું જ્ઞાન પોતાને પોતાથી થયું છે, તેવા “જ્ઞાયકને 'જ્ઞાન પર્યાયે, જ્ઞાનને જાણ્યું, એ જાણનારની પર્યાયને એણે જાણીએ સમજાણું કાંઈ ? આકરું કામ બહુ બાપુ, મારગ એવો મારગ છે વીતરાગ સર્વજ્ઞનો. “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે.” આહાહા !
અહીંયા કહે છે કે મારા અને તારા મોહના નાશ માટે, આહાહાહાહા ! કોલકરાર! એટલો બધો પ્રભુ, પોતાના મોહના નાશ માટે તો ભલે અસ્થિરતા છે (માટે કહો) પણ. શ્રોતાને? પણ શ્રોતાને મેં સિદ્ધ કહ્યા ને? અનંતા સિદ્ધોને એણે પર્યાયમાં સ્થાપ્યા છે ને પોતે. આહાહા ! ( શ્રોતા: પોતે સ્થાપ્યા છે ) મેં સ્થાપ્યા છે એ તો મેં વાત કરી. આહાહા ! એક સયમની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા. એ પર્યાય અંદર ઝૂકીને દ્રવ્ય તરફ જ જાય. એટલી પર્યાયમાં અનંત સર્વજ્ઞોને રાખ્યા, એ પર્યાય સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ એના ઉપર જ એનું લક્ષ જાય. જેણે એક સમયમાં પર્યાયમાં અનંતા સર્વજ્ઞોને સ્થાપ્યા. રાખ્યા, આદર્યા, સત્કાર કર્યો.., સ્વીકાર કર્યો અને તે એક સમયમાં, અનંતા સર્વજ્ઞને જાણ્યા. તે સમયની પર્યાય જાણીને એને જાણે છે ને? આહાહા !
તેનો આત્મા જ્ઞાયકપણે તો જણાણો એને, પણ એ “જ્ઞાયક છે એટલે કે “જાણનારો” છે એમ કહીને પરને જાણે છે, એવું જે આવે, તો પરને આકારે જ્ઞાન થયું તે પરને લઈને થયું એમ નથી. ધર્મીને પણ હજી રાગ આવે ને રાગનું જ્ઞાન થાય, બારમી ગાથામાં કહેશે, “જાણેલો પ્રયોજનવાન' ભાષા તો ચારે કોર એક અવિરોધ વાતને સિદ્ધ કરે છે. આહાહા!
એ જ્ઞાયકપણામાં જે રાગ- વ્યવહાર આવ્યો ને જણાયો તે રાગ છે તેને એ જાણે છે, અને રાગ છે માટે અહીંયાં રાગનું જ્ઞાન, શેયાકારે જ્ઞાન થયું એમ નથી. આહાહાહા ! આવો મારગ એટલે સાધારણ માણસને બિચારા શું કરે? વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ અનંત જૈન પરમેશ્વરનું આ બધું કથન છે. એકમુનિનું કહો કે અનંતા તીર્થકરને કહો કે અનંતા સંતોનું કહો. આહાહા! અને મુનિ તો જિન, પર્યાયમાં ત્રણ કષાયનો અભાવ થઈ જિન દશા જેને પ્રગટી છે, આહાહા! એને મુનિ કહીએ. તે મુનિ કહે છે કે “હું આ સમયસારને કહીશ'. આ “કહીશ” એમાં તો વિકલ્પ છે ને? વિકલ્પ છે પણ મારું જોર ત્યાં નથી હું તો ત્યાં સ્વભાવ તરફના જોરને લક્ષે વાત ત્યાં કરીશ, મારું જોર ત્યાં સ્વભાવ ઉપર વધશે અને અશુદ્ધતા ટળી જશે એમ સાંભળનારને પણ અનંતા સિદ્ધોને જેણે સ્થાપ્યાં, તેને સાંભળતાં સ્વલક્ષે સાંભળે છે અને પૂરણ વાત આવશે એમાં, એથી એનો પણ સ્વલક્ષ થઈને મોહ ટળશે. અને અસ્થિરતા પણ એની ટળી અને પહેલું શ્રુતકેવળી થશે એટલે સમકિતી થશે. શ્રુત કેવળીએ કહેલું છે, અને એ શ્રુતકેવળી પોતે થશે એટલે સમકિતી થશે અને પછી કેવળી થશે. આહાહા! કહો શુકનલાલજી! આ ગાથાનો આવો અર્થ છે. પાર પડે નહીં એવું છે. આહાહા! દિગંબર સંતો એટલે કેવળીના કેડાયતો, બાકી બધી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com