________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૭
ગાથા – ૬ અરે, બાપુ એ કંઈ વાત છે? આહાહા!
જેની પર્યાય અલ્પજ્ઞ એક સમયની, (છદ્મસ્થને) ભલે અસંખ્ય સમયે ઉપયોગ થાય એમાં અનંતા સિદ્ધોનું જ્ઞાન કરે અને પર્યાયમાં સ્થાપે એટલે કે રાખે. આહાહાહા ! જેની પર્યાયમાં અનંતા સિદ્ધો રહે. આહાહાહાહા ! એવું જેણે પોતે કર્યું એવા શ્રોતાને અહીંયા લીધા છે. આહાહાહા ! બાકી તો આમ અનંતવાર ભગવાન (અરિહંત) પાસે સાંભળ્યું, એ વાત છે નહીં. ભગવાન પાસે તો અનંતવાર સાંભળ્યું છે. આહાહા ! પણ જે શ્રોતા, પોતાની એક સમયની અલ્પજ્ઞ અવસ્થા હોવા છતાં અનંતા સર્વજ્ઞો સિદ્ધોને અલ્પજ્ઞમાં સ્થાપું, રાખું છું, આહાહાહા ! એનું લક્ષ અને દૃષ્ટિ દ્રવ્ય ઉપર જશે અને તેના લક્ષે સાંભળશે, એ સાંભળતાં, તેની અશુદ્ધતા ટળી જશે એ લક્ષને કારણે, સાંભળવાના કારણે નહીં. સમજાણું કાંઈ?
અને મારો મોહ પણ એમ લખ્યું છે ભાઈ અનાદિનો મારો મોહ એમ લખ્યું છે પહેલી ગાથામાં તેમ લખ્યું છે, જેમ ત્રીજા શ્લોકમાં એમ લખ્યું છે કે અનાદિનાં કલુષિત પરિણામ મારામાં છે. આહાહા ! આચાર્ય છું પણ છે. આહાહા ! એક બાજુ એમ કહેવું કે સમ્યગ્દષ્ટિને રાગ છે જ નહીં, દુઃખ છે જ નહીં તો કઈ અપેક્ષાએ? અનંતાનુબંધી અને મિથ્યાત્વની અપેક્ષાએ (સમ્યગ્દષ્ટિને) દુઃખ અને રાગ નથી. આહાહા !
અહીંયાં તો આચાર્ય પોતે કહે છે, અરે ! કુંદકુંદાચાર્ય આ ગાથાના અર્થની ટીકા કરતાં (અમૃતચંદ્રાચાર્ય) પોતે કહે છે કે મારામાં મોહ છે. એ મોહ ક્યારનો છે? અનાદિનો છે. છે ભાઈ? પહેલી ગાથામાં કહ્યું છે કે મારો મોહ અનાદિનો છે. આહાહાહાહા ! એ જ વાત ત્રીજા કળશમાં અમૃતચંદ્રાચાર્યે લીધી છે. આહાહા ! એ મોહ મારામાં, અસ્થિરતાનો હોં! સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તો છે, મુનિ છે ને? આનંદનો અનુભવ છે, પણ એની સાથે થોડો રાગ, અનાદિનો છે. એ અનાદિનો છે ગયો તો ને થયો છે, એમ નથી. આહાહા! શ્રી કુંદકુંદાચાર્યની ગાથાની ટીકા કરનાર શ્રીઅમૃતચંદ્રાચાર્ય એમ કહે છે, કે શ્રી કુંદકુંદાચાર્ય આમ કહેવા માગે છે. આહાહા! પ્રભુ તમે ક્યાં એમના જ્ઞાનમાં-હૃદયમાં વયા ગ્યા તમે?કે એવી વસ્તુની સ્થિતિ છે એમ અમે કહીએ છીએ. આહાહાહા ! પોતાનો (આત્મા) ભગવાન અરિહંતના એકના દ્રવ્ય ગુણને પર્યાયને જાણે, તો એ જાણનારો આત્માને જાણે એમ કહ્યું. તો, આ તો અનંતા સિદ્ધને જે પર્યાયમાં જાણે એટલે કે સ્થાપે. એ એને સમ્યગ્દર્શન સ્વના લક્ષે થયા વિના રહે નહીં. આહાહાહા ! અને તે શ્રુતકેવળી એટલે સમકિતી. શ્રુતકેવળી એટલે ઓલું એ નહીં વિશેષ જ્ઞાન કે એનું કાંઈ નહીં પણ એ શ્રુતકેવળી થાય અને પછી કેવળી થશે. આહાહાહાહા ! ગજબ વાત છે ને!!
આ સિદ્ધાંત કહેવાય, એક એક શ્લોકનો પાર આવે નહીં, એની ગંભીરતા સંતોની દિગંબર મુનિઓ, આહાહાહા ! એની વાણી એ વાણીમાં ગંભીરતા ને ઊંડપનો પાર ન મળે!
એ અહીંયાં કહે છે, જ્યારે આપના આત્માને અમે “જ્ઞાયક' કહ્યો અને જ્ઞાયકપણે “જ્ઞાયક' જણાયો, તો “જાણનારને તો જાણ્યો પણ “જાણનાર છે એમ કહેવાય છે તો પરને પણ જાણે છે એવું થયું એમાં, કે પરને જાણે છે ભલે એમ કહીએ પણ ખરેખર તો પર છે તેને જાણે છે, એમ નથી. પર રાગાદિ થયા તેને જાણે છે, એ રાગને લઈને જાણે છે એમ નથી પણ ઈ જ્ઞાનની પર્યાયનું સ્વ-પરપ્રકાશક સામર્થ્ય જ એનું છે કે પોતે પોતાને જાણે છે જ્ઞાયક જ્ઞાયકને,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com