________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આનંદ ને જ્ઞાન જે આ શાંતિ, અનંત ગુણની વ્યક્તતા જેટલી પ્રગટી છે, તે સર્વથી હું કહીશ. આહાહા ! તે સર્વથી હું, આહાહા ! ‘આ’ એકત્વ-વિભક્ત ‘આ’ પ્રત્યક્ષ આત્મા એકત્વ પોતાના સ્વરૂપમાં એકત્વ છે અને રાગથી વિભક્ત નામ પૃથક છે, અસ્તિ નાસ્તિ કરી. આહાહા!
મારું અસ્તિત્વ પૂરણ એકત્વ છે, અને પૂરણ પરનું જેમાં વિભક્ત નામ અભાવ છે. આહાહા! “એવો જે એકત્વ-વિભક્ત આત્મા” આહાહા ! આ એકત્વ વિભક્ત આત્માને (બતાવીશ), છ દ્રવ્યને દર્શાવીશ ને ભગવાન આવા છે એમ દર્શાવીશને તમને, એમ કાંઈ ન લીધું. આહાહા ! પ્રયોજનભૂત મૂળ ચીજ છે તે હું દર્શાવીશ. આહાહા! અને એમાં બધું આવી જશે. “એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ” બસ, છ દ્રવ્ય ને છ દ્રવ્યના અનંત ગુણો અને બીજા પર્યાયો ને બીજા સિદ્ધો ને બીજા અરિહંતો ને એનું અહીં કામ નથી. હું તો મારા નિજ વૈભવથી સર્વથી આત્માને બતાવીશ. આહાહા !
આ... આ... અસ્તિપણું બતાવે છે. કેવું? એકત્વ-વિભક્ત, એવો જે આત્મા એને દર્શાવીશ, આત્માને દર્શાવીશ, અરિહંત કેવા છે ને ગુરુ કેવા છે, એ નહિં. આહાહા! શાસ્ત્રના લક્ષણ કેવા છે ને શું એ બધુંય આ છે. આહાહા! એકત્વ વિભક્ત આ... એને હું દર્શાવીશ. “એવો મેં વ્યવસાય ઉદ્યમ નિર્ણય કર્યો છે.” આહાહા ! એવો નિર્ણય કર્યો છે. આહા! આ આત્માને એકત્વ વિભક્તને નિજ વૈભવથી દેખાડીશ એવો મેં નિર્ણય કર્યો છે. હવે દેખાડવાનું ચાલે તો ધ્યાન રાખજે હવે. આહાહા! આ તો સહેજે વાણી નીકળી છે ટીકાની, કુંદકુંદાચાર્યના શ્લોકમાં તો ગંભીરતા છે, એ અમૃતચંદ્રાચાર્યે ખોલી, એના પેટ ખોલીને વાત કરી. આહાહા!
એવો મેં વ્યવસાય ઉદ્યમ નિર્ણય કર્યો છે. આહાહા! મારા જ્ઞાનમાં મેં નિર્ણય આવો કર્યો છે. કે હું મારા નિજ વૈભવથી આ આત્મા જે એકત્વ-વિભક્ત છે તેને દેખાડીશ એવો વ્યવસાય, નિશ્ચય કર્યો છે. એવો વ્યવસાય નિશ્ચય કર્યો છે. આહાહા !
હવે નિજ વૈભવ કેવો છે, એ વાત કરે છે. નિજ વૈભવથી કહીશ પણ એ નિજ વૈભવ કેવો છે હવે પર્યાયનો હોં.? આહાહા ! “કેવો છે મારા આત્માનો નિજ વૈભવ” “કેવો છે મારા આત્માનો નિજ વૈભવ”? આહાહા!
આ લોકમાં, લોક સિદ્ધ કર્યો. લોકંતિ ઈતિ લોક જેમાં છ દ્રવ્ય જણાય એવો જે લોક છે “એમાં પ્રગટ, સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર ” આહાહા ! વાણી, વાણી, ભગવાનની વાણી આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો, પ્રગટ સમસ્ત વસ્તુઓનો, જેટલી ચીજો છે તેટલી બધીને પ્રકાશ કરનાર, આહાહા ! અને “સ્યાસ્પ દની મુદ્રાવાળો, અપેક્ષિત, કહેવું હોય તેવા છાપવાળો, “કથંચિત્ ” કહેવાની અપેક્ષા છે, નિત્ય અનિત્ય વિગેરે શુદ્ધ અશુદ્ધ એવી સ્યાત્ પદની મુદ્રાવાળો કથંચિત્ કહેવાના છાપવાળો જે શબ્દ બ્રહ્મ, આહાહાહા ! એવો જે શબ્દ બ્રહ્મ, ભગવાનની વાણી શબ્દ બ્રહ્મ, આહાહા ! અહંતના પરમાગમ એવો શબ્દબ્રહ્મ એટલે શું? કે અહંતના પરમાગમ, ભગવાનના કહેલા પરમાગમ. આહાહાહા! અરિહંતના શ્રીમુખે ઓમ્ ધ્વનિ નીકળી ને જે પરમાગમ રચાણા, આહાહા! “એવો જે શબ્દ બ્રહ્મ અહંતનો પરમાગમ તેની ઉપાસનાથી જેનો જન્મ.” આહાહાહા !
સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા, આહાહા! અહંતનું પરમાગમ, એનું જે પરમાગમ, શબ્દ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com