________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વિકાર આમાં ન લેવો. આંહી તો અન્યદ્રવ્યોના ભાવ લેવા. એ અન્યદ્રવ્યના ભાવથી ભિન્ન પડતાં, વિકારથી ભિન્ન પડી જાય છે. “ભાવ” એમ કહેવું છે ને ! અન્ય દ્રવ્યોના “ભાવો' એટલે અત્યારે પુણ્ય-પાપના ભાવ ઈ આંહીં નહીં. અન્ય દ્રવ્યોનો જે “ભાવ”અનુભાગ, એની શક્તિ, “ભાવ” એનાથી ભિન્ન, એનું લક્ષ છોડીને, એનાથી ભિન્ન, જ્યારે એનું લક્ષ છોડે ત્યારે વિકારનું લક્ષ પણ છૂટી જાય છે હારે. આહાહાહા ! આવો મારગ !
તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી” અન્ય દ્રવ્યના ભાવથી, એ અર્થ કર્યો છે. ઓલામાં “મોક્ષમાર્ગ-પ્રકાશક”માં, ભિન્નપણે ઉપાસવામાં આવતાં, પોતે કર્યો છે આ અર્થ. શું કહ્યું? અહીંયા આત્મા જ્ઞાયકભાવ શુદ્ધ ચૈતન્ય સ્વભાવભાવ ત્રિકાળ એ પોતે શુભાશુભપણે થયો નથી, એવા શુદ્ધ સ્વભાવને “શુદ્ધ' કહ્યો કેમ? છે તો એ શુદ્ધ ત્રિકાળ પણ જેણે અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડી અને સ્વદ્રવ્યની પર્યાયમાં એનું સેવન કરે, આહાહા! એનો અર્થ એ થયો કે અન્ય દ્રવ્યના ભાવથી લક્ષ છૂટયું, એટલે સ્વદ્રવ્યના ભાવ તરફની ઉપાસના થઈ એટલે વિકારનું લક્ષ પણ એમાં ભેગું છૂટી ગ્યું. આહાહા !
માર્ગ એવો છે ભાઈ મૂળ “દર્શનશુદ્ધિ ' ની વ્યાખ્યા છે આ તો. આહાહા ! મૂળ રકમ, મૂળ રકમ છે ઈ પવિત્ર ને શુદ્ધ જ્ઞાયક છે. પણ છે ઈ કોને ખ્યાલ આવે? “છે' એ કોને પ્રતીતમાં આવે? “છે” એનું જ્ઞાન કોને થાય? “છે તો છે.” આહાહાહા !
અન્ય દ્રવ્યો ને દ્રવ્યના ભાવનું લક્ષ છોડી, જે અન્યદ્રવ્યના ભાવમાં અસ્તિત્વપણાનું જોર છે એ છોડી દઈ અને એનાથી છોડયું એટલે અંતર ચૈતન્ય જ્ઞાયકભાવ, એ તરફ એની પર્યાય ગઈ, આહાહા ! એ પર્યાયે એનું સેવન કર્યું. આહાહા ! એ પર્યાય જે વર્તમાન જ્ઞાન ને શ્રદ્ધાની પર્યાય છે, એ પરના લક્ષને છોડીને, સ્વના ચૈતન્યના- જ્ઞાયકભાવના લક્ષમાં જ્યાં આવ્યો ત્યારે એની પર્યાયમાં શુદ્ધતાનું સેવન થયું, એટલે કે શુદ્ધતામાં એકાગ્રતા થઈ, એકાગ્રતા થઈ એમાં જણાયું કે “આ” શુદ્ધ છે. ઝીણી વાત છે બહુ બાપુ! આહાહાહા !
ચૈતન્યધામ પ્રભુ સ્વયં જ્યોતિ સુખધામ એનું સેવન એટલે પરના આશ્રયનું લક્ષ છોડી દઈ, અને સ્વ ચૈતન્ય જ્ઞાયકભાવ તેનું લક્ષ કરતાં, એ લક્ષ કયારે થાય? કે એની પર્યાયમાં તેના તરફનું વલણ થાય ત્યારે, તો એ પર્યાયમાં દ્રવ્યનું સેવન થયું. છે? “તે સમસ્ત દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતાં વસ્તુ તો શુદ્ધ છે, પણ ભિન્નપણે ઉપાસવામાં આવતાં “શુદ્ધ” કહેવાય છે એને. એને શુદ્ધપણું જણાવ્યું. પર્યાયમાં શુદ્ધ દશામાં “આ શુદ્ધ છે એમ જણાણું, એને “શુદ્ધ' કહેવાય છે. આહાહા! સમજાય છે? છે સામે?
એક કોર ભગવાન શાયકભાવ અને એકકોર અનંતા દ્રવ્યો બીજાં બધાં. અહીં કર્મનું મુખ્યપણું કર્મ છે, એનાં તરફનું જે લક્ષ છે, આહાહા ! આંહીથી ( ત્રિકાળીથી) લક્ષ તો અનાદિથી છૂટી ગયેલું છે. એથી એની પર્યાયમાં, આ શુદ્ધ છે” એવી તો દૃષ્ટિ થઈ નહીં. તેથી, ‘ભિન્નપણે સેવતાં” અન્ય દ્રવ્યોનાં ભાવ ને દ્રવ્યથી જુદું પડતાં, જુદું પાડતાનો અર્થ એ કે દ્રવ્ય ઉપર લક્ષ જતાં, ઈ લક્ષ ગયું ઈ વર્તમાનમાં પર્યાયમાં શુદ્ધતા થઈ, એ શુદ્ધતા દ્વારા “આ શુદ્ધ છે” એમ જણાયું. આહાહા ! એને શુદ્ધ છે.
જેને શુદ્ધ છે, ઈ પર્યાયમાં અશુદ્ધતા જણાય છે અને અશુદ્ધતા ઉપર જ જેનો અનુભવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com