________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬ ઉત્પન્ન કરનારાં શુભને અશુભ ભાવરૂપે તે દ્રવ્ય સ્વભાવ, કદી થયો જ નથી. છે ને?
“જ્ઞાયકભાવથી જડભાવ ( રૂપે) થયો નથી એમ કીધું. જોયું? એ શુભાશુભને જડ કીધાં. જ્ઞાયક.. તે ચૈતન્યસ્વરૂપ ચૈતન્ય-પ્રકાશનો પુંજ અને શુભ-અશુભભાવ તો અંધારા છે, આહાહા ! ચૈતન્યના પ્રકાશનો શુભાશુભ ભાવમાં અભાવ છે. આહાહા ! એ પ્રકાશ, અંધારારૂપે કેમ થાય? એમ જ્ઞાયક, શુભાશુભપણે કેમ થાય? આહાહા ! તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. આ કારણે ભગવાન આત્મા જ્ઞાયકભાવ, શુભાશુભ પણ થયો નથી એથી એને ગુણસ્થાનના ભેદ પણ થતા નથી. આહાહા ! હવે એક છેલ્લી લીટી છે.
પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૨૧
ગાથા - ૬ તા. ૩૦-૬-૭૮ શુક્રવાર જેઠ વદ-૧૦ સં. ૨૫૦૪
શિષ્યનો પ્રશ્ન એમ હતો કે “શુદ્ધ આત્મા” જે તમે કહો છો, તે છે કોણ? કેવો છે? કે જેનું સ્વરૂપ' જાણવું જોઈએ, અને જેને જાણવાથી હિત થાય અને અહિત ટળે. ઈશું ચીજ છે?
ત્યારે કહ્યું કે એ આત્મા અનાદિ-અનંત, નિત્ય ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એ સંસાર અવસ્થામાં પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર, દુરંત કષાયચક્ર (અર્થાત્ ) એનો જે ભાવ શુભાશુભ થાય છે, પણ એ શુભાશુભપણે જ્ઞાયક થતો તો નથી. એની અવસ્થામાં થાય છે.
જ્ઞાયકભાવ જે વસ્તુ છે, એ શુભાશુભપણે થતી નથી. જો એ પણે થાય તો... વસ્તુ છે જે જ્ઞાનરસ, જ્ઞાનપ્રકાશસ્વરૂપ અને શુભાશુભ છે અચેતન અંધારા સ્વરૂપ, એ રૂપે આત્મા થાય તો આત્મા જડ થઈ જાય, આહાહા ! તેથી એ શુભને અશુભભાવરૂપે જ્ઞાયક વસ્તુ જે છે પદાર્થ એ રૂપે નહિ થવાથી શુભાશુભપણે નહિ પરિણમવાથી, એમાં પ્રમત્ત-અપ્રમત્તના પર્યાયના ભેદો એનામાં નથી. આહાહા !
મૂળ ગાથા છે છઠ્ઠીના લેખ કહે છે ને! આહાહા ! જ્ઞાયકવસ્તુ-ચૈતન્ય. આહા! જે એકલો જ્ઞાનરસ, આનંદરસ, શાંતરસ, વીતરાગરસ, સ્વરૂપે બિરાજમાન એ રાગરૂપે કેમ થાય? આત્મા જિનસ્વરૂપી, વીતરાગ સ્વરૂપે બિરાજમાન શાયકભાવ એ રાગરૂપે કેમ થાય? આહાહાહા !
(શ્રોતા ત્યારે રાગરૂપે કોણ થાય?) પર્યાયમાં રાગ થાય, વસ્તુમાં રાગ નથી ! આહા! ચૈતન્યપ્રકાશનો ચંદ્ર શીતળ, શીતળ, શીતળ એવો ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ ( જ્ઞાયક) એ અશીતળ એવા જે વિકાર ને આકુળતા એ રૂપે કેમ થાય? આહાહા! ભગવાન જિનચંદ્રસ્વરૂપ પ્રભુ! આહા! વસ્તુ શું છે? ચૈતન્યના રસથી ભરેલો પ્રભુ એ અચેતન એવા શુભાશુભ પરિણામના ભાવપણે એ જ્ઞાયકભાવ વસ્તુસ્વભાવ કેમ થાય? તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. ત્યાં સુધી તો આવ્યું છે, છેલ્લી એક લીટી રહી છે, મુદ્દાની.
એને શુદ્ધ કેમ કીધો? જ્ઞાયકભાવ એ શુભાશુભભાવે પરિણમતો નથી એ ચીજને શુદ્ધ તમે કેમ કીધી? તો કહે છે, તે શુદ્ધ તો છે જ. પણ ભિન્ન ઉપાસવામાં કરવામાં આવતા એને શુદ્ધ જણાય છે. શું કહ્યું ? વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે. એ તો છે, પણ છે કોને? આહાહાહા! તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવો, અન્ય દ્રવ્યના ભાવ એટલે કર્મ-કર્મનો રસ આદિ, આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com