________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૬
૨૦૭ અને પર્યાયબુદ્ધિ ઉપર જેની રુચિ-દષ્ટિ છે, એને તો શુદ્ધ છે નહીં. વસ્તુ ભલે શુદ્ધ છે, પણ એને શુદ્ધ છે નહીં, આહાહા! ગજબ વાત છે સમયસાર!! એની એક એક ગાથા, એક એક પદ સર્વજ્ઞ અનુસારિણી ભાષા છે. ત્રિલોકનાથ, સર્વજ્ઞ પરમેશ્વર એમણે કહેલી ચીજ જ આ પ્રભુ કહે છે સંત. આહાહા ! અને તે ન્યાયથી તેના ખ્યાલમાં આવી શકે છે. ન્યાયથી ખ્યાલમાં આવે ને પછી અંદરમાં જાય તો અનુભવ થાય. આહાહાહા ! એક પદ રાખ્યું 'તું ને કાલ બાકી કારણ કે એ કાંઈ ઉકલે એવું નહોતું ઝટ. આહાહા!
એ જ જ્ઞાયક છે તેજ. તેજ... એટલે તે..જ... તેજ... એટલે જ્ઞાયક છે તે જ. તેજ (અજવાળું) નહીં. તે જ. એ ત્રિકાળજ્ઞાયક સ્વરૂપ, જેમાં પર્યાય નથી. જેમાં શુભાશુભ ભાવ નથી. જેમાં પ્રમત્ત અપ્રમત્ત ભેદ નથી. આહાહાહા ! એવી ચીજને, આહાહા ! “સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી'- અનેરા અનેક, આહાહા ! તીર્થકર ને આંહી તો એ નોકર્મમાં છે, ખરું તો કર્મ જે છે અંદર, એના તરફનો ઉદયભાવ જે છે એના તરફનું લક્ષ છોડી દઈને, આહાહા! પોતે જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. આહાહાહાહા ! ચૈતન્યચંદ્ર છે પ્રભુ તો. આહાહાહાહા ! વસ્તુ જિન “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, આહાહા ! પણ મત મદિરાકે પાનસૌ મતવાલા સમજે ન” જેનો અભિપ્રાય રાગનો ને રુચિ પરની ને એવા સચિવાળાને આ વસ્તુ છે તો જિન સ્વરૂપ છે તો શુદ્ધ, શુદ્ધ કહો, જિનસ્વરૂપ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, અભેદ કહો, સામાન્ય કહો (એકાર્થ છે) આહાહાહા ! એવી ચીજ હોવા છતાં અજ્ઞાનીને પર ઉપર લક્ષ છે તેથી તેની સમીપમાં ઈ દ્રવ્ય પડ્યું એની એને ખબર નથી. આહાહાહાહાહા! પર્યાય એક સમયની સમીપમાં પ્રભુ પડ્યો છે, ભગવાન અનાકુળ આનંદનો નાથ, એક સમયની પર્યાય જે છે જ્ઞાનની- જાણવાની, એ પર્યાયની સમીપ જ પ્રભુ છે. આખું ધ્રુવ ચિદાનંદ પ્રભુ સમીપ જ પડ્યો છે, પણ ત્યાં તેની નજર ન હોવાથી, આહાહા! “સમયસાર' ૧૭-૧૮ ગાથામાં તો એમ કહ્યું કે એની વર્તમાન જ્ઞાનપર્યાય, ઝીણી વાત બાપા છે. આહાહા ! પ્રભુ! તારી પ્રભુતાનો પાર ન મળે ! આહાહા ! જેની પ્રભુતાની પૂરણતા કથન કરવું કઠણ પડે. આહાહા ! એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદર બિરાજે છે. આહા ! એને એક સમયની પર્યાયમાં પડેલો એને ઈ સમીપમાં છે ઈ નજરમાં આવતો નથી.) પર્યાયનો સ્વભાવ તો એવો છે, શું કહ્યું? જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ તો એવો છે, કે આખું દ્રવ્ય જ એ જાણે છે. આવો આવો સંઘવી. સમજાણું કાંઈ..? આહાહાહા ! એક સમયની પર્યાય જે છે જ્ઞાનની ઊઘડેલી, વર્તમાન, એમાં એ દ્રવ્ય જ જણાય છે. પણ, અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં નથી, આહાહાહા ! અનાદિની અજ્ઞાનીની દૃષ્ટિ દયા, દાન, વ્રત, કામ, ક્રોધનાં પરિણામ ને કાં એને જાણનારી એક સમયની પર્યાય, ત્યાં આગળ એ ઊભો છે બસ. આહાહા! મિથ્યાષ્ટિ છે, સત્યષ્ટિથી વિરુદ્ધ દૃષ્ટિ છે.
સત્ય જે પ્રભુ જ્ઞાયક ભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, સત્ સાહેબ પૂર્ણાનંદનો પ્રભુ, આહાહા! એની ઉપર એની નજર નથી, છે તો પર્યાયમાં જણાય એવો એ ચીજ, જણાય જ છે. શું કહ્યું? જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ પરમાત્મા કહે છે, પ્રભુ એમ કહે છે. ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, એના કેડાયતો સંતો, ઈ એમ કહે છે કે પ્રભુ એમ કહે છે. પ્રભુ એક વાર સાંભળ! તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા, એનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી, ભલે તું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com