________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જોવામાં આવે તો, ઓલું સમજાણું?
સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની અપેક્ષાથી ક્ષીરનીરની જેમ એકરૂપ હોવા છતાં, પર્યાયમાં, પર્યાયની સાથે કર્મપુદગલો સાથે દેખાય છે. પણ “દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે, આહાહા! વસ્તુનો સ્વભાવ જે છે કાયમી, અસલી અનાદિ અનંત, નિત્ય ઉદ્યોતરૂપ, સ્પષ્ટ પ્રકાશમાન-જ્યોતિ એવો જે દ્રવ્યસ્વભાવ, એની અપેક્ષાથી જોવામાં આવે તો? ત્યાં સુધી વાત...
હવે કહે છે તો દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે” કષાયના ચક્રનો અંત લાવવો, મહાપુરુષાર્થ છે અનંતો “દૂર. અંત,”, જેનો મહાપુરુષાર્થથી અંત પમાય એવો કષાયચક્ર પુણ્ય ને પાપ. કષાયચક્રના ઉદયની કષાયસમૂહના અપાર ઉદયની એમ. કષાય ચક્ર છે ને? “કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વિશે પ્રવર્તતાં જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર” કર્મનાં નિમિત્તનાં સંબંધે જોડાતાં, જે કંઈ વિચિત્રતાના વિશે પ્રવર્તતાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભાશુભ ભાવો, પુણ્ય પાપ એ પરમાણુ બંધન એની વાત, એને ઉત્પન્ન કરનારા શુભ અશુભ ભાવ વર્તમાન, ઓલા પુણ્ય-પાપ એ કર્મ, એને ઉત્પન્ન કરનારાં શુભાશુભ ભાવ તેમના સ્વભાવે પરિણમતો નથી'. આહાહા !
શું કીધું? “દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો?” ત્યાં રાખવું. તો? દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વિશે પ્રવર્તતા (જે) પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ જોયું? શુભ અશુભભાવો એકરૂપ નથી અનેકરૂપ છે, સમસ્ત અનેકરૂપ શુભેય અનેકરૂપ અસંખ્ય પ્રકાર, અશુભેય અનેકરૂપ અસંખ્ય પ્રકાર, એ રૂપે દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો, આહાહા ! પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારાં એવાં શુભાશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી... આહાહા! ભગવાન જે (જ્ઞાયક ) શુદ્ધ ચૈતન્ય, વસ્તુ સ્વભાવથી જોઈએ તો, વસ્તુથી જોઈએ તો પુણ્ય પાપને ઉત્પન્ન કરનારાં તો શુભાશુભ ભાવ, એ ભાવરૂપે તે દ્રવ્યસ્વભાવથી જોઈએ તો તે રૂપે થયો જ નથી. શુભ અશુભ ભાવરૂપે દ્રવ્ય સ્વભાવ કોઈ દી” થયો જ નથી. આહાહા ! કેમ કે એ તો જ્ઞાયક સ્વરૂપ છે. અને ઉત્પન્ન કરનારાં પુણ્ય-પાપનાં ભાવો છે જે શુભાશુભ, એ તો અચેતન છે. એમાં ચૈતન્યના સ્વભાવનો અંશ નથી. આહાહા!
તેમના સ્વભાવે થતો નથી 'આહાહા ! જયચંદ પંડિત ખુલાસો કરે છે. “જ્ઞાયકભાવથી જડભાવરૂપ થતો નથી . ભાષા દેખો ! શુભ અશુભ ભાવરૂપે થાય તો જડ થઈ જાય, કેમ કે શુભ-અશુભભાવ તો અચેતન અજીવ છે. આહાહા!
એ જીવ જ્ઞાયક એ શુભાશુભ અજીવ જડરૂપે કેમ થાય? આહાહાહા ! દ્રવ્ય સ્વભાવથી જોઈએ, તો જે કષાયનો અંત લાવવો મુશ્કેલ, એવી વિચિત્રતાને વશે ઉત્પન્ન થયેલા શુભાશુભભાવો જે પુણ્ય પાપના કારણો, એરૂપે તે આત્મા થયો નથી. આહાહા ! આવું છે.
વોચ્છામિ સમયપાહૂડ' એમ કહ્યું છે ને? કહીશ હું, ત્યારે કહીશ તો એનો અર્થ કે એના સાંભળનારા કોઈ છે એને કહે છે ને? વાચ્છામિ, કહીશ તો એનો અર્થ કે એના સાંભળનારા છે એને કહે છે ને? આહાહા!એને કહે છે કે તારો નાથ અંદર જે ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયકભાવ પડ્યો છે એ કર્મના ચક્રના અંત લાવવા શુભાશુભનો મુશ્કેલ છે. છતાં તે પુણ્ય-પાપને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com