________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૨૧ જાણતો.' બસ આમ અતિ, નાસિત કરી છે.
“યુગ૫ ૫રને “એકત્વપૂર્વક જાણતો” તથા પરરૂપે “એકત્વપૂર્વક પરિણમતો' એવો તે પરસમય એમ પ્રતીકરૂપ થાય છે,” એને નહીં, બીજાને... એ આત્મા અજ્ઞાની છે, પરસમય છે, અણાત્મા છે, અણાત્મામાં એકત્વપણે વર્તે છે માટે તે પરસમય છે, એમ જાણવામાં આવે છે. છે ને? ત્યાંય નાનીદિ “પોર્નસ્મવેરા વુિં ર તે નાનીદિ છે ને? બેયમાં જાણવું-જાણવું આહાહા ! બેયમાં પ્રતીત કરી એનો અર્થ પ્રતીત એટલે કે જાણવામાં એમ આવે છે. આહાહા! “એકત્વપૂર્વક પરિણમતો એવો તે પરસમય એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે. એટલે કે જાણવામાં આ આત્મા, અણાત્મા થયો એમ જાણવામાં આવે છે. આહાહા! રાગના વિકલ્પ સાથે એકત્વપણે પરિણમતો અને એકત્વપણે જાણતો, જાણતો તો રહ્યું, પણ એકપણે જાણતો તેને પરસમય એમ જાણવામાં આવે છે. એ પરસમય છે. એ અણાત્મા છે. એ સ્વરૂપથી ચૂત થઈને જે એનામાં નથી તેમાં એ રહેલો છે માટે પરસમય કહેવામાં આવે છે. આહાહા!
આ વાત વાદ વિવાદે કાંઈ પાર પડે એવું નથી, વસ્તુની સ્થિતિ જ આવી છે, જયાં પછી ગમે તેટલાં લખાણ શાસ્ત્રમાં આવે કોઈ વ્યવહારનયે આવે એ તો જ્ઞાન કરાવે છે. આહાહા ! વસ્તુસ્થિતિ તો આંહીથી ઉપાડી છે, એનો બધો વિસ્તાર પછી છે. આહાહા !
“આ રીતે જીવ નામના પદાર્થને 'જીવ નામનો પદાર્થ તો કહ્યો પહેલો ગુણ પર્યાયવાળો, ઉત્પાદ્યયધુવવાળો, દર્શનજ્ઞાનવાળો, એવા “જીવ પદાર્થને સ્વસમય અને પરસમય એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે.... આહાહા ! સ્વસમયપણું, એકત્વમાં હોય તો સ્વસમય પ્રગટ થાય છે, રાગમાં એકત્વ હોય તો પરસમયપણું પ્રગટ થાય છે. એકમાં બે-પણું આમ ઊભું થાય છે. આહાહા ! વસ્તુ એક દર્શનજ્ઞાનમય પ્રભુમાં (આત્મામાં) આવું પરમાં રાગમાં એકત્વ થવાથી પરસમયપણું દ્વિવિધપણું, સ્વસમયપણું ને પરસમયપણું દ્વિવિધપણું ઉત્પન્ન થાય છે. એકમાં બેપણું ઉત્પન્ન થવું એ જ નુકસાનકારક છે. આહાહા ! સ્વમાં એકત્વપણે પ્રગટ થવું તે આત્માને લાભદાયક છે. આહાહા ! એ ભગવાન આત્મા, દર્શનજ્ઞાનના હૈયાતિવાળો પ્રભુ એ રાગ ને પુણ્ય પાપની હૈયાતિમાં એકત્વપણે સ્વીકારતો, એ એકમાં દ્વિવિધપણું, બીજાપણું ઉભું થયું. સ્વસમયપણું ને પરસમયપણું એકમાં બેપણું (દ્વિત) ઊભું થયું. આહાહા! આમાં ક્યાંય એમ કહ્યું નથી કે કર્મના ઉદયનું જોર છે તે પ્રમાણે આંહીયા પરમાં પ્રવર્તે છે રાગમાં-ષમાં એવું તો કાંઈ છે નહીં. પરને તો નિમિત્તે કીધું છે. નિમિત્તને આધીન થઈને પ્રવર્તે છે એ મોહ ને રાગઢષમાં પ્રવર્તતાં પરસમયમાં ગયો છે ઈ સ્વસમયમાં રહ્યો નથી, એમ જાણવામાં આવે છે. આહાહા! આવું સ્વરૂપ છે!
આવું છે ઈ સોનગઢનું આવું છે એમ કેટલાક કહે છે. કોનું છે ? (અમૃતચંદ્રાચાર્યનું) વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં શું તું કહીશ પ્રભુ કહે. આહાહા! જેના સ્વરૂપમાં પુણ્ય ને પાપ નથી પણ જેના સ્વરૂપમાં દર્શન ને જ્ઞાન છે. આહાહા ! જેથી દર્શનશાનના સ્વરૂપનું હૈયાતિવાળું તત્ત્વ એમાં જો એકત્વ થાય તો તો તે સમયે સ્વને એકત્વપણે જાણતો અને સ્વને એકત્વપણે પરિણમતો, એ જે સમયે જાણે તે સમયે પરિણમે, જે સમયે પરિણમે તે સમયે જાણે. આહાહા !
અને બીજો આત્મા, અવિદ્યારૂપી કેળ એનો જે મૂળ એવો, મોહકર્મ-જડ એના અનુભાગને અનુસારે પ્રવર્તતો, એ જેટલું કર્મ ઉદય આવ્યું તો (તે) પ્રમાણે પ્રવર્તતો એમ નથી કહ્યું. તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com