Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૬
પંચસંગ્રહ-૧
કષાયોનો ઉપશમ થવાથી જ્યારે સર્વવિરતિપણું પ્રાપ્ત થાય છે, ત્યારે શ્રેણિમાં તેઓનો ઉપશમ કરે છે, એમ શી રીતે કહો છો? કેમકે ઉપશમ તો થયેલો જ છે, ઉપશમનો વળી ઉપશમ શું?
ઉત્તર તમે જે કહ્યું, તે સિદ્ધાંતનું સમ્યજ્ઞાન નહિ હોવાથી અસત્ છે. કારણ કે શ્રેણિ પર ચડતાં પહેલાં તે કર્મપ્રકૃતિઓનો ઉપશમ ન હતો પરંતુ ક્ષયોપશમ જ હતો. ઉપશમ તો શ્રેણિમાં જ થાય છે. કદાચ તમે એમ કહો કે જ્યારે ક્ષયોપશમ થાય, ત્યારે ઉદયમાં આવેલા કર્મનો ક્ષય થાય છે, અને ઉદયમાં નહિ આવેલા કર્મનો ઉપશમ થાય છે. અને જ્યારે ઉપશમ થાય છે, ત્યારે પણ ઉદયમાં આવેલાનો ક્ષય, અને ઉદયમાં નહિ આવેલાનો ઉપશમ થાય છે. ' આ રીતે તો બંને સરખા જ છે. તો પછી આ બંને વચ્ચે શું વિશેષ છે કે જેથી કરીને પહેલાં ક્ષયોપશમ હતો, ઉપશમ નહોતો એમ કહો છો ? તેના ઉત્તરમાં સમજવું કે જ્યારે ક્ષયોપશમ થાય છે, ત્યારે જેનો જેનો ક્ષયોપશમ થાય છે તેનો તેનો પ્રદેશોદય હોય છે. ઉપશમમાં તે હોતો નથી. એ જ એ બંનેમાં વિશેષ છે. શ્રેણિ પ્રાપ્ત કરતા પહેલાં ઉપરોક્ત પ્રકૃતિઓનો પ્રદેશોદય હતો તે પ્રદેશોદયને પણ ઉપશમશ્રેણિમાં શાંત કરે છે. ભાષ્યકાર જિનભદ્રમણિક્ષમાશ્રમણ મહારાજ આ સંબંધમાં આ પ્રમાણે કહે છે, મિથ્યાત્વમોહનીય અને પ્રથમના બાર કષાયનો
જ્યારે ક્ષયોપશમ થાય છે ત્યારે રસોઇયને અનુભવતા નથી, પ્રદેશોદયને અનુભવે છે. પરંતુ જેણે તેનો સર્વથા ઉપશમ કર્યો છે તે પ્રદેશોદયને પણ અનુભવતો નથી.
વળી અહીં એમ શંકા થાય કે ક્ષયોપશમ થવા છતાં પણ જો મિથ્યાત્વ અને અનંતાનુબંધિ આદિ બાર કષાયોનો પ્રદેશોદય હોય છે, તો તે પ્રદેશોદય વડે સમ્યક્તાદિ ગુણનો વિઘાત કેમ ન થાય ? જેમ અનંતાનુબંધિનો ઉદય થવાથી સાસ્વાદન સમ્યગ્દષ્ટિને ઉપશમ સમ્યક્ત દૂર થાય તેમ મિથ્યાત્વાદિનો ઉદય થવાથી સમ્યક્તાદિ પ્રાપ્ત થયા હોય તોપણ તે અવશ્ય દૂર થાય છે. તેના સમાધાનમાં સમજવું કે પ્રદેશોદય અત્યંત મંદ શક્તિવાળો હોવાથી ઉપરોક્ત દોષ પ્રાપ્ત થતો નથી. કારણ કે મંદ શક્તિવાળો ઉદય સ્વાવાર્ય ગુણનો ઘાત કરવા માટે સમર્થ થતો નથી. જેમ ચાર જ્ઞાન ધારણ કરનારાઓને મતિજ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓનો વિપાકોદય પણ તેઓના જ્ઞાનને દબાવવા સમર્થ થતો નથી. એ જ હકીકતને વધારે સ્પષ્ટ કરે છે–મતિજ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિઓ ધ્રુવોદયી છે, અને ધ્રુવોદયી હોવાથી તેઓનો અવશ્ય રસોદય હોય છે. કેમ કે કર્મપ્રકૃતિઓના ધ્રુવોદય અધ્રુવોદયપણાની વિવફા રસોદયની અપેક્ષાએ જ છે. પરંતુ તે રસોદય મંદ શક્તિવાળો હોવાથી મતિજ્ઞાનાદિને ઘાત કરનાર થતા નથી. હવે જો રસોદાય દ્વારા અનુભવાતા તે મતિજ્ઞાનાવરણાદિ કર્મો તેઓનો ઉદય મંદ શક્તિવાળો હોવાથી સ્વાવાર્ય– પોતાને દબાવવા યોગ્ય ગુણને દબાવવા સમર્થ થતા નથી, તો પછી પ્રદેશોદય વડે અનુભવાતા અનંતાનુબંધિ આદિ તો સ્વાવાર્ય ગુણને દબાવવા અત્યંત સમર્થ નહિ થાય, કારણ કે રસોદયથી પ્રદેશોદય તો અત્યંત મંદ સામર્થ્યવાળો છે. ભાષ્યકાર મહારાજ કહે છે કે –“અનંતાનુબંધિ આદિને વેદતા દર્શનાદિનો ઘાત કેમ ન થાય ? ઉત્તરમાં કહે છે કે, મંદ પ્રભાવવાળો છે માટે. જેમ કોઈ સ્થળે રસોદય છતાં પણ ગુણનો ઘાત થતો નથી તેમ. ૧. જેમ સંપૂર્ણ ચાર જ્ઞાનીને મતિજ્ઞાનાવરણાદિનો નિત્ય ઉદય-ધ્રુવોદય છે છતાં પણ તે ઉદય મંદ હોવાથી વિઘાત કરનાર થતો નથી, તેમ પ્રદેશોદય પણ વિઘાત કરનાર થતો નથી, એમ જાણવું. ૨. “ઉપશાંત કષાય વિતરાગ