________________
-
-
૧છે
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અંન્તઃકરણ સ્વ-પરની દયાથી વાસિત નથી બન્યું, તે જીવ એ સ્થાનકની એવી આરાધના કરી શકતું જ નથી, એટલે એ બીજ વિવેકહીન-દયાહીન ભૂમિમાં તે સ્થાન જ મેળવતું નથી. વિવેકસમ્પન્ન બનીને સ્વ-પરની દયાથી વાસિત અન્તઃકરણવાળો બનેલો જીવ, જોઈએ તો વાસ સ્થાનકેની ઉત્કટ અને નિમલ આરાધના કરે-જોઈએ તો તે વીસ પૈકીના એકાદિની તેવી આરાધના કરે, પણ તે આરાધનાના યોગે જ તે વિવેકી અને દયાળુ જીવ, શ્રી તીર્થંકર-નામકર્મનાં દળીયને ઉપાઈ શકે છે. શ્રી તીર્થકર નામકર્મનાં દળીયાને ઉપાજીને પણ તેની નિકાચના કરવી પડે છે, એટલે કે-એ નામકર્મ વગર ભેગબે નિર્જરી જવા પામે જ નહિ, એવું એને જડબેસલાક કરવું પડે છે.
પ્રશ્નએને અર્થ તે એ થયો કે-શ્રી તીર્થંકર-નામકમને બાંધવા છતાં ય, જે તેને નિકાચ્યું ન હોય, તો તે વગર ભેગવાયે નિર્જરી જવા પણ પામે! જ બરાબર છે, જે કઈ આત્મા શ્રી તીર્થંકર-નામકર્મનાં દળીયાને ઉપજે, તે તેને અવશ્ય નિકોચે અને તેથી તેને અવશ્ય ભેગવે, એ નિયમ નથી. કોઈ એવું નિમિત્ત મળી જાય અને એથી શ્રી તીર્થંકર-નામકર્મનાં દળીયાને ઉપાર્જનારે આત્મા જે આરાધના ભ્રષ્ટ થઈ જાય, પતન પામી જાય, તે તેનાં ઉપાજેલાં શ્રી તીર્થંકર-નામકર્મનાં દળીયાં વિખરાઈ પણ જાય.
શ્રી કમલપ્રભ નામે એક મહાન આચાર્યભગવાન થયા છે. સર્વજ્ઞશાસનના એ પરમ ઉપાસક અને પરમ રક્ષક હતા. એ આચાર્ય ભગવાને કુવાદિઓને અને ઉત્સવપ્રરૂપને પરા