________________
૪૬૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભાળેતેમાં પુરૂષ પણ જુવાન અને રૂપાળે હય, પછી એ વેશ્યા પોતાના સ્ત્રીચરિત્રને અજમાવવામાં, પિતાની વારાંગના કળાથી વશ કરવામાં પાછી પડે ખરી ?
આડી કહેવાતી વેશ્યા, હવે તે ખરેખર મુનિના માર્ગમાં આડી પડી. કહે છે કે હવે જાવ છે ક્યાં? તમે તો મારા પ્રાણનાથ છે ! તમે જશે તે હવે હું મરી જ જવાની ! આટલાં બધાં તપ કર્યો, તે તમારામાં મૃદુતા છે કે નહિ ? હવે તે કૃપા કરે, અહીં જ રહી જાઓ અને મારી સાથે એને ભેગા
વેશ્યા આડી પડી; રડી પડી; ખરેખરી નડી. એ જ કહેવા લાગી કે આ ધનને વર્ષાવનાર તમે છે, એટલે આ ધનના સ્વામી પણ તમે છે ! ન્યાય-નીતિની રૂઈએ, આ ધનના ભોગવટાના હક્કદાર તમે છે. હવે અહીં રહે અને ભેગ. આ સેવિકા આપની સેવામાં તૈયાર છે. આ દાસીને આપના સંસર્ગથી પાવન કરે. અન્યથા, મારે તે મરણ જ શરણ છે. તે છતાં ય જે આપને મારી દયા ન આવતી હોય, તે તમે ખૂશીથી જાઓ, પણ આપ આપનું વર્ષાવેલું આ ધન ચયાપની સાથે જ લઈ જાઓ !” કેવી આફત? કેવી સીત! “આવ બલા, પકડ ગલા-જેવું જ થયું ને? પિતે વર્ષાવેલું ધન વળગ્યું ગળે, મહાલય અને મદભરી યૌવન સહિત !
વેશ્યા જયારે આવું આવું બોલી રહી હતી, ત્યારે શ્રી - નદિષેણ જુદે જ વિચાર કરી રહ્યા હતા. શ્રી નંદિષેણે
ભાગોને ભેગવવાનું કેમ સ્વીકાર્યું, તેને એમની આ સમયની વિચારણામાંથી ખૂલાસે મળે છે. “દુનિવુજ મારું