Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal

View full book text
Previous | Next

Page 567
________________ પહેલો ભાગ–શ્રી જિનસ્તુતિ પપપ નહિ કરતાં, શ્રીમજિજનને પ્રયોગ કર્યો છે. કેમ? એકલા જિન કહેવાથી શ્રી કેવલીજિન આદિ આમાં સમજાઈ જાય, એ વિગેરે હેતુઓ તે છે જ; પરન્તુ આથી ટીકાકાર આચાર્યભગવાનનું હૈયું કે ભક્તિભર છે, એની પણ માહિતી મળે છે. ટીકાકાર આચાર્યભગવાને વાપરેલાં પંદર વિશેષણે એવાં છે કે-એ વિશેષણને વાંચનાર અને સમજી શકનાર સમજી જ જાય કે–આ સ્તુતિ ભગવાન શ્રી જિનેશ્વદેવાની જ છે; એટલે એમ કહેવું એ વધારે સારું છે કે-ભગવાન શ્રી જિનેધરદેવને પંદર પંદર વિશેષણેથી સ્તવવા છતાં પણ, ટીકાકાર આચાર્યભગવાનના હૈયામાં રહેલી વ્યક્તિ તે, ભગવાન શ્રી જિનેશ્વરદેવને વધુ ને વધુ વિશેષણે દ્વારા સ્તવવાને જેર કર્યા જ કરે છે અને એના જ ફળસ્વરૂપે “જિન” શબ્દની સાથે “શ્રીમ’ શબ્દ યોજાઈ ગયો છે. અન્ય વિશેષણેની માફક જે “શ્રીમ’ શબ્દને વિશેષણ તરીકે વાપરવા હેત, તે શ્રીમન્ત એ જૂદો જ પ્રયોગ થાત; જ્યારે અહીં તે જિન શબ્દની સાથે જ પૂર્વે શ્રીમદ્દ શબ્દને જ દીધું છે. શ્રીમદ્ જિનને અર્થ શો? શ્રી એટલે લયમી અને મત્ એટલે યુક્ત. લક્ષમીયુક્ત જિનની આ સ્તવના છે. લીમી અંતરંગ અને બાહ્ય, એમ બે પ્રકારની કહેવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદે બને ય પ્રકારની લમીએ યુક્ત હોય છે? કારણ કે-કેવલજ્ઞાનાદિ રૂપ અંતરંગ લક્ષ્મીથી પણ યુક્ત હોય છે અને અષ્ટ પ્રાતિહાર્ય રૂપ બાહ્ય લક્ષમીથી પણ યુક્ત હોય છે. ભગવાન શ્રી જિનેશ્વર કેવલજ્ઞાનને ઉપાજે ત્યારથી તે નિર્વાણ પામે ત્યાં સુધી, સર્વ કાળે અને સર્વ

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570