Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal

View full book text
Previous | Next

Page 541
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ પ૨૯ વાય છે કે–એ લોકેને અમુકે બચાવી લીધા, જ્યારે એવા વખતે જેઓ કઈ લાકડાનું કે એવું કે બીજું આલંબન મળી જતાં પતે તરીને કિનારે આવે છે, તેઓને માટે એમ કહેવાય છે કે- એ તરી ગયા. આવી જ રીતિએ, ગુરૂના ઉપદેશથી બીજાઓ સમ્યગ્દર્શન ગુણને પામે, તે ગુરૂએ ગુણ પમાડ્યો એમ કહેવાય અને ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિમાં ગુરૂને ઉપદેશ નિમિત્ત બને તે ય, તેઓ પિતાની ગ્યતાના પ્રકર્ષથી સમ્યગ્દર્શન ગુણને પામ્યા એમ કહેવાય. સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિના વેગથી જે જે પરિણામે નિપજવાનાં હોય છે, તેમાં પણ બીજાએ અને ભગવાનના આત્માઓ વચ્ચે મેટો ભેદ રહે છે. ભગવાનના આત્માઓને થતું સમ્યગ્દર્શન ભગવદભાવનું નિવર્તક નિવડે છે, જ્યારે બીજા આત્માઓનું સમ્યગ્દર્શન ભગવદ્દભાવનું નિવર્તક બનતું નથી. આવા અનેક હેતુઓથી, ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ જે સમ્યગ્દર્શનને પામે છે, તેને “વરબોધિ કહેવાય છે અને અન્ય આત્માઓના સમ્યક દર્શનને માત્ર “બોધિ' કહેવાય છે. બેધિમાં આ લે: રહેતું હોવાથી, પછીની આરાધનામાં પણ ભગવાનના આત્માઓની સ્વભાવ-સિદ્ધ ગ્યતા પ્રધાન કારણ બને, તે સ્વાભાવિક છે. અર્થાત-જેમ મહા પરાક્રમી રાજાએ સિન્ય સહિત હોવા છતાં પણ, પિતાની ભુજાના બળે જીવનારા તથા જીતનારા ગણાય છે, તેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માન એને, એ તારકેના અન્તિમ ભવની પૂર્વેના ભવમાં આનંબને મળતાં હોવા ક્તાં પણ, પ્રધાનતા એ પરમ પુરૂષના. ૩૪

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570