Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal

View full book text
Previous | Next

Page 564
________________ Hપર , શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જેના મસ્તક ઉપર નાખવામાં આવે, તેને વ્યાધિ ઉપશમી જાય છે અને છ મહિના સુધી તેને નવે વ્યાધિ થતું નથી. ભગવાન શ્રી જિનેશ્વરદે આમ અનેક પ્રકારેએ કરીને જગતના જીના બાહ્ય તેમજ આભ્યન્તર શિવના કારણ બને છે, એટલે એ તારકેને “શિવકર'તરીકે પણ સ્તવાય છે. ઈન્દ્રિયરહિત તરીકેની સ્તવના ટીકાકાર આચાર્યભગવાન હવે ચૌદમા વિશેષણ દ્વારા ભગવાન શ્રી જિનેશ્વરદેવને કરણવ્યપેત તરીકે સ્તવે છે. કરણ એટલે ઈન્દ્રિય અને વ્યપેત એટલે રહિત. કરણપત એટલે ઈન્દ્રિયેથી રહિત. શ્રી અરિહંત દેહધારી જ હેય છે અને દેહધારી ઈન્દ્રિયરહિત હોઈ શકે નહિ. ભગવાનને તે પાંચેય ઈન્દ્રિયે સંપૂર્ણ હોય છે, છતાં અહીં એ તારકેને ઈન્દ્રિયરહિત તરીકે કેમ સ્તવ્યા છે? એ સૂચવવાને માટે કે-ભગવત્તે અતીન્દ્રિય જ્ઞાની હોય છે. આપણને કેઈપણ વસ્તુનું કાંઈ પણ જ્ઞાન ઈન્દ્રિ અને મન દ્વારા થાય છે ને? આંખે દેખાય નહિ, તે પાસેની વસ્તુ પણ જણાય નહિ, નાકે સુંઘાય નહિ, તે કયી વસ્તુની ગંધ કેવી છે તે જણાય નહિ; કાને સંભળાય નહિ, તે બોલનાર બોલે છે એ સમજાય નહિ, કેઈ સ્પ સ્પર્ધાય નહિ, તે વસ્તુને અડવા છતાં તે કેવી મુલાયમ કે ખરબચડી છે, એ જાણી શકાય નહિ; અને જીભ વગર કયી વસ્તુને સ્વાદ કે છેતે જણાય નહિ, ભગવાન શ્રી જિનેશ્વરદેવે કઈ પણ વસ્તુને ઈન્દ્રિયની સહાયથી જાણના હેતા નથી, પરંતુ સર્વ વસ્તુઓના સર્વ ઈાિર આવી જશે પણ વિય

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570