________________
૫૩૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઉપયોગ કરીને, એક અંગુઠા જેટલા ભાગમાં જ એ સર્વ રૂપને એકત્રિત કરી છે, તે પણ એ દેવનિર્મિત અંગુઠો ભગવાનના અંગુઠાની પાસે કેલસા જેવું લાગે. બધા ય ભગવાન શ્રી જિનેશ્વરદે આવા અજોડ ઈદ્ધ હોય છે.
રૂપને પણ પ્રભાવ:
અહીં કેઈ કહેશે કે- ભગવાન શ્રી જિનેશ્વરદે ઈદ્ધ હેય છે, પણ એ પરમ પુરૂષને ઈદ્ધ તરીકે સ્તવવાને હેતુ શે ? જેમને આ વિચાર આવે, તેમણે વિચારવું જોઈએ કે-સારા માણસનું સઘળું ય પ્રશંસનીય બને છે. ભગવાનને દેહ તારક છે, એટલે એ તારક દેહની દીપ્તિમત્તાનાં વખાણ કરવાથી પણ ભગવાન પ્રત્યેના ભક્તિભાવની અભિવૃદ્ધિ થાય છે. એ પુછયપુરૂષોનું રૂપ પણ અનેકેને ધર્મના માર્ગે વાળના બને છે. રૂપ પણ આકર્ષક છે. ભગવાનના રૂપને જોઈને પણ કોડે ઝુકી પડતા હતા. તમારા વ્યવહારમાં જ જૂઓ. દીવ્ય ચહેરાવાળો કઈ આવીને ઉભું રહે છે અને પ્રવચન કરે છે, તે એને પ્રભાવ ઓર જ પડે છે જ્યારે બીજે બોલતે હેય પણ શેભતે ન હોય, તે એનું બોલેલું બફાય છે કે બાતલ જાય છે. તેજસ્વી ચહેરાવાળાએ આદેયવાક્ય બને છે. ચહેરાની તેજસ્વીતા, એના વચનને આદેય બનાવનારી નિવડે છે. પ્રભુના તેજથી દુનિયા અંજાય; એમના ત્યાગને વિશેષતઃ માને, વાદિઓ એમને જોઈને કંપે; રૂપથી જ તેઓ હિંમત કરી શક્તા નથી. રૂપના તેજમાં સૌ કોઈ અંજાઈ જાય છે. આ તમામ પ્રભાવ રૂપને છે, દેહની દીપ્તિને છે. “રૂપ