________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૨૧
हस्तिना ताड्यमानोऽपि न गच्छेज्जैनमंदिरम् । " એના માનનારાઓને એ સમજાવે છે કે-તમે રસ્તે ચાલ્યા જતા હો ને સામેથી ઉન્મત્ત બનેલેા હાથી આવતા હોય; તમને લાગે કે--આ હાથી મને મારી જ નાખશે, માટે હું કચાંક ભરાઇ જાઉં તા જ ખચી જાઉં; પણ જો ભરાઈ જવાની જગ્યા બીજી કાઈ ન હોય અને જૈન મંદિરમાં જ ભરાઈ જવાય એવું હાય, તા એવા વખતે પણ માત્ર ખચાવ ખાતરેય જૈન મંદિરમાં પેસવાને બદલે, હાથી મારે તે સહન કરી લેવું સારૂં! શ્રી જૈન દર્શન પ્રત્યે આ હૃદયની કેટલી બધી કલુષિતતા ? આપણે તે આવી વાતાને પણ સીધા અથ માં વિચારવી. ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનો પણ મિથ્યાદૃષ્ટિઓને કેટલા બધા ડર લાગે છે? ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ એવી છે કે-એનું દર્શન કરતાં યાગ્ય આત્માઓને વીતરાગતાનું ભાન થાય. રાગ, દ્વેષ ને અજ્ઞાનને સૂચવનારાં ચિહ્નોવાળી-રૌદ્ર સ્વરૂપવાળી મૂર્તિને જેણે જોઈ હોય, પૂછ હોય, તેની નજરે જો આવી પ્રશમ રસમાં નિમગ્ન–વીતરાગભાવની દ્યોતક મૂર્તિ દેખાય, તે એ વિચાર તા કરે ને ? એ જો ધર્મનો અથી હોય, તા એને થાય ને કે-ધર્મ તો ખરો અહીં દેખાય છે?' આવું લાગે, એટલે એ જો ધર્મતત્ત્વનો શોધક બને, તા મિથ્યાષ્ટિ મટે અને સમ્યગ્દષ્ટિ અને ! મિથ્યાદશનના આગ્રહીઓને આ ડર માટામાં મોટા છે, એટલે તેએએ પાતાના અનુયાયિઓમાં એવા જ સંસ્કારોને દૃઢ કરવાનો પ્રયાસ કર્યાં છે !-હાથીના આક્રમણમાં આવી જવાતું હોય તે તેમ પણ થવા દેવું, પણ એનાથી બચવાને
૧
66