________________
આબેહુબ દશ્ય ખડું કરતું જેકેટ પરનું ચિત્ર જોતાં જ પ્રથમ નજરે જ “ગ્રંથ ગમી ગયો છે.
પ્રસ્તુત પુસ્તકમાં ગણધર ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછેલા અનેક પ્રશ્નોના સ્વમુખે જ આપેલા ઉત્તરે રૂપે ભગવતીસૂત્ર સાર સંગ્રહમાં ૬થી ૧૧ શતકના ઉદ્દેશમાં સરળ શૈલીમાં આલેખાયેલ શાસ્ત્રસાર વાંચતા-વિચારતા અંતર (હૃદય) આનંદ વિભેર ને ગદગદ બની ગયું. કેવી સુંદર દેશના અને કેવી સરસ રચના !
ભગવતી”ના પ્રથમ ભાગની જેમજ આ દ્વિતિય ભાગમાં પણ આપશ્રીએ અત્યંત શ્રમ વેઠી, દિલ નિચેવી, ભગવતી સૂત્ર જેવા માર્મિક અને કઠીન વિષયને લેકગ્ય શૈલિમાં લખી એને સરળ બનાવેલ છે.
ભાવુક ને જિજ્ઞાસુ વાંચકને આવા ગહન તત્વજ્ઞાનનું સવ સમજવામાં સરળતા રહેશે. ધ્યાન દોરે છે તે એ હકી
ત કે “પ્રથમ ભાગ” આપને ગુરુદેવે તૈયાર કરેલ ને પરથી વિસ્તૃત કરીને રજુ કરેલ, જ્યારે આ “બીજો ભાગ” તે આપશ્રીએ મનનપૂર્વક વિચારી સમજી એક સ્વતંત્ર કૃતિ તરીકે પ્રકાશિત કર્યો છે. તેમ છતાં “ભગવતીજી”ની મૌલિકતાને માર્મિકતા સંપૂર્ણ રીતે સચવાઈ છે. આપશ્રીએ આપની આગવી સુંદર શૈલિમાં અલ્પજ્ઞાની બાળજીને એ સમજાય અને ગ્રાહ્ય બને એવી રસપ્રદ રીતે કરેલ રજુઆત ખરેખર પ્રશંસા માંગી લે છે.
આપશ્રીએ ઘણું “ચાતુર્માસમાં ભગવતી સૂત્ર વ્યાખ્યાન દ્વારા શ્રેતાઓને સુંદર રીતે સમજાવેલ છે, એટલે આપને તે “ભગવતી સૂત્રનું વાંચન-મનન-ચિંતન ને પરિશીલન સહજ બની ગયું છે, જેના નિચેડરૂપે આ ગ્રંથ તૈયાર થયેલ હોઈ ઘણેજ સુવાચ્ય, સુગમ અને સરળ બન્યા છે. આ રીતે